Breaking News

પતિ દૂધ લેવા ગયો અને પત્નીને બંને બાળકોના ગળા દબાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પંખે લટકીને કર્યો આપઘાત, કારણ જાણવા પરસેવો છૂટી ગયો..!

આજકાલ બાળકો પ્રત્યે માતા-પિતાને કોઈ ખાસ હેત પ્રેમ રહ્યો ન હોઈ એવું જણાઈ રહ્યું છે. અવાર નવાર એવા મામલા સામે આવે છે કે જેમાં માતા કે પિતા જ કોઈને કોઈ કારણસર તેમના સગા દીકરા કે દીકરીની હત્યા કરી નાખે છે. અત્યારે દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એવી જ એક હત્યારી માતાનો બનાવ સામે આવ્યો છે.

કળિયુગી માતા એટલી નિર્દયી બની ગઈ હતી કે તેણે પોતાના હાથે થી જ પોતાના ખોળીએ જન્મેલા બાળકોને પતાવી દીધા છે. એટલું જ નહી પરતું આ નિર્દયી માતાએ માસૂમ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. મહિલાએ શા માટે આ આત્મઘાતી પગલું ભર્યું, તેનો જવાબ શોધવા પોલીસે હવે શોધખોળ હાથ ધરી છે.

ઘટના બાદ આસપાસના વિસ્તારમાં એકાએક સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિચારણા કરવામાં આવી રહી છે. આ દર્દનાક ઘટના લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની ઉત્તરાંચલ કોલોનીમાં સામે આવી છે. જ્યાં અરવિંદ મલિક પોતાના પરિવાર સાથે ઉત્તરાંચલ કોલોનીમાં રહે છે.

પરિવારમાં પત્ની પ્રિયા મલિક (25) ઉપરાંત 5 વર્ષની પુત્રી અને દોઢ માસનો પુત્ર હતો. પોલીસના જણાવ્યા અનુસાર પ્રિયાએ સોમવારે માસૂમ પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે અરવિંદ મલિક દૂધ લેવા બહાર ગયો હતો.

ઘટનાની માહિતી મળતાં જ લોની બોર્ડર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અખિલેશ કુમાર મિશ્રા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારી અતુલ કુમાર સોનકરે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ વિવિધ મુદ્દાઓ પર ચાલી રહી છે. અરવિંદ પ્રોપર્ટી ડીલિંગ ઉપરાંત જનરેટરથી વીજળી સપ્લાય કરવાનું કામ કરે છે. સોમવારે વહેલી સવારે તે બજારમાં દૂધ લેવા ગયો હતો.

જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની પ્રિયા અને બંને બાળકો વરંડાના ગેટ પર લટકેલા જોવા મળ્યા હતા. પ્રિયાના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું હતું અને પુત્રીના ગળામાં લાલ દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો. જ્યારે અંદર રૂમમાં 40 દિવસનો પુત્ર મૃત હાલતમાં પડ્યો હતો. અરવિંદે નજીકના નાગરિકોની મદદથી ઓટો બોલાવી અને ત્રણેયને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ ગયા.

જ્યાં તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.માતાએ બાળકોની હત્યા કરી હતી. કહેવાય છે કે પત્ની અને બે બાળકોના મૃત્યુ બાદ અરવિંદે તેના ભાઈ અમિત સાથે ફોન પર વાત કરી હતી. પરિવારજનોને ઘટનાની જાણ કર્યા બાદ અરવિંદે કહ્યું કે હું પણ પત્ની અને બાળકો સાથે સવારે 4 વ્યક્તિઓના અંતિમ સંસ્કાર કરવા જાઉં છું.

આ પછી અરવિંદનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. બાદમાં અરવિંદ જીટીબી હોસ્પિટલના શબગૃહની બહાર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. માતાએ બાળકોની હત્યા કરી હતી. અરવિંદ મલિક મૂળભૂત રીતે શામલી જિલ્લાના ઝાલ ગામનો રહેવાસી છે. લગભગ 8 વર્ષ પહેલા અરવિંદ અને પ્રિયાએ લવ મેરેજ કર્યા હતા. પાડોશીઓના કહેવા પ્રમાણે, પ્રિયા મલિક સામાન્ય હતી.

તેને કોઈ માનસિક સમસ્યા પણ નહોતી. દંપતી વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. લગ્ન બાદ થોડા સમય માટે બધુ બરાબર હતું પરંતુ બાદમાં તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. હાલ પોલીસ અનેક સવાલોના જવાબ શોધી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *