Breaking News

પાછળથી આવતી કારે બાઈકને ઠોકર મારી બાપ-દીકરીને હવામાં ફંગોળી નાખ્યા, પિતાની નજર સામે જ દીકરીનું મોત થતા આફતોનું આભ ફાટ્યુ..!

છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 50 કરતાં વધારે અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં ઘણા બધા વ્યક્તિના મૃત્યુ પણ થયા છે. અકસ્માતમાં પરિવારના વહાલસોયા સભ્યને ગુમાવવાનો દુઃખ પરિવારજનો કરતા વધારે કોઈ પણ વ્યક્તિ સમજી શકતું નથી. અકસ્માતમાં જેથી વ્યક્તિનું ખૂબ જ દર્દનાક મૃત્યુ થાય છે..

આ દુઃખને ભુલાવી શકવું પરિવાર જવા માટે કોઈ કાળે શક્ય નથી. અકસ્માતમાં આખાને આખા પરિવારજનો પણ ખલાસ તથા આપણે જોયા છે. ગઈકાલે જુનાગઢના કેશોદથી 12 કિલોમીટર દૂર હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. માંગરોળ હાઇવે ઉપર શીલાદર પાટીયા પાસેથી પોપટભાઈ રામભાઈ ચુડાસમા કે જેમની ઉંમર 45 વર્ષની છે..

તેઓ તેમની દીકરી જીજ્ઞાબેન પોપટભાઈ ચુડાસમા કે જેમની ઉંમર 20 વર્ષની છે. તેમની સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તેઓ વાર તહેવારે અર્થે પોતાના ગામનો સિમરોલીથી ત્યાં બાજુમાં આવેલું ગામ સિંગરિયા પોતાના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. તેઓની બાઇક જ્યારે સિલોદર પાટીયા નજીક પહોંચી ત્યારે પાછળથી ઝડપે એક કાર આવીને આ બાઈકને ઠોકર મારી દીધી હતી..

આ ઠોકર એટલી બધી ભયંકર હતી કે, બાઈકમાં બેઠેલા બાપ દીકરી બંને હવામાં ફંગોળાઈ ગયા હતા. અને ત્યારબાદ નીચે રોડ ઉપર પટકાયા હતા. રોડ પર માથાના ભાગે ભટકાતાની સાથે જ 20 વર્ષની દીકરી જીજ્ઞાબેન પોપટભાઈ ચુડાસમાને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી. અને ઘટના સ્થળે જ લોહી લુહાર હાલતમાં તેમની સ્થિતિ બગડવા લાગી હતી…

કાર ચાલકે ટક્કર મારીને કારણે ત્યાંથી રફુ ચક્કર કરી દીધી હતી. હાઇવે પર આ અકસ્માત સર્જાતા જ સૌ કોઈ લોકોએ પોતાના વાહનો થોભાવીને આ ઇજાગ્રસ્ત લોકોને મદદ કરવા માટે 108ને ફોન કરી બોલાવી હતી. ત્યારબાદ તેમને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા હતા..

ત્યારે અન્ય જાગૃત વ્યક્તિઓએ અકસ્માત સર્જીને ભાગી ગયેલા આકાર ચાલકને પકડવા માટેની કવાયત પણ હાથ ધરી હતી. કારચાલકનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે કાર કેશોદ નજીકના કરેણીયા બાપાના મંદિર પાસે પહોંચી ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ કારે બાઇકને ઠોકર મારી ત્યારે તેના ટાયર માંથી હવા નીકળી ગઈ હતી..

છતાં પણ તે 12 km જેટલું લાંબુ અંતર કાપીને ભાગવા લાગ્યો હતો. પરંતુ પીછો કરનાર વ્યક્તિઓની સુજબુજ ના કારણે અંતે તેને પકડી પાડવામાં આવ્યો હતો. હોસ્પિટલે જીજ્ઞાબેન ચુડાસમાની હાલત ખૂબ જ ગંભીર જણાતા તેમની સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. જ્યારે પોપટભાઈને વધારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..

આ અકસ્માતને લઈને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ પરિવારજનો એ આ અકસ્માતમાં પોતાની 20 વર્ષની વહાલસોઈ દીકરીને ગુમાવી છે.પરિવારમાં થોડા જ સમયમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. અકસ્માતમાં આ મૃત્યુને લઈને સમગ્ર ગામજનો પણ હિબકે ચડયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *