શહેરની અંદર કેટલાક લોકો છુપાઈ છુપાઈને કાળા કામ કરે છે. તંત્રના કોઈપણ વ્યક્તિને ખબર ન પડે એવી રીતે નાટકબાજીથી કાળા કામ કરવામાં આવતા હોય છે. પરંતુ કહેવાય છે કે ખોટું કરેલું કામ લાંબો સમય સુધી ચાલતું નથી. કોઈકની કોઈક દિવસે હંમેશા બહાર આવે છે. ગુજરાત પોલીસ તંત્ર ખૂબ જ સતર્ક કહે છે..
અને મહેનત ઈમાનદારી અને કર્મનિષ્ઠતાથી તેઓ શહેરમાં કાળા કામ કરનારોને ક્યારેય પણ બક્ષતા નથી. અને શહેરના નાગરિકોની સુરક્ષા જોઈ તેઓને તાત્કાલિક પકડી પાડવામાં આવતા હોય છે. અમરેલી જિલ્લાના બાવડાના ઊંટવડા અને કોટડામાંથી પાન મસાલાના ગલ્લા ઉપર ચાલતી કાળા કામની પ્રવૃત્તિઓને ખુલ્લી પાડી આ તમામ ઘટનાનો પરદાફાશ કરવામાં આવ્યો છે.
પાન મસાલા ઉપર કેટલાક પીણાઓ અને દવા મળે છે કે, જેમાં નશા જેવી ચીજ વસ્તુઓ મિલાવેલી હોય છે. વિદેશી કંપનીઓના પીણા ગુજરાતના દરેક પાન મસાલાના ગલ્લા ઉપર મળે છે. પરંતુ એની અંદરના તત્વોમાં નશા કારક ચીજ વસ્તુઓની મિલાવટ હોવાનું સામે આવતા જ તેનું વેચાણ બંધ કરાવવામાં આવતું હોય છે..
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક એક પાનનો ગલ્લો આવેલો છે. આ ગલ્લાની અંદરથી પોલીસને ચેકિંગ કરતા કુલ ૯૦ જેટલી બોટલ આ પ્રકારના પીણાની મળી આવી હતી. આ તમામ બોટલોને જપ્ત કરીને પાન મસાલાના ગલ્લાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી..
આ બોટલોની કુલ કિંમત 5400 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બાબરા તાલુકાના કોટડાપીઠના ગામમાં જ વધુ એક પાન મસાલા નું સેન્ટર આવેલું છે. એ દુકાનમાં પણ તપાસ કરતા કુલ 56 જેટલી બોટલ આ પ્રકારના પીણાંની મળી આવી હતી. જેની કુલ કિંમત 8400 રૂપિયા હોવાનું સામે આવ્યું છે..
આ તમામ મુદ્દા માલ કબજે કરીને પોલીસે આ દુકાનદાર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના પીણા પીવાને કારણે આજકાલના જુવાનિયાઓને લત લાગવા લાગે છે. અને ધીમે ધીમે તેઓ નશાના ઉંધા રવાડે પણ ચડી જતા હોય છે. એટલા માટે પહેલેથી જ કાર્યવાહી ચલાવીને આ તમામ કામગીરીઓને બંધ કરાવવામાં આવી રહી છે..
પીણાની સાથે સાથે આ ચીજવસ્તુઓનો ખુબ મોટો જથ્થો પેટમાં જાય ત્યારે પેટમાં પણ મોટું નુકસાન થવાની ભીતી સર્જે છે. આ તમામ બોટલો મેડિકલ સ્ટોરમાં પણ મળે છે. પરંતુ જ્યાં દરેક લોકોને આ બોટલ આપવામાં આવતી નથી. દિન પ્રતિ દિન જુદી જુદી વસ્તુઓને લઈને જુદી જુદી મિલાવટો અને ભેળસેળ કરેલી વસ્તુઓને પકડી પાડવામાં આવતી હોઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]