Breaking News

પતિ-પત્ની મેડી પરથી નીચે આવ્યા અને જે જોયું તે જોતા જ આવી ગયા ધોળા દિવસે અંધારા, ખુબ જ ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે..!

રોજબરોજ એવી ઘણી બધી ચોંકાવનારી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે જે સાંભળતા જ આપણે ચોંકી જતા હોઈએ છીએ કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું..? આવી અનેક ચોંકાવનારી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક નજરે આવતી હોય છે. હાલ સુરેન્દ્રનગરના હળવદ તાલુકામાં ફરી એક વખત ખૂબ જ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે..

જેમાં પરિવારના તમામ લોકોને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા. હળવદ તાલુકાની હરી દર્શન સોસાયટીના ચિરાગભાઈ કાંતિલાલ સાધુ નામના એક વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે. અને પોતે પીજીવીસીએલ કંપનીમાં નોકરી કરે છે. તેમના પરિવારજનો સાથે ખૂબ જ ચોકાવનારો બનાવ બન્યો છે.

રવિવારનો સમય હોવાથી તેઓ પોતાના પરિવારજનો સાથે ખૂબ જ ખુશખુશાલ હતા. તેઓ ઘરના ઉપરના માળે આવેલી મેડી ઉપર પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા હતા. જેમાં તેમની પત્ની મેડી ઉપર કપડાં ધોઈને સુકાવી રહી હતી. જ્યારે ચિરાગભાઈ 10:00 વાગ્યે આસપાસ વાંચન કરવા માટે મેડી ઉપર ગયા હતા..

એ સમયે ઘરના નીચેના માળે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી અજાણ્યા લોકો તેમના ઘરે ત્રાટકી પડ્યા હતા. એકલતાનો મોકો લઈને આ તસ્કરો મકાનમાં ઘૂસી ગયા અને પોચા પગે મકાનની જાળી બંધ કરી. અંદરના રૂમમાં રહેલી તમામ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લીધી હતી. જેમાં ચિરાગભાઈના પાકીટ ની અંદર 12,500 રોકડા હતા..

આ ઉપરાંત સોનાની એક ચેન ચોરીને આ તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. આ તસ્કરો તેમના ઘરની અંદર ઘૂસીને ચોરી કરીને ભાગી ગયા છતાં પણ ચિરાગભાઈ તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોને સહેજ પણ ખબર હતી નહીં. માત્ર અડધી કલાકની અંદર જ તેઓએ ખૂબ મોટી રકમની ચોરી કરી લીધી હતી. આ સોસાયટીની અંદર કુલ ૧૫૦ જેટલા મકાનો હતા..

છતાં પણ કોઈપણ લોકોને આ તસ્કરોની સહેજ પણ ભનક પડી હતી નહીં. જ્યારે ચિરાગભાઈ પોતાના ઘરના નીચેના માળે આવ્યા અને જોયું તો તમામ સામાન્ય વેરવિખેર પડ્યો હતો. અને તેમનું પાકીટ પણ ગાયબ હતું. અને કબાટમાંથી સોનાની ચેન પણ ગાયબ હોવાને કારણે તેઓએ તાત્કાલિક હળવદ પોલીસ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી હતી..

જેને કારણે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, હળવદ પંથકમાં ચોર લુંટારાઓની હિંમત ખૂબ જ વધી ગઈ છે. કારણ કે તેઓ તંત્રનો ડર રાખ્યા વગર ધોળે દિવસે પણ ચોરી કરવા લાગ્યા છે..

અને મન ફાવે તેવી હરકતો આચરે છે. આ સાથે સાથે તેઓ ખરાબ કામ કરવામાં સહેજ પણ અચકાતા નથી. આ બાબતને લઈને તંત્રએ જરૂરી ધ્યાન દોરવું જોઈ અને આવા લોકોમાં પોલીસ અને તંત્રનો ખૂબ જ ભય બેસાડવો જોઈએ. જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિને આવા ચોર લુંટારાઓ સામનો કરવો ન પડે.

જ્યારે ચિરાગભાઈ પોતાના પરિવારજનો સાથે મળી ઉપરથી પોતાના નીચેના માળે આવ્યા ત્યારે જે દ્રશ્ય જોયું તે જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેઓ ખૂબ જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. અને એક એક રૂપિયો એકઠો કરીને તેઓ પરિવારના તમામ સપનાઓને સંતોષી રહ્યા હોય. એવામાં જો ચોર તસ્કરો તેમની તમામ મૂડી ચોરી કરીને જતા રહે તો આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *