તીન પત્તી દિન હાથમાં ચાવી દે તે પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગી છે. અમુક બનાવતો એવા સામે આવે છે કે, જે સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો કહે કે પરિવારમાં ક્યાંય એકતા નામનો છાંટો નથી. જે પરિવારજનોના મન જુદા-જુદા હોય તે પરિવાર ક્યારે પણ લાંબો સમય સુધી ચાલી શકતો નથી.
કોઈને કોઈ વાંધા વચકા ઉત્પન્ન થવાને કારણે તેમનો પરિવાર તૂટી જતો હોય છે. અત્યારે કંઈક આ પ્રકારનો જ એક મામલો બિલાસપુર માંથી સામે આવ્યો છે. અહીં દેવેન્દ્ર તેની પત્ની દીપ્તિ સાથે રાજી ખુશીથી જીવન ગુજારતો હતો. બંનેના લગ્ન થયા તેના પાંચ વર્ષ વીતી ચૂક્યા છે. આ ઉપરાંત દીપ્તિએ એક દીકરાને પણ જન્મ આપી દીધો છે..
પરંતુ હવેના સમયમાં દેવેન્દ્રએ તેની પત્ની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. દેવેન્દ્ર બેંકમાં નોકરી કરતો હતો. જ્યારે તેની પત્ની દીપ્તિ પણ એક ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જતી હતી. દેવેન્દ્રને છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની દીપ્તિ ઉપર શંકા હતી કે, તે તેના ઓફિસના કોઈ યુવક સાથે ચક્કર ચલાવે છે..
આ શંકા તે મનમાં ને મનમાં જ દબાવીને રાખતો હતો અને દીપ્તિ સાથે ખૂબ જ ખરાબ વર્તન પણ કરવા લાગ્યો હતો. જ્યારે દીપ્તિ તેને બોલાવે તો દરેક વાતો માટે અણગમો વ્યક્ત કરતો હતો. અને નાની નાની બાબતોને તો તે ટાળી દેતો હતો. દીપ્તિ પણ સમજી ચૂકી હતી કે, તેના પતિને તેની સાથે કોઈ બાબતને લઈને મનમેળ છે..
તેણે તેના પતિને પૂછવાની કોશિશ કરી હતી કે, તમે શા માટે મારી સાથે આવું વર્તન કરો છો.? ત્યારે દેવેન્દ્રએ જણાવ્યું કે, મને એવી શંકા છે કે તારું તારી જ ઓફિસમાં આવતા કોઈ યુવક સાથે ચક્કર ચાલી રહ્યું છે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ દીપ્તિ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી અને તેણે તેના પતિને જણાવ્યું કે, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું..
એનો મતલબ એવો નથી કે, હું તમારી કોઈપણ વાતો સાંભળી લઈશ. મને તમારી આ વાતોથી ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. હું માત્ર તમારી સિવાય કોઈ વ્યક્તિને પ્રેમ કરતી નથી. છતાં પણ તમે શા માટે મારી ઉપર શંકા દાખવો છો, એમ કહીને બંને વચ્ચે ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો. આ ઝઘડાનું દેવેન્દ્રને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને એક બાજુ તેનો પિત્તો પણ ફાટી ગયેલો હોવાથી.
તેને તેના ઘરમાં આવતી કામવાળી મહિલાને સાથે રાખીને તેની પત્નીને રસ્તા પરથી સાફ કરી દેવાનો પ્લાન બનાવી દીધો હતો. તેને આ ઘટનામાં સાથ સહકાર આપવા માટે તેના ઘરે આવતી કામવાળી મહિલાને રૂપિયા આપ્યા હતા અને કહ્યું કે, તારું નામ કોઈ પણ જગ્યાએ નહીં આવે અને તારે દીપ્તિને મોતને ઘાટ ઉતારી દેવાની છે..
ત્યારબાદ કામવાળી મહિલાએ દીપ્તિને મોતને ઘાટ પણ ઉતારી દીધી હતી. પરંતુ જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચી ત્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં દેવેન્દ્રએ જણાવ્યું કે, તેની પત્નીને કોઈ અજાણ્યા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઉપરાંત દેવેન્દ્રએ પોલીસને ખૂબ જ ગોળ ગોળ ગુમાવી હતી..
અને આ કિસ્સો અંદાજે દોઢ વર્ષ સુધી ચાલતો રહ્યો છતાં પણ પોલીસ દેવેન્દ્રની આ ચાલને સમજી શકે નહીં અને અંતે પોલીસની ઈમાનદારી કર્મ નિષ્ઠા અને સાહસિકતા ભરી કામગીરીને આધારે દેવેન્દ્ર પકડાઈ ગયો હતો અને તેણે કબૂલ પણ કરી લીધું કે, તેણે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી..
કારણ કે તેને તેની પત્ની ઉપર શંકા હતી પરંતુ તેની પત્ની તેની સાથે ગુસ્સો કરવા લાગી હતી. એટલા માટે તેને પીતો ગુમાવીને આ પગલું ભરી લીધું છે. પરંતુ હવે તેને ધરાઈ ધરાઈને પસ્તાવો થઈ રહ્યો છે. પરંતુ હવે તેની પત્નીની જિંદગી પરત આવી શકે તેમ નથી તો તેનો દીકરો પણ અત્યારે માતાની છત્રછાયા ગુમાવી બેઠો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]