દરેક માતા પિતાને પોતાના બાળક પ્રત્યે આભાર પ્રેમ રહેતો જ હોય છે. બાળક જ્યારે નાનો હોય ત્યારથી લઈને તે મોટો થાય ત્યાં સુધીમાં તેને દરેક ક્રિયામાં તેની સાથે રહીને તેની દરેક ઈચ્છાઓને પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન માતા અને પિતા બંને સાથે મળીને કરતા જ હોય છે. પરંતુ જેમ જેમ બાળક પૂર્ણ થાય તેમ તેના વિચારોમાં કેટલીક વખત ફેરફાર આવતા રહેતા હોય છે.
આપણી જ આસપાસ એવા કેટલાય બનાવો છેલ્લા કેટલાક સમયમાં બન્યા છે, જેમાં ખાસ કરીને દરેક વ્યક્તિની નજરે ચડે એવી બાબત હોય તો એ છે કે, જ્યારે દીકરો મોટો થઈ જાય અને માતા-પિતા તેને માટે સારી કન્યા શોધી રહ્યા હોય છે. તેના લગ્ન કરાવી દે અને દરેક મા બાપ પોતાના ઉપર રહેલી મુખ્ય જવાબદારીઓને પૂરી કરવા માટે હંમેશા મથતા જ રહેતા હોય છે.
દીકરાના લગ્નએ પણ ખૂબ મોટી જવાબદારી છે. પરંતુ કેટલીક વાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, મા બાપ ખુદ જ દીકરાના લગ્ન કરાવીને મુશ્કેલીઓના વંટોળમાં ફસાઈ જતા હોય છે. હાલ એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેની વિગતવાર વાત કરવામાં આવે તો આ વાત છે તળિયાવ થાનાના વિસ્તારમાં રહેતા એક વહુ અને એના બેટા વચ્ચે મળીને કાયમ તેના મા બાપ સાથે ઝઘડિયા જ કરતા હતા.
દીકરાના લગ્ન કરાવ્યા બાદ દીકરો સંપૂર્ણ રીતે પત્નીની વાતોમાં આવી ગયો હતો અને પત્ની જેમ કે તે રીતે કરતો હતો અને સાથે સાથે પત્નીને તો તેના સાસુ અને સસરા સાથે સહેજ પણ નહોતું જામતું. તે વારંવાર તેમની સાથે ઝઘડિયા કરતી હતી, મા બાપને તે ઘણી બધી વખત હેરાન પરેશાન પણ કરતી રહેતી હતી..
મદદની સહાય હેતુ માતા પિતાએ પોતાના દીકરાને ઘણી વખત ફરિયાદ પણ કરી. પરંતુ એ વખતે તો દીકરો પત્નીની જાળમાં સંપૂર્ણ રીતે ફસાઈ ચૂક્યો હતો એટલે તે મા બાપની પણ માનવા માટે તૈયાર નહોતો. તે પણ પત્નીની વાતમાં જ હંમેશા સાથ પુરાતો હતો. એક દિવસ તો એવું બન્યું કે આ મોટી ઉંમરના મા બાપને ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા.
અહીરોરી નિવાસી રાજીવકુમારસિંહ નજીકના એસપી પાસે પહોંચીને તેના દીકરા પંકજ તેમજ તેની વહુ સીમા બંનેએ મળીને તેમની સાથે મારપીટ કરી અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આટલું જ નહીં સાથે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પણ તેમને આપી કે તેનો દીકરો સરકાર દ્વારા મળતી ખેતર ઉપરની લોન રૂપિયા ત્રણ લાખ ૩૫ હજાર જેટલી પિતા પાસે સોના ચાંદીની દુકાન કરવા માટે લઈ ગયો હતો..
અને તે લોન ની કિંમત આજે તો ₹4,25,000 જેટલી થઈ ગઈ હતી. આટલું જ નહીં તેનો દીકરો પત્નીની વાતમાં આવીને 10 વીઘા જેટલી જમીન પોતાના નામે કરવા માટે પણ મેહનત કરી રહ્યો હતો અને ધમકીઓ પણ આપી રહ્યો હતો. પીડાયેલા માતા-પિતા નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને એસપી સાહેબ આલોક પ્રિયદર્શનીએ માતા-પિતાને યોગ્ય ન્યાય મળી રહેશે તેની સાંત્વના આપી હતી, વૃદ્ધ વયના માતાપિતા પોતાના બેટા ના કામો ને લીધે ભાંગી ચુક્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]