Breaking News

પતિએ હેડ કોન્સ્ટેબલ પત્નીને ગળું દબાવી પતાવી દઈ પોતે પણ લટકીને આપઘાત કરી લીધો, 14 વર્ષની દીકરો નોધારો થયો..વાંચો..!

અત્યારે આપઘાતના બનાવો એવી સરળ રીતે બનવા લાગ્યા છે કે જાણે ચણા મમરા ચાવવાનું કામ હોઈ, જીવના મુલ્યને સમજ્યા વગર થોડુક દુઃખ શું આવી પડે કે સોના જેવી કીમતી જિંદગીને પડતી મૂકીને લોકો જીવન ટૂંકાવા લાગ્યા છે જે બિલકુલ ખોટું છે. હાલ એક માતા-પિતાએ ન કરવાનું કરી નાખ્યું છે..

જેના કારણે તેમનો દીકરો નોધારો થયો છે. આ બનાવ ફરીદાબાદમાં સેક્ટર-31નો છે. થાણાના જાટુસણાના બલધનમાં રહેતી સરોજ ના લગ્ન નાનગવાસમાં રહેતા ધર્મેન્દ્ર સાથે 2005ની સાલમાં થયા હતા. સરોજ 2010માં હરિયાણા પોલીસમાં ભરતી થઈ હતી અને 2018માં કોન્સ્ટેબલ બની હતી.

હાલ મહિલા પોલીસ સ્ટેશન એનઆઈટીમાં ફરજ બજાવતા હતા. ધર્મેન્દ્ર પોતાની કાર ટેક્સી તરીકે ચલાવતા હતા. સરોજ અને ધર્મેન્દ્રને લગ્ન જીવન દરમિયાન 14-15 વર્ષનો એક પુત્ર છે, જે સાથે રહે છે. એક દિવસ તે ટ્યુશન ગયો અને ઘરમાં ખુબ જ દુખદ ઘટના બની ગઈ હતી. તે જ્યારે ટ્યુશનથી પરત આવ્યો અને અંદરથી દરવાજો ન ખૂલતા..

પુત્રએ સામે રહેતા અન્ય પોલીસ પરિવારના ઘરે સૂઈ ગયો હતો. અવાર નવાર માતા ફરજ પર હોય ત્યારે ઘણીવાર દીકરો પાડોશમાં સૂઈ જતો કારણ કે માતા ફરજ પર અને પિતા પણ કાર ચલાવવામાં વ્યસ્ત હોઈ છે.. ગઈકાલે પણ જ્યારે તે ટ્યુશનથી પાછો આવ્યો અને અંદરથી દરવાજો ન ખોલ્યો ત્યારે તેને લાગ્યું કે તેના માતા-પિતા સૂઈ રહ્યા છે, જેથી તે પડોશના ઘરમાં સૂઈ ગયો હતો.

સવારે 7.30 વાગે દૂધવાળો આવ્યો અને 2-3 વાર બેલ માર્યા બાદ પણ અંદરથી દરવાજો ન ખોલતાં તેણે પડોશીઓને આ અંગે જાણ કરી હતી. જ્યારે પડોશીઓએ બારીમાંથી ડોકિયું કર્યું તો સરોજ પલંગ પર પડી હતી અને ધર્મેન્દ્ર લટકતો હતો, પાડોશીઓએ સેક્ટર 31 પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બારીમાંથી ઘરમાં પ્રવેશી બંનેના મૃતદેહનો કબજો લઈ બીકે હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમ માટે રાખ્યો હતો. બંનેના પરિવારજનો બી.કે.હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ કરાવી બંનેના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે, મૃતક હવાલદાર સરોજના શોક માટે પતિના ગામની સલામી રવાના કરવામાં આવી છે.

બંનેના અંતિમ સંસ્કાર સરોજના સાસરે, પતિના ગામ ખાતે કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હ.ત્યાનું કારણ જાણી શકાશે કે હ.ત્યા કેવી રીતે કરવામાં આવી. લીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલની ટીમ સાથે જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે.

આ મામલામાં પોલીસે મૃતક હેડ કોન્સ્ટેબલ સરોજના પિતાના રિપોર્ટના આધારે હ.ત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટનાસ્થળે તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિલાની લાશ પલંગ પર પડી હતી અને પુરુષની લાશ પંખા સાથે લટકતી હતી. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. લટકતી લાશ નીચે લાવવામાં આવી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બીકે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકતો સામે આવી છે તેમાં હ.ત્યાનું કારણ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો હોઈ શકે છે. કારણ કે પત્ની સરોજ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતી અને સરકારી નોકરી કરતી હતી. જ્યારે પતિ પોતાની ટેક્સી જાતે ચલાવતો હતો. આવી સ્થિતિમાં પત્ની સરોજ ઘરમાં પતિ ધર્મેન્દ્ર સાથે સુરક્ષિત નોકરી શોધવા માટે ઘણી વખત વાત કરતી હતી..

અને તેના કારણે તેઓ વચ્ચે ઝઘડો પણ થતો હતો, જેના કારણે ઘરમાં કંકાસ સર્જાયો હોવો જોઈએ અને પતિએ હ.ત્યા કરી નાખી હતી.  પતિએ હેડ કોન્સ્ટેબલ પત્નીનું ગળું દબાવીને હ.ત્યા. કર્યા બાદ પંખાથી લટકીને આપઘાત કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *