Breaking News

મુસાફરોથી ખીચોખીચ ભરેલો છકડો ગામના પાટીયા પાસે પલટી મારી જતા 9 લોકો રોડ પર ઢોળાયા.. 1 નું મોત..!

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યના માર્ગો પર અકસ્માતના કિસ્સાઓ વધી ગયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ અકસ્માતો સર્જાય છે. ગુજરાતની મધ્યમાં આવેલા સુરેન્દ્રનગરમાં ઘણા બધા હાઇવે પસાર થાય છે. રોજ રોજ આ હાઈવે પર કે કેટલા અકસ્માતો સર્જાઈ જતા હોય છે.

ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની ડ્રાઇવિંગ પ્રત્યેની સમજ ઓછી હોય તેમ જ વાહનને વધારે પડતી ગતિએ ચલાવવાના શોખને કારણે વધુ પડતા અકસ્માતો બનવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર ફુલ ગામ પાટીયુ આવેલું છે. જ્યાં ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ફૂલગામના પાટીયા પાસે એક છકડો પલટી મારી ગયો હતો. આ છકડાની અંદર દબાવી દબાવીને મુસાફરોને ભરવામાં આવ્યા હતા અને એક ગામથી બીજા ગામ મુસાફરી કરવામાં આવી રહી હતી. એમાં છકડો પલટી મારી જતા નવ કરતાં વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે..

આ તમામ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે ચાલ્યા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે છકડો તેમજ અન્ય ટેમ્પાઓનો પણ ઉપયોગ કરે છે. વહેલી સવારે લોકો પોતાના ઘરેથી હટાણું કરવા માટે અન્ય તાલુકાઓમાં જતા હોય છે..

છકડા ચાલકો મુસાફરોને દબાવી દબાવીને ટેમ્પામાં ભરે છે. કેટલીક વખત તો હાઈવે ઉપર બેલેન્સ રાખવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે, ખૂબ વધારે માત્રામાં પેસેન્જર ભરવાને કારણે ઝઘડા ચાલકે સ્ટેરીંગ પરથી ગાબુ ગુમાવ્યું હતું અને અચાનક છકડો પલટી મારી જતા ઘટના સ્થળે જ એક વ્યક્તિ મોતને ભેટયા હતા..

અને નવ વ્યક્તિ ઘાયલ થતા તેઓને તાત્કાલિક સાયલાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. છકડાનો પલટી મારવાનો આ ગમખ્વાર અકસ્માત ખૂબ જ ભયંકર હતો. તેને જોઈને લોકોની ચીસ પણ નીકળી ઉઠી હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *