મધ્યપ્રદેશના છિંદવાડાના એક ખાનગી ડૉક્ટરનો 17 વર્ષનો પુત્ર છેલ્લા બે મહિનાથી કોટામાં IITની તૈયારી કરી રહ્યો હતો. તે શહેરના મહાવીર નગરમાં આવેલી હોસ્ટેલમાં ભાડેથી રહેતો હતો. આ પુત્રની નામ પ્રથમ જૈન છે જેની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી. તે સવારે કોચિંગમાં ગયો ન હતો..
જેના કારણે મિત્રો બપોરે તેના ઘરે પહોંચ્યા હતા અને તેના રૂમમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. વારંવાર દરવાજો ખટખટાવ્યા બાદ પણ તેણે દરવાજો ન ખોલતા મિત્રોને લાગ્યું કે તે સૂતો હશે, તેથી તેઓ પાછા ચાલ્યા ગયા હતા, પરંતુ શુક્રવારે મોડી સાંજે પણ જ્યારે મિત્રોએ દરવાજો ખખડાવ્યો ત્યારે યુવકે દરવાજો ન ખોલતાં તેમને શંકા ગઈ અને મિત્રોએ ધક્કા મારી મારીને દરવાજો તોડી નાખ્યો હતો.
તેમજ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. દરવાજો ખોલતાની સાથે જ જે જોયું એ જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. કારણ કે પ્રથમ જૈન તેના રૂમમાં ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને તમામ મિત્રો ડઘાઈ ગયા હતા અને કેટલાક તો ખુબ જ ચોંકી ગયા હતા.
મૃતદેહ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને છિંદવાડામાં રહેતા યુવકના માતા-પિતાને જાણ કરી હતી. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં યુવકે લખ્યું છે કે ‘સોરી, મમ્મી પપ્પા, હું કંઈપણને લાયક નથી. તમારો દીકરો ઘણો લડ્યો પણ હારી ગયો. મારા પર આટલા પૈસા વેડફવા બદલ માફ કરશો. હવે માત્ર ચુચુના ભણતરનો જ ખર્ચ થશે.
મારો પ્રેમ ખોટો નહોતો, છોકરા સાથે હતો, પણ તરત જ સાચો હતો. હું તેને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે માતાપિતાને તેમના પુત્રના સમાચાર મળ્યા, ત્યારે તેમની હાલત ખરાબ છે. હકીકતમાં પ્રથમ જૈનને ભણતરનું પ્રેશર સહન ન થયું હોઈ અને તેના કારણે જ તેણે આપઘાત કરી લીધો હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]