નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે. નવરાત્રીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ ભક્તો માતાજીને મૂર્તિનું વિસર્જન કરવા માટે જતા હોય છે. પંડાલ વીખીને મૂર્તિને વિસર્જન કરવા માટે નજીકના નદી તળાવ તેમજ સરોવરમાં જવું પડે છે. રાજસ્થાનના અજમેરના ધાણી ગામના છ યુવકો માતાજીની મૂર્તિનું વિસર્જન માટે નસીરાબાદ પાસે આવેલા પાણી ભરેલા એક ખાડા પાસે પહોંચી ગયા હતા..
આ ખાડો એટલો બધો વિશાળ હતો કે, તેને નાનું તળાવ પણ કહી શકાય અહીં ઘણા બધા લોકો માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે આવી પહોંચ્યા હતા. પવન, રાહુલ, લકી, ગજેન્દ્ર, શંકર સહિત કુલ છ મિત્રો માતાજીની મૂર્તિ લઈને પાણી ભરેલા આ ખાડા પાસે આવી પહોંચ્યા હતા.
અને માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા લાગ્યા હતા. ધીમે ધીમે તેવું એટલા બધા આગળ વધી ગયા કે, તેઓને ઊંડાઈનો કોઈ પણ વહેમ રહ્યો નહીં તેઓએ માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ત્યારબાદ તેઓ પાણીમાં અને પાણીમાં જ ખૂબ જ મજાક મસ્તી કરવા લાગ્યા હતા. જેમાંથી એક યુવક ઊંડા પાણીમાં આગળ વધી ગયો અને પગ લપસતા જ તે અચાનક ડૂબવા લાગ્યો હતો..
તે બચાવો બચાવવાની બૂમ પાડતો હતો.. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા અન્ય પાંચ યુવકો પણ તેને બચાવવા માટે ઊંડા પાણીમાં તરવા લાગ્યા અને તેને હેમખેમ બચાવવા લાગ્યા હતા. પરંતુ એક વ્યક્તિને બચાવવા માટે તેની પાછળ પાછળ ગયેલા અન્ય પાંચ યુવકો પણ લાગ્યા હતા.
નવાઈની વાત તો એ છે કે, આ તમામ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને તરતા આવડતું હોતું નથી. અને પરિણામે તેઓ ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર ઘટના પાણી ભરેલા આ ખાડાની છોડે દૂર ઊભેલા એક યુવકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી..
જ્યારે આ ઘટના બની ત્યારે તેઓને બચાવવા જવા પણ ખૂબ જ મુશ્કેલ હતા. કારણ કે એક વ્યક્તિને બચાવવા ગયેલા પાંચ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ આ પાંચ વ્યક્તિઓને ડૂબતા જોઈ કોઈપણ વ્યક્તિએ તેમને બચાવવાનો સાહસ કર્યો નહીં. આ બનાવને લઈ જ્યારે ગામમાં સમાચાર આવ્યા ત્યારે ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ છ અમૃતક વ્યક્તિઓમાં 35 વર્ષનો પવન, 25 વર્ષનો રાહુલ, 25 વર્ષનો કૈલાશ, 20 વર્ષનો શંકર, 25 વર્ષનો ગજેન્દ્ર તેમજ 25 વર્ષના બાબુલાલ નો સમાવેશ થાય છે. એક જ ગામના છ યુવકોનો મૃત્યુ થઈ જતા તહેવારની ખુશી અંતે મોતના માતમમાં ફેરવાઈ ગઈ હતી. તેમના પરિવારજનોનું કહેવું છે કે, એવી તો અમને શી ખબર હશે કે અમારા દીકરાઓ માતાજીનું મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા છે..
અને હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે, જો તેઓને સહેજ પણ અંદાજો હોત કે, અહીં કંઈક પણ બનાવ બનવા જઈ રહ્યો છે. તો તેઓ ક્યારેય તેમના લાડકા દીકરાઓને જવા દે નહીં. આ ઉપરાંત આ છ યુવકોના માતા-પિતા તેમજ સ્નેહીજનો અને પરિવારજનોમાં ભારે શોખનો માહોલ છવાઈ ગયો છે. સૌ કોઈ લોકો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]