પરિવારનું ગાડું જો દરેક વ્યક્તિમાં સારી સમજણ અને સહન કરવાની શક્તિ હોય તો ખૂબ જ સારૂ ચાલે છે. પરંતુ જ્યારે પરિવારમાં અંદરો અંદર જ ઝઘડાઓ થતા હોય ત્યારે પરિવારની એકતા લાંબો સમય સુધી ટકી શકતી નથી અને બહારનું કોઈ ત્રીજો વ્યક્તિ પરિવારને ભાંગીને જતો પણ રહે છે અને ખબર પણ પડતી નથી..
આવી ઘણી બધી ઘટનાઓ આપણે નજર સમક્ષ અવારનવાર સામે આવતી હોય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં મોટાભાઈ ની પત્નીને કારણે સમગ્ર પરિવાર વેરવિખેર થયો છે. અને આ ઘટનામાં પરિવારનો નાનો દીકરો પણ સામેલ હતો. પરમેશ્વરભાઇ તેમના બંને દીકરા ના કુટુંબ સાથે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા..
પરમેશ્વરભાઇના મોટા દીકરાનું નામ સુમિત હતું. જ્યારે નાના દીકરાનું નામ અજય હતું. સુમિતના લગ્ન થઈ ચૂક્યા હતા જ્યારે અજય માટે સારી કન્યા શોધી રહ્યા હતા. સુમિતની પત્ની શીતલ તેના સાસુ સસરાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. પરંતુ એક વખત શીતલ અને અજયની એવી મિલીભગત સામે આવી છે. જેને જાણીને હવે આ પરિવારમાં ફાટા પડી ગયા છે..
તેમજ પરિવારનો માળો વિખાઈ ગયો છે. સુમિત તેના પિતા પરમેશ્વર ભાઈ સાથે પોતાની કાપડની મિલે નોકરી ધંધા માટે જતા હતા. જ્યારે અજય ઘરે આરામ ફરમાવતો હતો. પરિવારના બધા સભ્યોએ તેને નોકરી ધંધે જવા માટે જણાવ્યું હતું. પરંતુ તે થોડા દિવસ ઘરે બેસીને આરામ કરવા માંગે છે. તેવું જણાવ્યું હતું..
જ્યારે સુમિત અને પરમેશ્વરભાઇ નોકરી ધંધે જતા તો બીજી બાજુ શીતલની સાસુ પણ ગામડે રહેવા માટે ચાલી ગઈ હતી. એવામાં ઘરે માત્ર શીતલ અને તેનો દિયર અજય બન્ને રહેતા હતા. આ એકાંતના સમયમાં બંને ખૂબ જ પ્રેમ ભરી વાતો કરતા હતા. શરૂઆતમાં તો લાગ્યું કે, તેઓ એકદમ નોર્મલ બાબતો ચર્ચા કરી રહ્યા છે..
પરંતુ ધીમે ધીમે તેઓ આ વાતચીત અને લઈને ખૂબ જ નજીક આવા લાગ્યા હતા. શીતલ ધીમે ધીમે અજયની ખૂબ જ નજીક આવી અને અજય અને શીતલ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તેઓ એક પણ મારે વિચાર કર્યો નહીં કે, તેઓ સંબંધમાં ભાભી અને દિયર થાય છે.
આ ઉપરાંત આ ઘટનાની જાણકારી જ્યારે પરિવારના અન્ય સભ્યો તેમ જ સુમિતને થશે ત્યારે તેઓ શું વિચારશે અને પરિવારને શું ઈજ્જત બાકી બચીને રહેશે, તેઓએ કશું જ વિચાર કર્યા વગર એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. અને અવારનવાર જ્યારે એકાંતનો સમય મળે ત્યારે રંગરેલીયા મનાવતા હતા.
આ બંનેની ઘરમાં વાત વર્તણુક પણ ખૂબ જ પ્રેમ ભરેલી થઈ જતા એક દિવસ સુમિતને શંકા જવા લાગી હતી. તેને વિચાર આવ્યો કે અજય તેની પત્નીની ખૂબ જ નજીક આવી રહ્યો છે. પરંતુ બીજી ક્ષણે તેને વિચાર આવી ગયો કે અજય તેનો નાનો ભાઈ છે. અને તે ક્યારેય આવું કામ નહીં કરે..
પરંતુ થોડા દિવસો બાદ જ્યારે તે ઓફિસ જવા માટે નીકળ્યો અને પોતાનો મોબાઈલ પણ ઘરે ભૂલી ગયો હતો. તે પોતાનો ફોન લેવા માટે અંદાજે બે કલાક બાદ ઘરે પરત ફર્યો ત્યારે તેને બારીમાંથી જોયું તો તેની પત્ની અને તેનો નાનો ભાઈ બંને રંગરેલીયા માનવતા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તેનો પિત્તો ફાટી ગયો..
અને તે રૂમમાં પ્રવેશતાની સાથે જ બંનેને એક એક લાફા ચોડી દીધા હતા. અને સમજાવ્યા કે તમે શા માટે આ પ્રકારના કારનામાઓ કરો છો..? આ કારનામાઓને કારણે મારી તેમજ માતા પિતાની ઈજ્જતને શા માટે દાવ ઉપર લગાવી છે..? આમ કહીને સુમિત ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો…
અને તેને શીતલ અને અજય બંનેને ખૂબ જ ઠપકો આપ્યો હતો. શીતલ અને અજય એકબીજાને એટલા બધા પ્રેમ કરી બેઠા હતા કે, તેઓએ સુમિતને રસ્તા પરથી સાફ કરી દેવાનું વિચાર્યું હતું. એક દિવસ તેઓએ સુમિતના જમવામાં ઝેર ભેળવી દીધું હતું. અને સુમિતને મોતને ઘાટ ઉતારીને તેની લાશને ગામના પાદરે ફેંકી દીધી હતી.
આ મામલો નવાપુર ગામનો છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે એકાએ હડકંપ મચી જવા પામ્યો હતો. સુમિતને કોણે મારીને ફેંકી દીધો હશે એ જાણવા પણ સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેમાં પરિવારજનોની કડક પૂછતા જ કરતા પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવી ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]