Breaking News

નક્ષત્ર અને ચૈત્રના દનૈયા પરથી અનુભવી ખેડૂતોએ લગાવ્યો આ વર્ષના ચોમાસાનો વરતારો, જાણી લો કેવું રેહશે વર્ષ..?

આજથી સો થી દોઢસો વર્ષ પહેલા ખેડૂત મિત્રો વરસાદનો અંદાજ નક્ષત્રો ,ગ્રહોની ચાલ તેમજ ચૈત્ર માસના દનેયા ઉપરથી લગાવતા હતા. પવનની દિશા તેમજ ચોક્કસ વનસ્પતિના ફળ-ફૂલ આવવાની સમયગાળા પરથી ખેડૂતો અનુમાન લગાવતા હતા કે હવે માત્ર આટલા દિવસની અંદર અંદર વરસાદ પડશે…

અને તેઓના અનુમાન મુજબ વરસાદ પડતો પણ હતો. હાલ ડિજિટલ જમાનામાં ટેકનોલોજીનો યુગ હોવાથી વરસાદની આગાહી અધ્યતન ટેકનોલોજીકલ સાધનની મદદથી આપવામાં આવતી હોય છે. જે મોટાભાગે સાચી પડે છે. પરંતુ અમુક વાર ખોટી પણ પડતી હોય છે. ઘણા વર્ષો બાદ સૌરાષ્ટ્રના અનુભવી ખેડૂતોએ આ વર્ષનું ચોમાસું કેવા પ્રકારનું જશે તેમજ આ વર્ષના ચોમાસામાં ગુજરાતમાં કેટલો વરસાદ પડશે…

તે અંગેની આગાહીઓ કરી છે. પોતાની કોઠાસૂઝ તેમજ નક્ષત્ર ઓળખવાની આવડતને કારણે અખાત્રીજનો પવન, ગરમાળાના ફૂલની સ્થિતિ, હોળીની જાળ, ચૈત્ર માસના દનૈયા, તેમાં જુદાં-જુદાં નક્ષત્રો અને ગ્રહોની ચાલ પરથી અનુભવી ખેડૂતોએ વરસાદનું અનુમાન લગાવતા જણાવ્યું કે જો ચૈત્ર મહિનાની અંદર વાદળ એકદમ ચોખ્ખું દેખાય…

તેમજ ખૂબ વધારે તાપ પડે અને વરસાદ કે મેઘગર્જના ન થાય એવા સંજોગો ની અંદર ચોમાસુ ખૂબ જ સારું જાય છે. તેમજ ચૈત્ર માસના પાચમ થી લઈને તેરસ સુધીના નવ દિવસોમાં ચૈત્ર માસના દનૈયાઓને ગણવામાં આવતા હોય છે. આ 9 દનૈયાઓમાં વાદળ વરસાદ ભેજ ન જોવા મળે..

એટલે કે એક પણ દનૈયુ બગડ્યું ન હોય તો નક્ષત્રની અંદર વરસાદ ન પડવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ચોખા આકાશ અને સારો તાપ પડે તો દનૈયુ સુધરેલું હોય તેવું જણાવ્યું છે. પહેલાના સમયમાં ખેતીનો બધો જ આધાર વરસાદી પાણી ઉપર હતો. કારણકે કુવા તેમજ બોરવેલ ખૂબ ઓછા પ્રમાણમાં હતા…

ત્યારે નદી નાળા અને તળાવના પાણી પર ખેડૂતોને નિર્ભર રહેવું પડતું હતું. એટલા માટે વર્ષા ઋતુનું આગમન ક્યારે થશે.? તેમજ કયા નક્ષત્રની અંદર કેટલો વરસાદ થશે. તેમજ કંઈ નક્ષત્રની અંદર વાવણી કરવી જોઈએ આ તમામ બાબતોને ખેડૂતો કોઠાસૂઝથી જાણતા હતા હાલ ખેડૂતોએ જણાવ્યુ છે કે, જો ચૈત્રના દનૈયામાં તડકો ખૂબ વધારે પડશે..

તો ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસશે. પરંતુ હાલ બે દિવસ સુધી હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદ વરસવાની તેમજ વાદળછાયા વાતાવરણની આગાહી આપી છે. ખેડૂતો ભડલીના વાક્યો, ચૈત્ર માસના દનૈયા, અખાત્રીજનો પવન સાથે સાથે હોળીની જાળ પરથી પણ ચોમાસાના વર્તારા રજૂ કરતા હોય છે..

અનુભવી ખેડૂતો વરસાદની આગમનની ચોક્કસ તારીખો પણ આપે છે. જે ક્યારેય ખોટી પડતી નથી. હાલ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ આકાશમાં કાળાડિબાંગ વાદળો પણ દેખાવા લાગ્યા છે. આ વાદળને જોતા જ ખેડૂત મિત્રો ચિંતાતુર બન્યા છે. કારણકે ઉનાળાની વાવણી શરૂ થઈ ગઈ છે..

એવામાં જો કમોસમી વરસાદ અને માવઠા વરસશે. તો પાકને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ, અમદાવાદ, પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતો ઉપર ખૂબ મોટુ સંકટ આવી પડયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *