આજકાલ લોકો પોતાના ઘરે પણ સુરક્ષિત રહી શકતા નથી. ઘરમાં જ લોકો સાથે મોટી દુર્ઘટનાઓ બની રહી છે, આવી દુર્ઘટનાઓ બનતા પરિવારના સભ્યો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. દિવસેને દિવસે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે.
જેમાં વધુ એક ઘટના હાલમાં ગ્વાલિયર શહેરના જનકગંજ પાસે આવેલી અયોધ્યા નગરીની શેરીમાં બની હતી. અયોધ્યા નગરીમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમનું બાળક રહેતા હતા. પતિનું નામ મનીષ શર્મા હતું. તેઓ અયોધ્યા નગરીની શેરી નંબર-2 માં રહેતા હતા. તેમની પત્નીનું નામ માલા શર્મા હતું.
માલા શર્માની ઉંમર 26 વર્ષની હતી. તે બંનેના લગ્ન 2-3 વર્ષ પહેલા થયા હતા, જેના કારણે મનીષ પોતાની પત્ની સાથે અયોધ્યા નગરી શેરીમાં ભાડેના મકાનમાં રહેવા માટે આવ્યા હતા, મનીષ જૂની હાઇકોર્ટ પાસે આવેલી હોટલ સિટી ગ્રાન્ટમાં મેનેજર તરીકેની નોકરી કરતા હતા. સારી એવી આવક થતી હતી જેના કારણે તેનું પરિવાર પણ ખૂબ જ સારી રીતે ચાલતું હતું.
મનીષ અને માલાના પરિવારિક જીવન દરમિયાન તેમને એક સંતાન હતું. બાળકની ઉંમર દોઢ વર્ષની હતી. તેમને એક દીકરો હતો. પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. મનીષ દરરોજ સવારના સમયમાં હોટલ જવા માટે ઘરેથી નીકળતા હતા અને બપોરે ત્રણ વાગ્યે તેઓ ઘરે પરત આવતા હતા.
એક દિવસ પણ તેઓ દરરોજની જેમ સવારના સમયે હોટલ જવા માટે નીકળ્યા હતા અને બપોરે ત્રણ વાગ્યે તેઓ ઘરે આવ્યા હતા, ત્યારે તેમને ઘરમાં જોયું તો તેઓ ચોકી ગયા હતા અને તેઓ જે સ્થિતિમાં ઉભા હતા તેમ જ ઉભા રહી ગયા હતા, તેમણે જોયું તો તેમના ઘરના તમામ દરવાજા ખુલ્લા હતા. જેને કારણે તેઓ ઘરમાં ગયા હતા.
તેમની પત્ની અને બાળકને શોધતા હતા. તે સમયે જોયું તો તેમની પત્ની માલા પલંગ પર પડેલી હતી અને તેમનો દોઢ વર્ષનો દીકરો માલાના પેટ ઉપર રમી રહ્યો હતો. તરત જ મનીષભાઈએ તેમની પત્ની માલાને હલબલાવી હતી અને જગાડવાની કોશિશ કરી હતી પરંતુ માલા ઉઠી ન હતી અને તરત જ તેણે ઘરમાં બીજી રૂમમાં જોયું તો કબાટ ખુલ્લા હતા.
બધો જ ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો. તેમને કબાટમાં તપાસ કરતાં જોયું તો તિજોરી પણ ખુલ્લી હતી અને આ જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા અને ઢળી પડ્યા હતા. તેમણે જોયું તો તેમના તિજોરીમાં મુકેલો સામાન ગાયબ હતો. જેમાં 10 તોલા સોના-ચાંદીના દાગીના અને 50,000 રોકડ મૂકી હતી. તે ગાયબ હતી.
જેના કારણે તરત જ તેમની પત્નીને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે પત્નીને મૃત જાહેર કરી હતી. તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. આડોસ પાડોસના લોકો પણ તેના ઘરે ભેગા થઈ ગયા હતા. તેમના ઘરની ઉપર રહેતા મકાન માલિક ઘરે જ હતા પરંતુ આ ઘટના બની તેની કોઈ જાણ ન હતી. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવી હતી.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી. પોલીસે માલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી દીધો હતો, ત્યારબાદ તમામ તપાસ કરી હતી. પોલીસની શંકા હતી કે લુટેરાઓએ આ ઘટના કરી હશે જેના કારણે માલાનુ મૃત્યુ થયું હતું. પોતાના પરિવાર સાથે આવી ઘટના બની જતા મનીષ ખૂબ આઘાતમાં આવી ગયો હતો.
તેમના દોઢ વર્ષના બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી અને પતિએ પણ પોતાની પત્નીને ગુમાવી હતી તે ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. આજકાલ આવી અચાનક બનતી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]