Breaking News

મેલડી માતાના દર્શન કરવા નીકળેલા 2 મિત્રોને કાળમુખો અકસ્માત નડ્યો, માથેથી આઈસર પસાર થતા જ નીકળી ગઈ મરણચીખો..!

જ્યારે પણ વાર તહેવાર નજીક આવે છે. ત્યારે અકસ્માત વધારે બને છે, કારણ કે વાર તહેવારની રજાઓમાં મોટાભાગના લોકો પોતાનું ઘર મૂકી કોઈક સારી જગ્યા પર ફરવા ચાલ્યા જતા હોય છે. અથવા તો પોતાના વતનને જવા નીકળી પડતા હોય છે. આવા સમયે વાહન વ્યવહાર ખૂબ જ વધી જાય છે. અને માર્ગ અકસ્માતના બનાવો પણ ખૂબ વધારે માત્રામાં બને છે..

અકસ્માતના હાહાકાર મચાવનારા માહોલની અંદર વધુ એક બનાવો મહેસાણાના કડી તાલુકાના રંગપુરડા ગામમાંથી સામે આવી ગયો છે. મૂળ અમદાવાદથી અક્ષય દંતાણી તેમજ મૌલિક ઠાકોર નામના બે પાકા મિત્રો પોતાનું એકટીવા લઈને કડી ખાતે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા હતા..

પરંતુ તેઓ મેલડી માતાના દર્શન કરવા માટે મંદિરે પહોંચે એ પહેલા જ તેમને કાળમુખા અકસ્માતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેમાં અક્ષય દંતાણી નામના મિત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે મૌલિક ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરંતુ તેની હાલત પણ ખૂબ જ ગંભીર જણાય છે.

આ બંને મિત્રો અમદાવાદથી દર્શન કરવા માટે કડી આવતા હતા એવામાં હાઇવે ઉપર તેમની એકટીવા રંઘોળા પાસે ડિવાઇડર સાથે અથડાઈ હતી અને બંને મિત્રો નીચે રોડ ઉપર પટકાઈ ગયા હતા. એ જ સમય દરમિયાન પાછળથી એક આઇસર આવી રહ્યો હતું. અચાનક જ આઇસરની આગળ આ બંને મિત્રો ઢળી ગયા હતા અને આઇસર પોતાની બ્રેક મારે.. મારે એ પહેલા તો અક્ષય દંતાણી નામનો મિત્ર આઇસરની અડફેટે આવી ગયો હતો..

અને આઇસર તેના પરથી ચાલી ગયું હતું. પરિણામે ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. મૌલિક ઠાકોર ખૂબ જ ઇજાગ્રસ્ત થયો હતો. એટલા માટે 108ને ફોન કરીને તાત્કાલિક હાઈવે પર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે..

આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃત્યુ પામનાર મિત્ર અક્ષય દંતાણી ના મૃતદેહને કડીના સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાવી હતી. આ ઉપરાંત આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. જ્યારે અક્ષયના માતા પિતાને જાણ થઈ કે તેમના વહાલસોયા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે..

ત્યારે તેમના પર આફતોના આભ ફાટી નીકળ્યા હતા. તેમનો હસતો ખેલતો દીકરો માતાજીના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ દર્શન કરવા પહોંચે એ પહેલાં જ કાળમુખો અકસ્માત અક્ષયને ભરખી ગયો હતો. અકસ્માતમાં થયેલું મોત ખૂબ જ દર્દનાક હોય છે. આ મૃત્યુના સમાચાર કોઈ પણ પરિવારજનો માટે સાંભળવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *