આજકાલ અમુક ઘટનાઓ એવી રીતે ઘટીને સામે આવે છે કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના પરસેવા છૂટી જતા હોય છે. તેમજ તપાસ કરનારને પણ આંખે અંધારા આવવા લાગે છે. જ્યારે પરિવારજનો પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આજકાલ કેટલા લોકોનું રહસ્યમય રીતે મૃત્યુ થાય છે..
સાંજે ભોજન કર્યા બાદ સુખ શાંતિથી સૂતા હોય છે, પરંતુ સવારે ન જાગતા પરિવારજનો ચિંતામાં મુકાઈ જતા હોય છે. ગઈકાલે જામનગરમાં કંઈક આ પ્રકારનો જ એક બનાવ બન્યો છે. જેમાં સૌ કોઈ લોકો ખૂબ જ ચોંકી ગયા છે. જામનગરના હાપા વિસ્તારમાં એક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ કે જેની ઉંમર ૩૦ વર્ષની છે..
તેઓ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ વધારે પડતું કામ હોવાને કારણે મજૂરી કામ કરીને માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે એક બાકડો આવેલો છે તેના પર તેઓ ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. તેઓ સાંજે ઘરે આવ્યા હતા નહીં..
બીજા દિવસે સવારે આ વ્યક્તિના પિતાએ જોયું તો તેમનો દીકરો ઘરે પરત ન આવતા તેઓએ તપાસ શરૂ કરી હતી અને માર્કેટિંગ યાર્ડમાં જઈને જોવાની કોશિશ કરી તો તેમનો દીકરો માતાજીના મંદિર પાસે આવેલા એક બાંકડા પર સુતેલી હાલતમાં મળ્યો હતો. તેના પિતા સહિત આસપાસના અન્ય વ્યક્તિઓએ પણ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો..
અને ધાબળો ઊંચો કરી અને જોયું તો તેઓના હું છૂટી ગયા હતા. કારણ કે વારંવાર જગાડીયા બાદ પણ તેમનો દીકરો જાગી રહ્યો હતો નહીં. તેના પિતા હાફળા ફાફળા થઈ ગયા અને તાત્કાલિક આ વ્યક્તિને સારવાર માટે લઈ ગયા પરંતુ ત્યાં ફરજ પરના તબીબી હોય તેમને મૃત જાહેર કરી દીધા હતા..
તેમના શરીર પર એક પણ ખરોચ પણ હતી નહીં છતાં પણ તેમને મૃત જાહેર કરી દેતા પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. અને તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણવા માટે મથામણ કરી રહ્યા છે. આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે પણ આ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે…
સાંજે બાકડા પર સૂઈ ગયા બાદ સવારમાં ન જાગતા સારવાર મળ્યા બાદ તેમનું મૃત્યુ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ છ મહિના પહેલા આ પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો હતો કે, જેમાં રસ્તા પર રખડતા અને ભીખ માંગીને ખાતા એક વ્યક્તિએ સાંજે ફૂટપાથ ઉપર ધાબળા ઓઢીને સૂતા બાદ ત્રણ દિવસ સુધી આ વ્યક્તિ ત્યાંથી હલ્યો પણ હતો નહીં..
ત્યાંથી હલનચલન કરનાર વ્યક્તિઓને શંકા ગઈ કે આ ધાબળો ત્રણ દિવસથી એમનેમ છે. છતાં તેની કોઈ સાર સંભાળ લીધી નથી. તેમજ આ ધાબળા પાસેથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. તેની નજીક જઈને ધાબળો ઉંચો કરીને જોવાની કોશિશ કરી તો તેમાં એક વ્યક્તિની લાશ હતી અને તે ખૂબ જ દુર્ગંધ મારી રહી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]