આપણે ગત દિવસમાં ઘણી બધી વખત એવા બનાવો સાંભળ્યા હોય છે કે મિત્ર મિત્ર વચે નાની નાની વાતમાં જગડા થતા હોય છે. અને તેમાંથી એકબીજાના મૃત્યુના કારણ પણ થતા હોય છે. તો ઘણી બધી વખત એવા બનાવો બનેલા હોય છે કે, સાથે જ બેસીને ગમ્મત થતી હોય છે. પરંતુ નાની વાતમાંથી લઈને મોટો ઝઘડો થતો હોય છે..
અને તેમાં એકબીજાને મારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. અને એકબીજાના મૃત્યુ પણ થયા હોય છે. જ્યારે આવો બનાવ ગત દિવસમાં બન્યો છે. ગાંધીનગરના કોલવડા ગામ થી સોનીપુર તરફ જતા હનુમાન મંદિર પાસેના ખેતરમાં આવો બનાવ બન્યો હતો. આ ખેતરમાં મિત્ર સાથે જુગારની બાજી માંડીને બેઠેલા ગામના 49 વર્ષીય દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉપર ફાયરીગ કરીને જોરદાર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે..
જેના પગલે પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ આ ઘટના સ્થળે તાત્કાલિક દોડી પહોંચી છે આ ઘટના સ્થળે જઈ તપાસનો દોર હાથ ધરીયો છે ઉલ્લેખનીય છે કે ચારેક મહિના અગાઉ એક બોરકુવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી ની બાબતે માથાકૂટ થતા એક પોલીસ જમાદાર દસાડાના રાજકીય અગ્રણી તેમજ અન્ય એક યુવકની લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું.
ગાંધીનગરના કોલવડ ગામથી સોનપુર તરફ હનુમાન મંદિર પાસેના આ ખેતરમાં જુગારની બાજી રમી રહેલા મિત્રો વચ્ચે કોઈ બાબતને માથાકૂટ થતાં ગામના દિલીપસિંહ વાઘેલા ઉપર પોઇન્ટ 2.2 ની રિવોલ્વર વડે ફાયરિંગ કરવામાં આવ્યું ત્યાર બાદ ધારદાર હથયારના આઠથી દસ ઘા ઝીંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓનું મોત થઈ ગયું..
બનાવની જાણ થતા પોલીસ તરત જ પહોંચ્યા હતા. આ દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતા હતા. જે આજે તેના કેટલાક મિત્ર સાથે જુગાર રમવા માટે બેઠા હતા. તે દરમિયાન નાની વાતમાં ઝઘડો થયો અને તે ઝઘડા નું રૂપ મોટું થયું જેના કારણે કોઈએ પિસ્તોલ વડે ફાયર કર્યું જેના કારણે દિલીપસિંહના પેટમાં ગો.ળી વાગી અને મારનાર લોકો ધારદાર હથયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.
બનાવના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું પંચનામુ કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે દિલીપસિંહ સાથે ત્રણથી ચાર જુગારીયાઓ જુગાર રમી રહ્યા હતા..
સ્થળ પરથી જુગારના પાના પર વિખરાયેલી હાલતમાં મળી આવ્યા છે. તો ગામના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલીપસિંહના પત્નીનું વીસ વર્ષ અગાઉ બીમારીના કારણે અવસાન થયું હતું અને ત્રણ સંતાનો પણ છે જે પછી દિલીપસિંહ બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નમાં એક દીકરો પણ છે.
અગાઉ દારૂની મહેફિલ દરમિયાન ગાંધીનગરના એક જમાદાર અને રાજકીય અગ્રણી તેમજ એક અન્ય વ્યક્તિની માથાકૂટમાં માર મારવામાં આવ્યો હતો એ વખતે દિલીપસિંહ નું નામ હતું જેના કારણે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો આ અંગે પેથાપુર પીએસઆઇ એમએમ રાણાએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી છે મૃતકના પરિવારને પૂછતા જ ચાલી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]