પોલીસ સ્ટેશને જઈ યુવકે કહ્યું, ‘મેં મારી પત્નીને નાડાથી ગળું દબાવીને મારી નાખી છે’ સાંભળતા જ પોલીસ પણ ચોંકી ગઈ અને પછી તો..!

આજકાલ પતિ અને પત્ની વચ્ચે ક્યાંકને ક્યાંક અણસમજાણ ઉભી થઇ જતી હોય છે. શરૂઆતમાં લગ્નજીવન સારું ચાલે છે. પરંતુ જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ પતિ અને પત્ની વચ્ચે અણસમજાણ ઉભી થાય તો તેમને બાળકોને પણ ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવે છે. તેમજ આ બાળકના માતા-પિતાઓ અંતે કહ્યું પગલું ભરી લે તેનો પણ નક્કી હોતું નથી..

તેમજ પરિવારજનો પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. હાલ અમદાવાદના સાણંદમાં ઘરકંકાસને કારણે પતિ અને પત્ની વચ્ચે મોતનો ખેલ ખેલાયો હતો. જેમાં પતિએ તેની પત્નીને નાયલોનની રેસાની દોરી લઈ ગળે ટુપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રોજ રોજના ઝઘડાથી કંટાળી જઈને પતિ ગુમાવી બેઠો અને અંતે જાણે તેનીજ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે..

સાણંદના ભવનાથ મહાદેવના મંદિર પાસે શ્યામ હિલ એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં અશોકભાઈ નારાયણદાસ રાણા નામના વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમની ડીમ્પલબેન તેમનો 21 વર્ષનો એક દીકરો તેમજ 18 વર્ષનો એક દીકરો સાથે રહે છે. તેઓ મૂળ સુરેન્દ્રનગરના છે. અને છેલ્લા 20 વર્ષથી સાણંદમાં રહી ફોટોગ્રાફી અને સ્ટુડિયો નો વ્યવસાય કરી રહ્યા છે..

તેમના લગ્ન સાણંદમાં જ ડિમ્પલ નામની આ મહિલા સાથે થયા હતા અને તેમનો ધંધો સાણંદ ખાતે હોવાથી તેઓ સાણંદ જ રહેવા લાગ્યા હતા. લગ્નના ઘણા વર્ષો વીત્યા બાદ અવારનવાર ઘર કંકાશ અને ઘરેલું ઝઘડાઓ ચાલતા હતા. એક દિવસ બપોરના ચાર વાગ્યા આસપાસ આ ઝઘડાએ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને અશોકભાઈ આવેશમાં આવીને ડિમ્પલબેનનું નાડા વડે ગળું દબાવી દીધું હતું.

અને તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ અશોકભાઈ તાત્કાલ પોલીસ સ્ટેશનને હાજર પણ થઈ ગયા અને ત્યાં જઈને કહ્યું કે મેં મારી પત્નીને ગળે ટૂપો આપીને મારી નાખી છે. એમ કહીને તેઓએ ગુનો પણ કબૂલ કરી લીધો હતો. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી અને વિચારવા પર મજૂર બની કે, આખરે આ કેવા આરોપી છે કે, જે ઘટનાને અંજામ આપી દીધા બાદ ખુદ પોલીસ સ્ટેશનને હાજર થયો છે..

અને પોતાને જ આરોપી તરીકે કહી સજા માંગી રહ્યો છે. અશોકભાઈએ કહ્યું એ મુજબ પોલીસ સાંભળતો તેમના ઘરે પહોંચી અને ત્યાં જઈને જોયું તો ડિમ્પલબેનની લાશ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક સાણંદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે આ લાશને કચેરી છે આ બનાવને પગલે એપાર્ટમેન્ટના ઘણા બધા રહીશો તેમના ફ્લેટ પર એકઠા થઈ ગયા હતા..

અને આ ઘટના ભાઈઓએ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરવા લાગી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ઘર કંકાસના કારણે જ આ બનાવ બન્યો છે. ડિમ્પલ બહેનના સગા ભાઈએ અશોકભાઈ સામે ફરિયાદ આપી છે. અને પોલીસે પણ ફરિયાદ નોંધ આગળની તપાસ શરૂ કરી છે. આ ખૂબ જ વિચિત્ર બનાવો તો જેને જાણ્યા બાદ ભલભલા લોકોને પહોળી થઈ ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment