Breaking News

પરિવાર ઘરે આવ્યો અને દરવાજાનો નકુચો તૂટેલો જોઈ ઘરમાં પ્રવેશ્યો, બેડરૂમમાં જતા જ આવ્યો રોવાનો વારો..!

આજકાલ દરેક વ્યક્તિઓથી ઘણી બધી ચીજ વસ્તુઓ છુપાવી પડે છે. કારણ કે દરેક બાબતોની જાણ ખુલ્લેઆમ કરવાથી ક્યારે ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો કોઈ વ્યક્તિને જાણ થઈ જાય કે કોઈ પરિવાર દસ દિવસ સુધી ઘરે આવવાનો નથી. તો કોઈક વખત તેના ઘરે હાથ ફેરો થવાની પણ શક્યતા રહે છે..

ચોર લૂંટારાઓ આવા મોકા મળતા જ કોઈ ઘરને પોતાના નિશાને લૂંટી નાખે છે. બે દિવસ પહેલા મોટી ભોયણ ગામમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કલોલ તાલુકાના બોરીસણા રોડ ઉપર ઈશ્વર કૃપા ફ્લેટ આવેલો છે. જેમાં દિનેશભાઈ હરગોવનભાઈ દરજી પોતાના પરિવારજનો સાથે રહે છે..

તેઓ મોટી ભોયણ ગામમાં દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે કોરોનાનો સમય શરૂ થઈ ગયો ત્યારે તેઓ મોટી ભોયણ ગામ ખાતે પોતાના પરિવારજનોને લઈને પોતાના જૂના મકાને રહેવા માટે આવી ગયા હતા. ત્યાં જ તેઓ દરજીકામ કરતાં અને જીવન ગુજારતા પરંતુ જ્યારે તેમના દીકરા દીકરીઓની સ્કૂલ શરૂ થઈ ગઈ ત્યારે તેઓ ફરી પાછા બોરીસાના રોડ ઉપર પોતાના નવા ફલેટ પર રહેવા માટે ચાલ્યા ગયા હતા..

તેઓ પોતાના નવા ફ્લેટથી મોટી ભોયણ ગામ પોતાની દુકાને રોજ આવવા માટે અપડાઉન કરતા હતા. એક દિવસ દિનેશભાઈ પોતાના દુકાને દરજીકામ કરતા હતા ત્યારે તેના પિતા હરગોવનભાઈ બપોરના 12:00 વાગે આસપાસ તેમના માટે ટિફિન લઈને દુકાને આવ્યા હતા. પરંતુ અચાનક જ દિનેશભાઈએ પોતાના પિતા હરગોવનભાઈને કોઈ કામકાજ માટે મોટી ભોયણમાં આવેલા પોતાના જૂના ઘરે મોકલ્યા હતા..

જ્યારે હરગોવનભાઈએ ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો તૂટેલો જોયો એટલે તાત્કાલિક તેને શંકા ગઈ હતી અને તેને તાત્કાલિક તેના દીકરા દિનેશને ફોન કરીને જણાવી કે તું ફટાફટ આપણા જૂના ઘરે આવી જા.. કારણ કે અહીંયા ખૂબ જ મોટો બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યો છે. તાત્કાલિક ધોરણે દિનેશભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા.

આ ઉપરાંત તેમનો પરિવાર પણ ત્યાં પહોંચ્યો અને ઘરની અંદર પ્રવેશીને જોયું તો ઘરની અંદર રહેલો તમામ સામાન અસ્તવ્યસ્ત હતો. આ ઉપરાંત ઘરમાં સારી રીતે મૂકેલી તમામ ચીજ વસ્તુઓને વેરવિખેર કરવામાં આવેલી હતી. બેડરૂમમાં જતા જ દિનેશભાઈના હોશ ઉડી ગયા હતા અને રોવાનો વારો આવ્યો હતો..

કારણકે તિજોરીનો લોક તૂટેલો હતો અને તિજોરીની અંદર રહેલા તમામ સામાન પણ ગાયબ હતા. જેમાં કુલ પાંચ લાખ રૂપિયા આસપાસની રકમ તેમજ દાગીના હતા બે ચાંદીના બિસ્કીટ તેમજ એક સોનાનું મંગળસૂત્ર એક સોનાનું લોકેટ એક પાતળી ચેન મળીને પાંચ લાખ રૂપિયાની રકમની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો.

દિનેશભાઈ અને તેના પરિવાર એ દિવસ રાત મહેનત કરીને આ પૈસા કમાયા હશે. અને ચોર લૂંટારાઓ માત્ર બે દિવસની અંદર અંદર આ તમામ ચીજ વસ્તુઓ ચોરી કરીને ચાલ્યા ગયા છે. આ દુઃખને સહન કરવું કોઈ વ્યક્તિ માટે સરળ નથી. તાત્કાલિક દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આટલી મોટી રકમની ચોરી થતા પોતાના સૂત્રો ગતિમાન કરીને આ ચોર લૂંટારા ને પકડી પાડવા માટે જરૂરી તાજવી જાત ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *