થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચોક આવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્ય જિલ્લામાં પ્રમોદકુમાર નામના એક વ્યક્તિએ પોતાના પુત્રના પુનર્જનમનો દાવો કર્યો છે. મેનપૂરી જિલ્લા ના મૂળ રહેવાસી પ્રમોદ કુમારના એક દીકરા રોહિતનું 8 વર્ષ પહેલાં 13 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું હતું.
વર્ષ 2013 માં જ્યારે તે ઘરેથી નાહવા માટે ગયો હતો. ત્યારે તેનું નહેરમાં ડૂબી જવાનું કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ પ્રમોદકુમાર તેની દીકરીના સહારે જીવન જીવતા હતા. બીજી બાજુ આજથી 8 વર્ષ પહેલા એટલે વર્ષ 2013 માં પ્રમોદ કુમારના ગામથી 6 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતા રામચરણ ના ઘરે એ પુત્ર નો જન્મ થયો હતો.
જેનું નામ ચંદ્રવીર રાખવામાં આવ્યું હતું. જેમ જેમ ચંદ્રવીર મોટો થતો ગયો તેમ તેમ તેને પોતાના ગયા જનમની વાતો યાદ આવતી હતી. તેણે પહેલા પણ ઘણીવાર આ બાબતની જાણ પોતાના માતા પિતાને કરી હતી. પરંતુ ચંદ્રવિર ના માતા-પિતા તેને પ્રમોદ કુમાર પાસે લઈ ગયા ન હતા. પરંતુ થોડા દિવસો પહેલા ચંદ્ર પોતાના જૂના ઘરે જવાની ખૂબ જ જીદ કરતા રામચરણ તેને પ્રમોદ કુમારના ગામે લઈ આવ્યા હતા.
પ્રમોદ કુમારે જ્યારે પહેલીવાર ચંદ્રવિર ના મોઢે પોતાને પિતા કહેતા સાંભળ્યું ત્યારે તેઓ આચાર્ય શકિત થઈ ગયા હતા. ચંદ્રવિર એ જ્યારે પોતાના પુનર્જન્મની વાત કરી ત્યારે કોઈને પણ તેની પર વિશ્વાસ થયો ન હતો. પરંતુ ત્યારબાદ તેણે તેના ગયા જન્મમાં પોતાની મોત કઈ રીતે થઈ તેની સમગ્ર ઘટના સંભળાવી હતી.
તેમજ તેણે પોતાના ગયા જન્મની અન્ય વાતો પણ રજૂ કરી હતી. જેના કારણે પ્રમોદ કુમારને વિશ્વાસ થઈ ગયો હતો કે આ તેનો પુત્ર રોહિત નો પુનર્જન્મ જ છે જે 8 વર્ષ પહેલાં નહેર માં ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ ચંદ્રવીર પોતાની માતા અને બહેનને પણ મળ્યો હતો. પોતાના કુતરાના પુનલ જનમને કારણે પ્રમોદ કુમાર તેમજ તેમના પરિવારજની આંખમાંથી ખુશી ના આંસુ સરી પડ્યા હતા.
આ ઉપરાંત ચંદ્રવીરે પોતાના આગળના જન્મની શાળાના શિક્ષક સુભાષ યાદવ ને પણ ઓળખી લીધા હતાં. આ સમગ્ર ઘટના બાદ ચંદ્રવીર એ જણાવ્યું કે તે બંને પરિવાર સાથે ખુશ છે તેમજ તે બંને પરિવાર સાથે રહેવા માંગે છે. આ મામલાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે અને વિચારવા પર મજબુર કરી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]