હાલના સમયમાં મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. નાની નાની વાતોમાં બીજા સાથે ઝઘડો કરીને મારામારી કરી રહ્યા છે. આવી મારા મારીઓ થતા તેમાં ઉશ્કેરાઈ જઈને લોકો એકબીજાની હ.ત્યા કરી રહ્યા છે. આપણે પહેલા પણ જોયું હતું કે પારિવારિક સંબંધમાં પતિ-પત્ની એકબીજાની હ.ત્યા કરી રહ્યા છે.
પરંતુ હાલમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં એક પત્નીએ પોતાના પતિ સાથે ખૂબ જ ખરાબ અને ગંભીર વ્યવહાર કર્યો હતો. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં રહેતા પરિવારમાં પતિ સાથે મોટી દુર્ઘટના બની હતી. અમદાવાદ શહેરના ઠાકર નગર પાસે આવેલી કેવડાજીની ચાલીમાં આ પરિવાર રહેતું હતું.
પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા હતા. પતિનું નામ અનિલભાઈ હતું. તેમની પત્નીનું નામ મંગલાબેન હતું. અનિલભાઈ અને મંગલાબેનના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા. અનિલભાઈનો ભાઈ સુનિલ દીવાકર પણ તેની આજ ચાલીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બંને ભાઈઓ પાસપાસે રહેતા હતા.
અનિલને ઘણા સમયથી દારૂ પીવાની ટેવ હતી. જેને કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. અનિલને દારૂ પીવાની ખૂબ જ ખોટી લત લાગી હતી. જેને કારણે તે પોતાની પત્ની સાથે પણ ઘણીવાર ખરાબ વ્યવહાર કરતો હતો. એક દિવસ અને દારૂ પીવા માટે ગામની દુકાન પર ગયો હતો. ત્યાં જઈને તેને ખૂબ જ દારૂ પીધો હતો.
જેને કારણે પત્નીને જાણ થતા તે અનિલને લેવા માટે દુકાને પહોંચી હતી. અનિલને દુકાનેથી લાફા મારતા મારતા ઘરે લઈને આવી હતી. દુકાને ઉભેલા સૌ લોકો મગલાબેનને જોઈ રહ્યા હતા. મંગલાબેન તેમના પતિને લાફા મારતા મારતા ઘરે લઈ ગઈ હતી ઘરે લઈ ગયા બાદ બંને પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. જેને કારણે મંગળાબેન ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા.
રોજ તેની સાથે થતા ઝઘડાને કારણે તેઓ ખૂબ જ ત્રાસી ગયા હતા. તેને કારણે મંગલાબેનએ તેમના પત્નીને કહ્યું કે, “આજ તુજે મારે ડાલુંગી એમ બોલતા બોલતા પાનના ગલ્લેથી અનિલને તેમની પત્ની ઘરે લઈને આવી હતી. ઘરે લાવ્યા બાદ મંગલાબેનને ગુસ્સો આવતા તેણે અનિલભાઈના ગ.ળે દુપટ્ટો બાંધીને અનિલભાઈને પતાવી દીધા હતા.
તેને કારણે અનિલભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. થોડી જ વારમાં અનિલભાઈનું મૃત્યુ થઈ જતા મંગલાબેન રડી રહ્યા હતા. તેઓ અનિલભાઈની લા.શ પાસે બેસીને રડી રહ્યા હતા. અનિલભાઈની લાશ ઘરમાં સીડી પાસે પડી હતી. તેઓ ખૂબ જ મોટે મોટેથી બૂમો પાડીને રડવા લાગ્યા હતા. જેને કારણે તેમની બાજુમાં રહેતા અનિલભાઈના ભાઈ સુનિલભાઈની પત્નીને આ ઘટનાની જાણ થઈ હતી.
જેને કારણે સુનિલભાઈની પત્નીએ સૌ કોઈ લોકોને ભેગા કર્યા હતા. સૌ અનિલભાઈના ઘરે ગયા હતા. તે સમયે જોયું તો અનિલભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. અનિલભાઈના ભાઈ સુનિલભાઈએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરી રહી હતી.
તે સમયે અનિલ ભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસને પોસ્ટમોર્ટ બાદ ઘટનાની જાણ થઈ હતી કે તેમનો આપઘાત નહી પરંતુ તેમની હ.ત્યા. થઈ છે જેને કારણે પોલીસ મંગલાબેનની કડક પૂછપરછ કરી રહી હતી. આ બનાવે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]