અકસ્માતના બનાવોમાં રાફડો ફાટી નીકળ્યો છે. રોજ રોજ ઘણા બધા અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે. રોજની રોજ કોઈને કોઈ પરિવારજનોને પોતાના પરિવારના કિંમતી સભ્યોનો જીવ ગુમાવવાનો વારો અકસ્માતને કારણે આવે છે. અત્યારે દશામા ના પવિત્ર વ્રતની ઉજવણીઓ ચાલી રહી છે..
સૌ કોઈ લોકો દશામાના દર્શન કરવા માટે મંદિરે પહોંચી જતા હોય છે. હજારો લાખો શ્રધાળુઓ દશામાંના દર્શન કરવા માટે મીનાવાડા ખાતે આવેલા મંદિરે પહોંચી ગયા છે. પરંતુ અહીં આવતા ભક્તોને માટે રોડ અકસ્માતનું પણ ઊભું થયું છે. કેટલાક ભક્તો પગપાળા માતાજીના દર્શનને આવે છે..
તો કેટલાક લોકો પોતાના વાહન લઈને આવી પહોંચે છે. થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિનું પગપાળા આવતી વખતે મૃત્યુ થયું હતું અને હવે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવી ગયો છે. અરવલ્લી જિલ્લાના બાયડ ગામના વતની છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે..
નારાયણભાઈ વાઘેલા નિકોલ વિસ્તારમાં રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામકાજનું કાર્ય કરે છે. પરિવારજનોમાં તેમનો દીકરા સતીશની બે મહિના અગાઉ જ સગાઈ થઈ હતી અને તેઓ પોતાની પત્ની વિમળાબેન ની સાથે ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા મીનાવાડા ગામમાં દશામાના દર્શન કરવા માટે બાઈક લઈને નીકળી ગયા હતા.
જ્યારે તેમનો દીકરો સતીશ તેમની ભાવી પત્નીને લઈને એકટીવા પર આવવા નીકળ્યો હતો. નારણભાઈ આગળની બાજુએ ગાડી ચલાવતા હતા જ્યારે તેનો દીકરો પાછળની બાજુએ આવતો હતો. તેઓ દર્શન કરીને પોતાના ઘરે પરત ફરતા હતા. ત્યારે હાઇવે ઉપર અચાનક જ એક વાંદરો દોડીને આવી ગયો હતો.
માનવતા ખાતર નારાયણભાઈએ બાઈક ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ હાઇવે ઉપર ગાડી એટલી બધી ઝડપે જતી હતી કે તેઓ કાબુ મેળવી શક્યા નહીં અને પરિણામે બાઈક રોડ ઉપર ભટકાઈ ગઈ હતી. જેમાં તેમની પાછળ બેઠેલા તેમના પત્ની વિમળાબેન પણ નીચે પટકાયા હતા.
આકસ્માત થતા લોકો તરત જ ત્યાં દોડીને આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિમળાબેનને સારવાર માટે કઠલાલની એક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરી દીધા હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ સતીશ અને તેના પિતા નારાયણભાઈ માથે આફતોનો આભ ફાટી નીકળ્યું હતું. પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]