આજના સમયમાં નાના બાળકોની સાથે એવા દર્દનાક કિસ્સાઓ બની રહ્યા છે કે, જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. માતા-પિતાનું બાળક પરથી જરાપણ ધ્યાન દૂર જતા બાળકો પોતાની સાથે જીવલેણ ઘટનાઓ ઘડી રહ્યા છે. એક આવો જ એક કરુણ કિસ્સો હાલમાં સામે આવ્યો છે. આ કિસ્સો ઘોલાના હાપુડમાં કાજીવાડા મોહલ્લામાં રહેતા પરિવાર સાથે બન્યો હતો.
પરિવારમાં પતિ-પત્ની અને તેમનો અને તેમના બાળકો રહેતા હતા. પતિ જાવેદભાઈ પોતાની પત્ની દક્ષાબેન સાથે રહે છે. તેમને સંતાનમાં બે બાળકો છે જેમાં એક દીકરી અને દીકરો છે. દીકરીની ઉંમર 4 વર્ષની છે અને દીકરો દોઢ વર્ષનો હતો. દીકરાનું નામ અયાન હતું. અયાન નાનો હોવાથી પરિવારમાં દરેકનો લાડકો દીકરો હતો.
અયાનને આસપાસના પાડોશીના લોકો પણ રમાડવા માટે લઈ જતા હતા પરંતુ અયાન ખૂબ જ અટકચાળો હોવાને કારણે દરેક લોકો તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. અયાનને દરરોજ તેમની માતા ટેરેસ ઉપર નાહવા માટે લઈ જતી હતી. શિયાળાનો સમય રહેતા આયનને તડકે નવરાવતી હતી. જેના કારણે અયાનને ઠંડી લાગે નહીં.
એક દિવસ દક્ષાબેન તેમના દોઢ વર્ષના દીકરા અયાનને નાહવા માટે ટેરેસ ઉપર લઈ ગઈ હતી. તેમના પતિ ધંધે ગયા હતા અને અયાનને નાહવા માટે માતા ટેરેસ ઉપર લઈ ગઈ અને ત્યાં અયાનને એક બાજુ પર બેસાડીને પાણી ભરવા માટે ટબ મુક્યું હતું. પાણીનું ટબ ભરાતું હતું. ત્યારે અયાન પાણીને જોઈને પાણીમાં રમવા માટે ટબ પાસે પહોંચી ગયો હતો.
આજ સમયે દક્ષાબેનને તેમની માતાનો ફોન આવ્યો હતો. ફોન આવતા આજ દક્ષાબેને ફોન હાથમાં લીધો હતો અને તેમની માતા સાથે તે વાત કરી રહી હતી. પાણીનું ટબ ભરાઈ જતા દક્ષાબેને ફોનમાં વાત કરતા કરતા પાણીના ટબને એક બાજુ પર મૂક્યું હતું અને ટબની આસપાસ અયાન રમી રહ્યો હતો.
દક્ષાબેન ફોનમાં વાત કરવામાં એટલા મગ્ન થઈ ગઈ કે તેને અયાન ટબમાં રમી રહ્યો છે તે પણ ધ્યાન રહ્યું નહીં. અને તેની માતાએ ફોનમાં કોઈ કામ કહ્યું હતું. જેના કારણે માતાનું કામ કરવા માટે તે નીચે પોતાના ઘરે ગઈ હતી અને તેને લાગ્યું કે, અયાન રમી રહ્યો છે અને તે તરત પાછી આવે છે તેમ વિચારીને નીચે ગઈ હતી.
ત્યારબાદ થોડીવાર પછી જ્યારે તે ફરી ટેરેસ ઉપર આવી અને તેણે જોયું તો અયાન ટબમાં પડેલો હતો. અયાનનું માથું ટબમાં પાણીમાં હતું અને તેમના પગ બહાર હતા. અયાનનું પાણીમાં મોઢું નીચે પડવાને કારણે અયાન ચીસ પાડી શક્યો નહીં અને તે બહાર પણ નીકળી શક્યો નહીં. રમતા રમતા અચાનક જ અયાન પાણીના ટબમાં પડી ગયો હતો.
5 મીનીટમાં ડૂબી ગયો. તરત જ અયાનની માતા દક્ષાબેને ચીસો પાડી હતી. જેના કારણે પાડોશીના લોકો અયનના ઘરે પહોંચ્યા અને દરેક લોકોએ જોયું તો અયાન ટબમાં પડેલો હતો. અયાનની માતા આ હાલતમાં જોઈને ખૂબ જ રડી રહી હતી. તેમના પાડોશીના લોકો તરત જ અન્ય હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરે આયર્નનું મૃત્યુ થઈ ગયું છે તેમ કહ્યું હતું.
આ વાત સાંભળતા તેમની માતા બેહોશ થઈને ઢળી પડી હતી. ત્યારબાદ પાડોશીના લોકોએ અયાનના પિતા જાવેદને આ વાતની જાણ કરી હતી. જેના કારણે જાવેદ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના બાળક સાથે આવી કરુણ ઘટના બની જતા તેઓ પણ આઘાત સહન કરી શક્યા નહીં. અયાનની માતા દક્ષા પોતાને આ ઘટના બની તેની જવાબદાર માનતી હતી.
કારણ કે દક્ષાબેનની લાપરવાહીને કારણે પોતાના દીકરાએ જીવ ગુમાવ્યો છે તેમ વિચારીને પોતાને દોષી માની રહી હતી. એક દીકરાએ અચાનક પોતાનો જીવ ગુમાવ્યો હોવાને કારણે પરિવારના લોકો આઘાત સહન કરી શકયા નહિ અને એની ખૂબ જ રડી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાની જાણ થતા દરેક માતા-પિતા ચોકી ગયા હતા અને તેઓ પોતાના બાળકોને એકલા મૂકી રહ્યા ન હતા. બાળકોનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]