Breaking News

પાણીના ટાંકામાંથી વાસ આવતા મજુરોને સાફ કરવા બોલાવ્યા, અંદર ઉતરેલા મજૂરોએ જોઈ લીધું એવું કે કામ મૂકીને ભાગવા લાગ્યા..!

હજુ પણ ચોંકાવનાની ઘટનામાં કોઈ પણ ઘટાડો નોંધાયો નથી દિન પ્રતિ દિન માણસના મગજ ફેરવી નાખે તેવી ચોંકાવી દેતી ઘટનાઓ વધારે માત્રામાં સામે આવી લાગે છે. અત્યારે પરાગ સોસાયટીમાં રહેતા ઈશ્વરસિંહ નામના વ્યક્તિના ઘરેથી ખૂબ જ મોટો હોબાળો મચાવી દેતી ઘટના સામે આવી છે..

ઈશ્વરસિંહ તેના પરિવારજનો સાથે રહે છે. એક દિવસ અચાનક જ તેમના પાણીના ટાંકામાંથી ખૂબ વધારે માત્રામાં દુર્ગંધ આવવા લાગી હતી. તેઓ થોડા દિવસ માટે પોતાને વતન રહેવા માટે ગયા હતા અને ત્યારબાદ જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે પાણીના ટાંકા માંથી અસહ્ય વાસ આવતી હતી.

તેઓએ વિચાર્યું કે, છેલ્લા દસ પંદર દિવસથી ઘર બંધ છે. એટલા માટે આ ટાંકામાંથી વાસ આવે છે. મજૂરોને બોલાવ્યા હતા અને આ પાણીના ટાંકાને સાફ કરવાનું જણાવ્યું હતું. તેઓએ વિચાર્યું કે, એક વખત આ ટાંકામાંથી તમામ પાણી બહાર કાઢીને ટાંકાને સાફ કરી નાખવામાં આવે તો કદાચ વાસ આવવાનું બંધ થઈ જશે…

પરંતુ જ્યારે મજૂરોને આ ટાંકાની અંદર ઉતરીને સાફ-સફાઈ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે મજૂરો પણ કામે લાગી ગયા હતા. પરંતુ પાણીના ટાંકાની અંદરથી તેઓને એવી ચીજ વસ્તુ મળી છે કે, તે જોઈને મજૂર લોકો કામ મૂકીને ભાગવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને ઈશ્વરની અને તેના પરિવારજનો ખૂબ જ હચમચી ઉઠ્યા હતા કે, આખરે પાણીના ટાંકીની અંદર એવું તો શું દેખાય છે કે, તેને જોઈને મજૂરો ભાગવા લાગ્યા છે..

અંતે ઈશ્વરસિંહ પણ પાણીના ટાંકાની અંદર ઉતર્યા અને જોયું તો એક અજાણી યુવતીની લાશ પાણીની અંદર તરતી હતી. બસ આ દ્રશ્ય જોઈને તેઓને પણ ત્યાં ને ત્યાં જ ઉલટી થવા લાગી હતી. તાબડતોબ આ ઘટનાના સમાચાર આખી સોસાયટીમાં ફેલાઈ ગયા હતા. સૌ કોઈ લોકો આ દ્રશ્ય જોવા માટે ઈશ્વરસિંહના ઘરની આસપાસ એકઠા થઈ ગયા હતા..

સોસાયટીના પ્રમુખે તો પોલીસને પણ ફોન કરીને જાણકારી આપી દીધી હતી કે, ઈશ્વરસિંહના પાણીના ટાંકામાંથી એક અજાણી યુવતીની લાશ મળી આવી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ પણ શરૂ કરી હતી. આ અજાણી યુવતીની લાશને પાણીના ટાંકામાંથી બહાર કાઢવામાં આવી હતી..

આ યુવતી સોસાયટીની જ કોઈ વ્યક્તિ છે કે, પછી અન્ય કોઈ વ્યક્તિ છે. તેની તપાસ મેળવવામાં આવી હતી. ઈશ્વરસિંહ અને તેમના પરિવારને પણ આ યુવતીને ઓળખતા નથી તેવું જણાવી દીધું હતું. તો આખરે આ લાશ તેમના ઘરની અંદર કેવી રીતે આવી તે જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે..

તેમના ઘરે પાણીનો ટાંકો ખુલ્લી જગ્યામાં હોવાથી કોઈક વ્યક્તિ આ યુવતીને મારીને આ ટાંકાની અંદર ફેંકી દીધી હોય તેવું પણ બની શકે છે. આ મામલે જુદા-જુદા એન્ગલથી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પરિવારજનોના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ એક આ પ્રકારનો જ મામલો સામે આવ્યો હતો કે..

જેમાં અગાસી ઉપર રહેલા પ્લાસ્ટિકના પાણીના ટાંકાની અંદર એક નાના બાળકને મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ આ બાળક મકાનમાં રહેતા એક વ્યક્તિના દીકરા હોવાનું સામે આવ્યું હતું અને ઘરેલુ ઝઘડાની અંદર ઘરના સભ્યોના બાળકને મોતને ઘાટ ઉતારવા માટે પાણીના ટાંકાની અંદર બંધ કરી દીધો હતો. પરંતુ આ મામલો બિલકુલ જુદો છે. જેણે સૌ કોઈ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *