પતિ સહિત સાસરીયાના 6 લોકોએ પરણીતાને રૂમમાં પૂરી કોશ અને ધારિયા લઈ તૂટી પડ્યા, દર્દનાક મોત આપીને કર્યું આ કામ કે જાણીને હોશ ઉડી જશે..!

કોઈપણ મુસીબત આવી પડ્યે પરિવારના સભ્યો આપણી સાથે ઊભા રહેતા હોય છે. અને એ મુશ્કેલીની અંદરથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક પરિવારોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જેને કારણે એકબીજાના મનમાં ખટાશ ઉત્પન્ન થાય છે. અને મામલો હ.ત્યા સુધી પણ પહોંચવા લાગ્યો છે..

હાલ મધ્ય ગુજરાતના ખેડા તાલુકાના ઉમિયાપુર ગામની અંદર વધુ એક ચોંકાવનારો બનાવો બની ગયો છે. આજથી બે દિવસ પહેલાં ગંગા કુઈ તરફ જવાના રોડ ઉપર કેનાલની નજીક રાત્રેના આઠ વાગ્યે આસપાસ એક યુવતીની લાશ મળી આવી હતી. આ લાશ મળ્યા બાદ ખેડા શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી..

આ યુવતીની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી. આ યુવતીની પરણીત હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેના હાથમાં ટેટુ પણ દોરેલું હતું. અને જ્યારે પોલીસને જાણ થઈ કે આ મહિલા ખેડા કેમ્પ વિસ્તારમાં રહેતા રાજુ રમેશ દેવીપુજક નામના વ્યક્તિની પત્ની રાધા છે..

ત્યારે તેઓ તાત્કાલિક તેમના ઘરે પહોંચી ગયા હતા. રાજુ દેવીપુજક નામના આ વ્યક્તિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા. જેને લઈને રાજુ દેવીપૂજકની પત્ની રાધા બેન અવારનવાર વાંધો ઉઠાવતી હતી. આ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે રોજ રોજ ઝઘડાઓ થતા હતા. અને ઘર કંકાસનો મામલો પણ સામે આવ્યો હતો..

એક દિવસ આ બાબતને લઈને રાજુ દેવીપૂજકની તેની પત્ની રાધા સાથે ઝઘડો થયો હતો. રાજુ દેવીપુજકએ તાત્કાલિક તેની નજીકમાં રહેતા પોતાના સગા નાના ભાઈ મહેશ શૈલેષ તેમજ તેની પત્ની કાજલ તેમજ રાજુ દેવીપુજકની પ્રેમિકા પૂનમ આ ઉપરાંત બનેવી દિનેશ સહિતના કુલ છ પરિવારજનોએ મળીને રાધાને એક રૂમમાં પૂરી દીધી હતી…

ત્યારબાદ રૂમની અંદર આ છ વ્યક્તિઓ લોખંડની કોશ અને ધારિયા સહિતની ચીજ વસ્તુઓથી રાધા ઉપર ખુલ્લેઆમ વાર કરવા લાગ્યા હતા અને ઠંડા કલેજે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જ્યારે રાધાનું મૃત્યુ થઈ ગયું ત્યારે રાજુ દેવીપુજકએ ખેડા જિલ્લાના રતનપુર ગામમાં રહેતા પોતાના મિત્રને પોતાનો ટેમ્પો લઈને બોલાવ્યો હતો..

ત્યારબાદ રાજુ દેવીપુજક આ ટેમ્પામાં તેની પત્ની રાધાની લાશ નાખીને કેનાલ પાસે ઘા કરી દીધી હતી. પરંતુ પોલીસને જાણ થઈ જતા પોલીસે આ તમામ તપાસ ચલાવી હતી અને અંતે પરિવારના આ છ વ્યક્તિઓનું કાળુ કારનામું બહાર આવ્યું છે. પોલીસે આ 6 એ 6 વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..

તેમજ દરેકની જુદી જુદી રીતે પૂછતા જ પણ કરવામાં આવી રહી છે. રાધાએ તેના લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ તેનો પતિ એટલો બધો મારફાડ હતો કે તેણે પરિવારના જ છ સભ્યોની સાથે મળીને તેની પત્નીની હત્યા કરી નાખી છે. હકીકતમાં પતિ પત્ની વચ્ચે ખૂબ સારી સમજણ અને સહનશક્તિ હોવી જરૂરી છે..

પરંતુ ક્યાંકને ક્યાંક પતિ કે પત્ની બંનેમાંથી કોઈ અવળો ચંડાઈ કરે અને અંતે આપઘાત તેમજ હત્યા જેવા મામલાઓ પણ બનવા લાગતા હોય છે. આ તમામ બનાવોને અટકાવવા માટે પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારી સમજણ જરૂરી છે. આ બનાવને લઈને સમગ્ર પરિવાર વેર વિખેર થયો છે. અને તેમના બાળકોને પણ દુખ ભોગવવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment