17 વર્ષની એક દીકરીએ ગેર સમજણના કારણે એવું પગલું ભરી લીધું છે કે, જેના કારણે તેના માતા પિતા અને સમગ્ર પરિવારજનોને સમગ્ર જિંદગીભર પછતાવાનો વારો આવ્યો છે. આ બનાવો મધ્યપ્રદેશના ભોપાલનો છે. જ્યાં કમલા નગર વિસ્તાર પાસે આવેલા રાહુલ નગરમાં સુનિલ બારગે નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે.
તેઓ પ્રાઇવેટ કામ કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમના 17 વર્ષની દીકરી મોનું શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેને ભણવામાં મન ન હોવાથી તે અવારનવાર તેના પિતાને શાળામાં ભણવા ન જવા માટે કહેતી ,અને કહેતી કે હવે તેને ભણવામાં કોઈ રસ રહ્યો નથી..
અને હવે તેને ભણવું નથી. પરંતુ તેના પિતા તાબડતોબ તેને શાળાએ મૂકી આવતા હતા. એક દિવસ તેને સ્કૂલે જવાની મનાઈ કરીને માસીના ઘરે રહેવા જવા માટે પોતાના પિતાને જણાવ્યું હતું. પરંતુ પિતાએ માસીના ઘરે રહેવા જવા માટે ચોખ્ખી ના પાડી આપી હતી. આ સાથે જ કહ્યું કે, શાળાએ જવાનું છે..
બસ આ વાતનું આ દીકરીને ખૂબ જ માઠું લાગી ગયું હતું. તેણે તેના પિતા પાસે 10 રૂપિયા પણ માંગ્યા હતા કહ્યું કે, દસ રૂપિયા મારે ચોકલેટ ખાવા માટે જોઈએ છે. પરંતુ તેના પિતાએ 10 રૂપિયા આપવાની પણ મનાઈ કરી દેતા તેને માઠું લાગી આવ્યું. જ્યારે બપોરના સમયે ઘરે કોઈ વ્યક્તિ હાજર હતું નહીં..
ત્યારે તેને રૂમનો દરવાજો બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો છે. જ્યારે સાંજના સમયે તેના પિતા ઘરે આવ્યા અને જોયું તો ઘરનો દરવાજો કોઈ વ્યક્તિ ખોલતું હોતું નથી. અંતે ઘરની બારીમાંથી જુવાની કોશિશ કરી કે ઘરની અંદર પણ હાજર છે, તો તેમની દીકરી લટકેલી હાલતમાં મળી આવતાની સાથે જ દરવાજો તોડી નખાયો હતો..
અને ઘરની અંદર પ્રવેશ કરીને જોયું તો તેમની દીકરીનો જીવ ચાલ્યો ગયો હતો. આ ઘટના બનતાની સાથે જ આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનો અને સ્નેહીજનોને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.
પોલીસે તપાસ કરીને જરૂરી કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. આ દીકરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસની આ ઘટનામાં કુલ ત્રણ કારણો લાગી આવ્યા છે. સૌપ્રથમ કારણમાં દીકરીએ ચોકલેટ ખરીદવા માટે દસ રૂપિયાની માંગણી કરી હતી..
પરંતુ પિતાએ મનાઈ ફરમાવી દેતા તેને ખૂબ જ માઠું લાગી આવ્યું હોય અને તેણે આ પગલું ભરી લીધું હોય અથવા તો નીકળી તેના માસીના ઘરે રહેવા જવા માટે અને તેના પિતાએ આ બાબતની પણ ના પાડી દીધી કદાચ આ બાબતનું પણ માઠું લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હશે..
અથવા તો તેને ધોરણ 10 માં ભણતી અને હવે તે વધારે ભણવા માંગતી હતી નહીં. અને તેના પિતા તેને ભણવા જવા પર દબાણ આપતા હતા. કદાચ આ બાબત પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે. કારણકે સાવ ન જેવી બાબતમાં આ દીકરી એ એવડું મોટું પગલું ભરી લીધું છે કે જેની ન પૂછો વાત..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]