અવારનવાર લોકો સાથે બનતી કરુણ ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. આજકાલ લોકો નાની નાની વાતમાં પોતાના જ ઘરના વ્યક્તિઓ પર ગુસ્સે થઈને તેઓના જીવ લઈ રહ્યા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના શિવદાસપુરા વિસ્તારમાં બની હતી. શિવદાસપુરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો.
પરિવારમાં પતિ-પત્ની અને પત્નીની માતા અને તેમના ત્રણ બાળકો રહેતા હતા. પતિનું નામ રામકિશન હતું. તે પોતાના સાસરીયે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને તેમની પત્નીનું નામ મંજુ હતું. તેમની ઉંમર 35 વર્ષની હતી. તેની સાસુનું નામ ગૌરી દેવી હતું. તેમની ઉંમર 60 વર્ષની હતી અને રામકિશનની ઉંમર 39 વર્ષની હતી.
તે ઘણા સમયથી પોતાના સાસરીયે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને તેને સંતાનમાં ત્રણ બાળકો હતા. જેમાં બે દીકરા અને એક દીકરી હતો. બે દીકરાની ઉંમર 15 વર્ષ અને 13 વર્ષની હતી અને દીકરીની ઉંમર 11 વર્ષની હતી. રામકિશન ખૂબ જ માનસિક રીતે પાગલ હતો. તે પોતાની પત્ની મંજુ પર અવારનવાર શંકા કરતો હતો.
મંજુને કોઈ બીજા યુવક સાથે સંબંધ છે તેમ અવારનવાર શંકા કરતો હતો. તેના ચારિત્ર પર શંકા કરીને મંજુર સાથે તે ઝઘડો કરતો હતો. તેમની સાસુ ગોરી દેવી સાથે પણ ક્યારેક ક્યારેક ઝઘડાઓ કરતો હતો અને થોડા દિવસો પહેલા તેમની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. જેના કારણે તે મોટાભાગે ઘરે જ રહેતો હતો.
પોતાની પત્ની અને સાસુ સાથે નાની નાની વાતને લઈને ઝઘડાઓ કરતો હતો. એક દિવસ તેમની પત્ની અને સાસુ સૂઈ ગયા હતા. તે સમયે તેનો મગજ શાંત ન રહેતા તેને પોતાના હાથમાં ચાકુ લીધું હતું અને તેમની સાસુ અને પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને તે બંનેને પતાવી દીધા હતા. ત્યારબાદ તેના ત્રણેય બાળકોને જગાડીને તેમની બાઈક પર બેસાડીને પોતે પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો હતો.
તે પોલીસ સ્ટેશનમાંથી પહોંચ્યો હતો અને ત્યાં લોહીથી લથબથ તેના કપડાં જોઈને પોલીસ પણ ચોકી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, મેં મારી પત્ની અને સાસુને પતાવી દીધા છે, જેના કારણે પોલીસ રામ કિશન સાથે ઘરે આવીને જોયું તો તેમની પત્ની અને સાસુ મૃત હાલતમાં પડેલા હતા. આ જોઈને પોલીસ કર્મચારીઓ પણ ચોકી ગયા હતા.
આખા રૂમમાં લોહી લોહી થઈ ગયું હતું. જેના કારણે રામકિશાનની પોલીસ કડક પૂછપરછ કરી હતી અને રામકિશનના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમના ત્રણે બાળકો ખૂબ જ શાંત થઈ ગયા હતા. ત્રણેય બાળકો આ જોઈને ગભરાઈ ગયા હતા. રામકિશોને ત્રણે બાળકોને અનાથ કરી નાખ્યા હતા.
પોતાના મગજની અસ્થિર હાલતને કારણે તેમણે પોતાના બાળકોને નિરાધાર કરી નાખ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં થતા લોકોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. પતીને આ હરકતોને કારણે આજે 3 બાળકોને તેમની માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]