સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં વિશ્વના મોટા મોટા રોકાણકારો ખૂબ મોટું રોકાણ કરે છે. સોના અને ચાંદીના ભાવ સમગ્ર વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને વધઘટ થતા હોય છે. દુનિયાના કોઈપણ ખૂણે સહેજ અમથી હલચલ મચે એટલે તરત જ સોના-ચાંદીના ભાવમાં ખૂબ મોટા કડાકા બોલતા હોય છે..
તેમજ ક્યારેક ક્યારેક ખૂબ મોટા વધારો પણ થઇ જતા હોય છે. હાલ વૈશ્વિક માહોલ ખૂબ ખરાબ હોવાના કારણે સોના-ચાંદીના માર્કેટ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત આસમાનની ઉંચાઈઓને અડકી રહી હતી. લોકો પૈસાના રોકાણ માટે સોનાને સૌથી શ્રેષ્ઠ ઉપાય માને છે.
રોકાણકારો સોનામાં મન મૂકીને રોકાણ કરી રહ્યા છે. સોના ના ભાવમાં રોજ રોજ નાના મોટા ઉતાર ચડાવ આવતા હોઈ છે. પરતું છેલ્લા 3 દિવસમાં ખુબ મોટા ઉતાર ચડાવ આવ્યા છે. સોનાના ભાવમાં ઘટાડાના સમાચાર આવતાની સાથે જ સૌ કોઈ લોકો સોનું ખરીદવા માટે સોની બજારમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
આજે સોના-ચાંદીના ભાવમાં ખુબ જ ફેરબદલ જોવા મળી રહ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારો કરતા જ ભારતીય બજારનો ટ્રેન્ડ અચાનક જ બદલાઈ ગયો છે. બીજી તરફ વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સોમવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.
આજે જ્યાં સોનાની કિંમત 52 હજારની નીચે આવી ગઈ છે ત્યાં ચાંદી વધીને 57 હજારની ઉપર પહોંચી ગઈ છે. યુએસ માર્કેટમાં આજે સોનાની હાજર કિંમત $1,772.72 પ્રતિ ઔંસ છે, જ્યારે ચાંદીની હાજર કિંમત $19.88 પ્રતિ ઔંસ છે. એટલે કે બંને ધાતુઓ અગાઉના બંધ ભાવથી નીચે આગળ વધી રહી છે.
આ ભાવ છેલ્લા 2 વર્ષની નીચેની સપાટી એ આવી ગયો છે. હજુ પણ કેટલાક લોકો સોનાના ભાવ ઘટવાની રાહ જોઈને બેઠા છે પરતું સોનાનું બજાર ગતિ પકડે એ પહેલા જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ. પરંતુ હવે સોનાનો નીચો ભાવ જોવા મળશે કે નહીં એ તો આવનારો સમય જ નક્કી કરશે.
સોનાનું માર્કેટ રાત્રિના સમય દરમિયાન પણ ચાલુ હોય છે. છેલ્લા દોઢ મહિનાની મહત્તમ સપાટીએ એટલેકે 57 હજાર રૂપિયાની સપાટી સુધી સોનાનો ભાવ પણ લોકો જોયો છે અને સૌથી ઓછો ભાવ પણ લોકોએ જોયો છે. સોનું તેની રેકોર્ડ હાઈથી 4,000 રૂપિયાથી વધુ સસ્તું થઈ રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]