આજકાલના સમયમાં પરિવારમાં જ જોઈએ તેવું વર્તન અને ખુશીનો માહોલ મળતો નથી. અંદરો અંદર પરિવારના સભ્યોમાં જ કંઈક એવી ખીચડી પકાતી હોય છે કે, જે જ્યારે સામે આવે છે. ત્યારે સમાજમાં ઈજ્જત ચાલી જતી હોય છે. અને અન્ય સભ્યોને નીચું જોવાનો વારો આવતો હોય છે..
અત્યારે કંઈક આવી જ ઘટના સામે આવી છે. જેને લઇ એક પરિવારના ખૂબ જ ખરાબ હાલ થઈ ગયા છે. આ ઘટના જ્યારે બની ત્યારે ગામના સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જતી જિંદગીએ મરવા પડેલા આ ડોસાને એવું તો શું થયું હશે કે તેણે તેના દીકરાનું ઘર ભાંગવામાં કશું બાકી મૂક્યું નથી.
આ ઘટના રાજસ્થાનના બંસવાળાની છે. અહીં સેલોપાઠ વિસ્તાર પાસે એક યુવક પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના માતા પિતા અને તેની પત્ની તેમજ તેના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. આજથી પાંચ મહિના પહેલા તેના લગ્ન શર્મિલા નામની મહિલા સાથે થયા હતા..
જ્યારથી લગ્ન થયા ત્યારથી જ પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ દેખાઈ આવ્યો હતો. પરંતુ તેઓએ લગ્ન કરવા માટે પૈસા બહાર વ્યાજેથી લીધા હતા. આ વ્યાજનું ચુકવણું કરવા માટે પૈસા કમાવવાની ફરજ આવી પડી હતી. એટલા માટે શર્મિલાનો પતિ અમદાવાદ ખાતે એક કંપનીમાં નોકરી કરવા માટે ગયો હતો.
ત્યારે શર્મિલા તેના સાસુ સસરા અને દિયર સાથે રહેતી હતી. પરંતુ આ સમયે તેની સાથે એવી ઘટના બની છે કે, જે પરણીતાઓએ જાણી લેવી જોઈએ, આ ઘટના સૌ કોઈ લોકોને શરમમાં મૂકી દે તેવી છે. જ્યારે જ્યારે પણ ઘરેથી શર્મિલાની સાસુ તેમજ શર્મિલાનો દિયર બહાર જતા હતા..
ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને શર્મિલાના સસરા તેના ઉપર તૂટી પડતા હતા. તેઓ જ્યારે તેની નજીક આવતા હતા. ત્યારે તેને લાગ્યું કે, તેના સસરા તેના પર દાનત બગાડી બેઠી છે. એટલા માટે તે તેનાથી દૂર રહેવા લાગી હતી. પરંતુ એકલાપણનો લાભ લઈને શર્મિલાના સસરા તેની ખૂબ જ નજીક આવી ગયા..
અને જુદી જુદી લાલચો આપીને તેની સાથે શરીર સંબંધ પણ બનાવવા લાગ્યા હતા. જ્યારે જ્યારે શર્મિલા તેના સસરાને મનાઈ ફરમાવતી હતી. ત્યારે તે કોઈને કોઈ બાબતને લઈને તેને બદનામ કરવાની ધમકીઓ પણ આપતા હતા. શર્મિલા પાંચ મહિનાની અંદર જ સાસરે એટલી બધી કંટાળી ગઈ હતી કે, તે પોતાના પિયરે પણ રહેવા જતી રહી..
શર્મિલાના સસરાને જાણકારી મળી કે, હવે તેના દીકરાની વહુ સાથે તેને સારી સંબંધ બાંધવા નહીં મળે ત્યારે તેને એક જાળમાં ફસાવીને તેના દીકરાની વહુની બદનામી શરૂ કરી દીધી હતી. જ્યારે આ મહિલા ખૂબ જ કંટાળી ગઈ ત્યારે તેને તેના પતિને કહેવાનું વિચાર્યું પરંતુ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે મારા તો આ સસરા થાય છે..
પરંતુ મારા પતિના સગા પિતા છે. જ્યારે તેને જાણકારી મળશે કે તેના સગા પિતા જ તેની સગી પત્ની ઉપર ન કરવાની હરકતો આચરી બેઠા છે, ત્યારે તે શું વિચારશે.. એટલા માટે તેણે તેના પતિને કહ્યું નહીં, પરંતુ આ મામલાને લઈ તે આનંદપુરીના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરિયાદ નોંધાવી હતી..
તેને કહ્યું કે, તેના સસરાએ તેના ઉપર ન કરવાની હરકતો કરવામાં કશું જ બાકી મૂક્યું નથી. આ મહિલાના નિવેદનના આધારે ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે જરૂરી તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. જ્યારે ઘટનાની જાણકારી અને શર્મિલાના પતિને થાય ત્યારે તેઓના ડોળા ફાટેલાને ફાટેલા જ રહી ગયા હતા..
તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું…? શર્મિલાનો પતિ શર્મિલાને કહેવા લાગ્યો કે, જો તારા ઉપર આટલું બધું ખોટું કામ થતું હતું. તો તારે મને એક વખત જાણકારી આપવી જોઈએ, આ તારી ફરજ છે કે, તારી સાથે થયેલી કોઈ પણ ઘટનાની જાણ મને હોય પરંતુ તે મને કોઈ પણ જાણકારી આપી નથી..
તો બીજી બાજુ સાસુ તો માનવા માટે તૈયાર નથી કે આ વાતો સત્ય છે. આ બાબતને લઈને દિયર પણ ખૂબ જ હચમચી ગયો છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સાંભળવા મળે છે ત્યારે ત્યારે શરમનો અનુભવ થવા લાગે છે કારણ કે કેટલાક લોકો પરિવારના અંદરો અંદરના સબંધને લજવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]