પરિવારની પરિસ્થિતિ જોઈને જીવન જીવવું જોઈએ જો પરિવારમાં કમાણી ખૂબ જ ઓછી હોય અને મોજ શોખને ઓછા કરવામાં ન આવે તો એક ને એક દિવસ જરૂર કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીની અંદર ફસાઈ જતો હોય છે, અત્યારે હવે આપણે એવા ઘણા બધા પરિવારોને જોઈએ છીએ કે, તેઓને ખૂબ જ ઓછી આવક હોય છતાં પણ તેઓ બેફામ રીતે પૈસાનો વપરાશ ચલાવતા હોય છે..
એવા વ્યક્તિઓ માટે આગળનો સમયમાં જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, હાલ એક પરિવારની અતિશય ચોકાવનારી ઘટના સામે આવી છે, આ બનાવ શામજી કૃપા રેસીડેન્સીનો છે. આ રેસીડેન્સીના બીજા માળે દલપતભાઈ નામના એક વેપારી તેની પત્ની વનિતાની સાથે રહે છે..
દલપતભાઈને છેલ્લા બે વર્ષથી વેપારમાં ખૂબ જ વધારે નુકસાની જતી હતી, છતાં પણ તેઓ પોતાનો ધંધો આવનારા સમયમાં સારો ચાલશે તેમ વિચારીને મહેનત કરતા રહ્યા ધીમે ધીમે પરિવારમાં ભરણપોષણ માટે પૈસાની અછત થવા લાગી હતી. અને તેઓ જરૂર પડતા રૂપિયાને તેમના સગા સંબંધીઓ પાસેથી વ્યાજે લઈ આવતા હતા..
દલપતભાઈ ઘણી બધી વાર તેમની પત્નીને જણાવ્યું હતું કે, હાલ ધંધામાંથી કમાણી ખૂબ જ ઓછી થઈ રહી છે. તો પૈસા વાપરવામાં પણ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે. પરંતુ વનીતાએ જણાવ્યું કે મારે શોપિંગ કરવા માટે દર મહિને 25000 રૂપિયા જોઈશે, જો તમે મને રૂપિયા નહીં આપો તો મારે આ ઘરમાં રહેવાની કોઈ પણ જરૂર નથી..
કારણ કે, જ્યારે મેં તમારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તમે મને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે તેવું જણાવ્યું હતું. અને હવે હું ઓછા પૈસામાં કોઈપણ કાળે ઘર ચલાવી શકીશ નહીં. આ ઉપરાંત મારે સોના ચાંદીના ઘણા બધા દાગીના પણ લેવા છે, તે પણ તમારે મને લઈ દેવા પડશે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને બિચારા દલપતભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..
એક બાજુ તેમનો વેપાર ધંધો નુકસાનીમાં ચાલતો હતો, અને બીજી બાજુ તેની પત્ની મોટી મહારાણીની જેમ એક પછી એક ચીજ વસ્તુઓની માંગણી કરી રહી હતી. જ્યારે વનિતા ના મોજશોખ પૂરા થવાના બંધ થઈ ગયા ત્યારે વનિતાએ દલપતભાઈ સાથેનો વ્યવહાર પણ બગાડી નાખ્યો હતો..
કોઈ વખત તેને વાસી ખોરાક ખવડાવી દેતી તો કોઈ વખત તેને ભૂખ્યા પેટે જ સૂઈ જવું પડતું હતું, પતિની કમાણીથી મોજશોખ પૂરા ન થતા આ દાનતમેલી પત્ની વનિતાએ તેના પાડોશીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી નાખ્યો હતો, તેના પડોશમાં રહેતો અમિત નામનો યુવક શેરબજારમાં ખૂબ જ વધારે પૈસા કમાતો હતો..
તેની સંપત્તિ જોઈને વનિતા તેને પોતાની સાથે વાતચીત કરવા માટે આકર્ષિત કરતી હતી. વનિતાએ અમિતનો મોબાઇલ નંબર લઈ લીધો હતો અને તેની સાથે મેસેજમાં પણ વાતચીત કરવા લાગી હતી, ધીમે ધીમે અમિત અને વનિતા બંને એકબીજાના પ્રેમમાં પણ જોડાઈ ગયા હતા અને તેઓ સવારથી સાંજ સુધીના સમયમાં એકાંતનો સમય વિતાવવા માટે પોતાનું ઘર મૂકીને દૂર ચાલ્યા જતા હતા..
જ્યારે આ તમામ બાબતો વિશે દલપતભાઈને જાણ થાય ત્યારે તેઓએ આ વાતની જાણકારી વનિતા ને કરવાને બદલે સમાજના અન્ય મોભીઓને પણ પોતાને ઘેર બોલાવ્યા હતા આ ઉપરાંત વનિતાના માતા-પિતાને પણ પોતાને ઘરે બોલાવ્યા બાદ તમામ પુરાવાઓ સૌ કોઈ લોકોની સામે રજૂ કરી દીધા હતા કે, વનિતા નામની આ યુવતીને જીવન જીવતા આવડતું નથી..
થોડો સમય તેમના માથે ખૂબ જ મોટી આફત આવી પડી એટલામાં તો વનિતા એ દલપતભાઈના પ્રેમ સંબંધોને ભુલાવી દઈ પડોશમાં રહેતા પૈસાવાળા યુવકને પોતાના પ્રેમમાં ફસાવી લીધો હતો અને તેના રૂપિયા વાપરીને વનિતા મોજ શોખ અને ઐયાશી કરી રહી હતી જ્યારે સમાજના લોકો વચ્ચે આ વાત ફેલાય ત્યારે વનીતાને પણ માથું શરમથી નીચે જુકી ગયું હતું..
અને તેને પોતાના કરેલા ઉપર ખૂબ જ પછતાવો થયો હતો, પરંતુ દલપતભાઈ આ લગ્ન જીવનને ત્યાં ને ત્યાં જ અંત લાવીને વનિતા અને આજ પછી ક્યારેય પણ પોતાનો મોઢું નહીં દેખાડે તેવું જણાવી દીધું હતું. જ્યારે આ ચોંકાવનારો બનાવો સૌ કોઈ લોકો સમક્ષ રજૂ થઈ ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા કે..
આખરે આ કેવો સમય આવી રહ્યો છે કે, જેમાં પતિ અને પત્ની સુખ અને દુઃખની ઘડીમાં એકબીજાનો સાથ સહકાર આપવાને બદલે માથા ફરેલી આ પત્નીએ પોતાના પતિને મૂકી દઈને પડોશમાં રહેતા યુવકને પોતાનો અપનાવી લીધો હતો. આ ઘટનાએ બધાના મગજને ચકરડે ચડાવી દીધા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]