Breaking News

પરિવાર પરિક્રમા કરીને ઘરે પરત ફરતી વેળાએ ટ્રક સાથે ટક્કર લાગતા એક જ પરિવારના 5 લોકોના જીવ ગયા, શરીરના ઉડી ગયા કુચા..!

રોજ માર્ગ અકસ્માતો ખૂબ જ વધી ગયા છે. જો ડ્રાઇવ કરનાર વ્યક્તિનું ધ્યાન સહેજ પણ આડા અવળું થાય કે હાઈવે ઉપર અકસ્માત સર્જાઇ જતો હોય છે. અને ગાડીમાં બેઠેલા તમામ લોકોના જીવ જોખમમાં મુકાઇ જતા હોય છે. અકસ્માતમાં રોજ મૃત્યુના પણ ઘણા બધા બનાવો સામે આવવા લાગ્યા છે..

અને હાલ રાજસ્થાનના અલવર પાસેથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંયા સવારના સમયે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ બંને વચ્ચેની અથડામણમાં એટલી ભયંકર હતી કે કાર પાંચ થી છ ગુલાટી મારીને રોડ નીચે ઉતરી ગઈ હતી. અને તેની અંદર રહેલા લોકો મૃત્યુ પામ્યા છે.

રાજસ્થાનના માલખેડાના જમાલપુર ગામમાં વિરેન્દ્રસિંહ પોતાના પરિવારજનો સાથે રહે છે. વિરેન્દ્રસિંહની બહેન પૂનમ અને તેના જીજાજી સુરેન્દ્ર આ ઉપરાંત વિરેન્દ્ર કાકાનો દીકરો અંકિત તેમજ અંકિતની બહેન શિવાની આ પાંચ લોકો ગોવર્ધન ગિરિરાજની પરિક્રમ્મા કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે સવારના 05:30 વાગ્યા આસપાસ હાઈવે ઉપર જઈ રહ્યા હતા..

ત્યારે કાઠુંમરના વળાંક પાસે પહોંચી અને સામેથી આવતા ટ્રકે અચાનક જ ટક્કર લગાવી દેતા કાર ગુલાટી મારીને રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. તેની અંદર રહેલા વિરેન્દ્રસિંહ, પૂનમ, સુરેન્દ્ર ,અંકિત, અને શિવાનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પૂનમનો દસ વર્ષનો દીકરો પુરવ તેમજ વિરેન્દ્રની પત્ની અને વિરેન્દ્રભાઈ અંકિતની પત્ની રશ્મી આ તમામ લોકો ઘાયલ થયા છે.

હાઈવે પર અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવીને અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. સમગ્ર કાર પડીકું વળી ગઇ હતી. અને જ્યાં જુઓ ત્યાં લોહી દેખાઈ આવ્યું હતું. આ ઉપરાંત જે લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા તેમની પણ ચીખો નીકળી ગઈ હતી. તાત્કાલિક ઘાયલ લોકોને 108 બોલાવીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા..

જ્યારે લાશોને સબ વાહિનીને બોલાવીને અંતિમ સંસ્કાર માટે પોતાના ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે હાજર થઈ હતી. આસપાસના લોકોએ જણાવ્યા મુજબ ટ્રક ખુબ જ વધારે ગતિથી આવી રહ્યો હતો અને ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાને કારણે આ કારને ટક્કર મારી દીધી હતી..

પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે વીરેન્દ્રના પિતા ઓમકાર સિંગ અને અંકિત ના પિતા પ્રહલાદ સિંહને જાણ થઈ કે તેમના દીકરાઓ અને દીકરીઓનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતા જ તેઓ તેને ત્યાં ઢળી પડ્યા હતા કારણકે તેમના ઘરેથી એક સાથે પાંચ-પાંચ આવૃત્તિઓ નીકળી હતી..

આવું કરુણ દૃશ્યો જોઈને ગામના તમામ લોકોની આંખમાં આંસુ સરી પડ્યા હતા. સમગ્ર ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. એક જ સ્મશાનમાં પાંચ લોકોના અંતિમ સંસ્કાર કરતાની સાથે જ ઓમકારસિંહ ખૂબ જ ભાંગી પડ્યા હતા. જ્યારે પ્રહલાદસિંહ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

વિરેન્દ્ર અને અંકિત બંને  ભાઈના લગ્ન માત્ર ૧ મહિના પહેલા જ થયા હતા અને એવામાં અકસ્માતમાં તેમના પતિના મૃત્યુ થઇ જતાં આ બંને મહિલાઓ વિધવા બની ગઈ છે. હજુ તેમના હાથમાંથી લગ્નની મહેંદી પણ ગઈ નથી. એ પહેલાં જ તેઓ વિધવા થઈ જતા ભારે દુખનો માહોલ સર્જાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *