Breaking News

મોતની ગતિએ દોડતી કારે રીક્ષાને ટક્કર મારીને બુકડો બનાવી દીધી, રીક્ષામાં સવાર કોન્સ્ટેબલનું કમકમાટી ભર્યું મોત..!

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે અકસ્માતો બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. બેફામ તેમજ ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવા અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના નિર્દોષ મોત થવા લાગ્યા છે.

આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગર જિલ્લામાં અમદાવાદથી ગાંધીનગર તરફ આવતા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર આવેલા અપોલો સર્કલ નજીક એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ખૂબ જ ઝડપી સ્પીડે આવી રહી હતી. જેને કારણે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રીક્ષા અને કાર વચ્ચે ખૂબ જ જોરદાર ટક્કર લાગી હતી. રિક્ષામાં એક યુવક મુસાફરી કરી રહ્યા હતા. આ યુવકનું નામ અરુણકુમાર તિવારી હતું. તેઓ કોલકત્તામાં સીબીઆઈના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓને કોઈ સરકારી કામ હોવાને કારણે અમદાવાદ આવ્યા હતા.

ગાંધીનગરના સેક્ટર 11 ખાતેની કચેરીમાં પણ સરકારી કામ હોવાને કારણે અરુણકુમાર અમદાવાદ એરપોર્ટ સર્કલથી એક રીક્ષામાં બેસીને ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. તે સમયે અપોલો સર્કલ નજીક હાઈવે રોડ ઉપર તેની સાથે અકસ્માત સર્જાયો હતો. રીક્ષા ચલાવી રહેલ રીક્ષા ચાલકની ઉંમર 17 વર્ષની હતી. તેનું નામ સોનુ રાજેશભાઈ સિંધી હતું.

રીક્ષા ચાલક ગાંધીનગર તરફ જઈ રહ્યો હતો. સામેની બાજુથી એક કાર ખૂબ જ ઝડપી સ્પીડે આવી રહી હતી. આ કાર અપોલો સર્કલ નજીક પહોંચતા સમયે રિક્ષા સાથે તેને ટક્કર મારી દીધી હતી. કાર ખૂબ જ ઝડપી સ્પીડમાં હોવાને કારણે કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે કારને ડીવાઈન્ડર પર ચડાવી દીધી હતી.

ડીવાઈન્ડર પર ચડાવીને સામેની બાજુ ઝડપી સ્પીડમાં આવી ગઈ હતી. જેને કારણે સામેની બાજુથી આવી રહેલ રીક્ષા સાથે ટક્કર લાગતા રીક્ષા રોડની સાઈડમાં ઘુસી ગઈ હતી. રીક્ષાનો કચ્ચાઘણ થઈ ગયો હતો. તેમાં મુસાફરી કરી રહેલા અરુણભાઈ રિક્ષામાં જ પલટી મારી ગયા હતા. તેને કારણે તેઓને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી.

આ અકસ્માત સર્જાતા આસપાસના વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. અરુણકુમાર તેમજ રીક્ષા ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ અરુણકુમારને ખૂબ જ ગંભીર ઈજા થવાને કારણે તેઓનું થોડી જ વારમાં ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું. રીક્ષા ચાલકને શરીર અને માથાના ભાગે ખૂબ જ ઈજા થઈ હતી.

ત્યારબાદ આસપાસ ભેગા થયેલા લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરીને તરત જ રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા કાર ચાલક ડરી ગયો હતો. જેને કારણે પોતાની કાર મૂકીને તે ભાગી ગયો હતો. આસપાસના સ્થાનિક લોકોએ અડાલજ પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતની જાણ કરી હતી..

પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી. સીબીઆઇ કચેરીને જાણ કરવામાં આવી હતી તેમના કોન્સ્ટેબલનું કરુણ મોત થઈ જતા સીબીઆઇની ટીમે પણ કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આમ રીક્ષામાં મુસાફરી કરેલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે મોત થઈ જતા પોલીસે તેમના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *