Breaking News

નવી વહુ સવારમાં બેડરૂમના દરવાજા પાસે ઢળી ગયેલી દેખાતા સાસરિયાવાળા દોડતા થયા, પિયરયાઓએ કહ્યું કે, તમે અમારી દીકરીનો…. જાણો..!

જુદી જુદી ઘટનાઓને લઈને અવારનવાર ચર્ચા વિચારણાઓ ખૂબ જ જોર પકડી લેતી હોય છે. અત્યારે એક પરણીત મહિલાનું મૃત્યુ થતાની સાથે જ જુદી જુદી ચર્ચાઓ એ ખૂબ જ જોર પકડી લીધું છે. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. અહીં ખોટુપુરા વિસ્તાર પાસે રહેતી 20 વર્ષથી નીતુના લગ્ન પાંચથી પાંચ મહિના પહેલા દહેલીની વિસ્તારમાં રહેતા ધ્રુવસિંહ ગુર્જર નામના વ્યક્તિ સાથે થયા હતા.

શરૂઆતમાં થોડાક સમય તો લગ્નજીવન ખૂબ જ સરસ ચાલ્યું પરંતુ એક દિવસ નીતુના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે આ ઘટનાની વધુ તપાસ ચાલવામાં આવી ત્યારે જાણકારી મળી કે, નીતુના સાસુ-સસરાનું કહેવું છે કે, રાત્રિના સમયે ધ્રુવ ખૂબ જ મોડેથી આવ્યો હતો..

જ્યારે નીતુ ભોજન કર્યા બાદ પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ હતી. ધ્રુવ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે ઘણી વખત દરવાજો ખટખટાવ્યો પરંતુ તેને બેડરૂમનો દરવાજો ન ખોલતા તે બહાર હોલમાં જ સુઈ ગયો હતો. જ્યારે સવારના સમયે દરવાજો ખુલ્લો જણાયો અને સાસુ સસરાએ નીતુને દરવાજા પાસે ઢળેલી હાલતમાં જોઈ લીધી હતી.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ ડોક્ટરને જણાવ્યું હતું કે, નીતુને સાપ કરડ્યો છે. અને કદાચ તેને જીવ પણ મૂકી દીધો હોય તેવું લાગે છે. ડોક્ટરે પણ તપાસ કરીને જણાવ્યું કે નીતુનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પરંતુ તેના શરીર ઉપરથી કોઈપણ સાપ કરડવાના નિશાન દેખાઈ આવ્યા નથી..

આ બાબતને લઈને પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ નીતુના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે નીતુના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની માહિતી સામે નહીં આવે ત્યાં સુધી મૃત્યુનું કારણ પણ અકબંધ છે..

તો બીજી બાજુ નીતુના માતા પિતાને જાણ થઈ કે તેમની લાડકી દીકરીનું સાસરીયા મૃત્યુ થયું છે. ત્યારે તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા અને નીતુના ભાઈ તેમજ તેના માતા પિતાએ તેના સાસરીયા વાળા સામે આરોપ લગાવ્યો હતો. અને કહ્યું કે તેઓએ તેમની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે.

નીતુનો માત્ર એક દિવસ પહેલા જ રાત્રે 11 વાગ્યા આસપાસ ફોન આવ્યો ત્યારે તે ખૂબ જ ગભરાયેલી હતી અને કહેતી હતી કે, સાસરીયા વાળા લોકો દહેજમાં મોટી ગાડી માંગી રહ્યા છે. આટલા બધા રૂપિયા તે ક્યાંથી લાવશે તેમ વિચારીને તેને તેના ભાઈને જણાવ્યું હતું કે, તેના સાસરીયા વાળા લોકો દહેજ ની માંગણીને લઈને તેને હેરાનગતિ પહોંચાડી રહ્યા છે..

હાલ બંને પક્ષોના જુદા જુદા આરોપો સામે આવ્યા છે. તેમાંથી નીતુનું મોત કયા કારણોસર થયું છે. તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જણાશે. હાલ આ ઘટનાને લઈને એક પતિ ખુબ જ દુઃખી છે તો નીતુના માં-બાપ પણ આ બનાવને લઈ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *