સમાજમાં પારિવારિક ઝઘડાઓ થતા ખૂબ જ જોવા મળી રહ્યા છે, જેમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા તેમાં ઉશ્કેરાઈ જઈને તેઓ એકબીજાના જીવ લઈ રહ્યા છે આવી છે ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બની હતી. એક પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા.
પતિ પત્નીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. તેઓનો મૂળ વતન બિહાર હતું પરંતુ તેઓ ગાજિયાબાદના ટ્રોનિકા સીટી વિસ્તારમાં રહીને પોતાનું પારિવારિક જીવન જીવતા હતા. પરિવારમાં રહેતા પતિનું નામ લાલ મોહન હતું અને તેમની પત્ની નું નામ નેહા હતું. બંને લગ્ન બાદ પોતાનું પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા હતા.
પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે બંને વચ્ચે અણ બનાવ થતા હતા અને તેને કારણે પત્નીને કોઈ બીજા યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જેની જાણ લાલ મોહનલાલને થતા તેઓ ગુસ્સામાં આવી ગયા હતા. તેમની પત્નીને બીજા કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું ખબર પડતાં તેઓએ તેમની પત્નીને ઘણીવાર આ બધું મૂકી દેવા માટે કહ્યું હતું.
પરંતુ તેમની પત્ની માનવા તૈયાર ન હતી અને લાલ મોહન કારખાનું ચલાવી રહ્યા હતા. જેને કારણે એક દિવસ તેઓ પોતાની પત્નીને કારખાનામાં કામ બતાવવાના બહાને લઈ ગયા હતા. તેઓ કોઇ સુમસામ રસ્તે લઈ ગયા હતા. આ જંગલનો વિસ્તાર હતો. ત્યારબાદ ત્યાં લઈ જઈને નેહાને બાજુની જાડીઓમાં તેનો પતિ લઈ ગયો હતો.
અને ત્યાં લઈ જઈને ધારદાર હથિયાર વડે મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું ત્યારબાદ તેણે ચાકુના ઉપરા પર ઘા મારીને નેહાને મારી નાખી હતી અને ઘરેથી બેગ માટે હથોડી તેમજ ચાકુ લઈને નીકળ્યો હતો તેમની પત્નીને તેણે મારીને એ જગ્યાએ મૂકીને ત્યાંથી બીજી કોઈ રિક્ષા દ્વારા સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
ગાજીયાબાદ જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનમાં જઈને તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમણે પોતાની પત્ની ને મારી નાખે છે જેના કારણે પોલીસ તે સાચું બોલી રહ્યો છે કે નહીં તેની જાણ કરવા માટે જંગલ વિસ્તારમાં પહોંચી ત્યારે ખરેખર તેને નેહાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ લાલ મોહને જણાવ્યું હતું કે,
તેના અઠવાડિયા પહેલા પણ તેણે નેહાને મારી નાખવાનું કામ કર્યું હતું પરંતુ તે રસ્તા પર ખૂબ જ વાહનોની અવરજવર હોવાને કારણે તેનો પ્લાન સફળ થયો ન હતો. અને તેની પત્નીને બીજા યુવક સાથે પ્રેમસબંધ હોવાને કરને આ ઘટના કરી છે. જેના કારણે આ દિવસે તેણે વાહનની અવરજવર ન રહેતા રસ્તાનો લાભ લઈને પોતાની પત્ની સાથે આ ઘટના ઘડી નાખી હતી. પોલીસ પૂછપરછ કરીને તેમની કાર્યવાહી ચાલુ કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]