નાની નાની વાત ચિતોને લઈને પરિવારમાં ખેંચતાણ તો ચાલતી રહેતી હોય છે, આ તમામ બાબતોથી ઉપર આવીને દરેક વ્યક્તિ સાથે સરળ સ્વભાવથી જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે, પરંતુ અત્યારના સમયમાં કેટલાક લોકો સમજદારીની આવી બધી બાબતો સમજવા માટે તૈયાર નથી..
અને તેઓ પોતાની વાતોને મનાવવા માટે અનેક ધમ પછાડાઓ પણ કરવા લાગતા હોય છે. જેમાં વધુ એક આંખો ફાડતો બનાવો સમાજના લોકો વચ્ચેથી સામે આવ્યો છે, આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો કે, આવી માથાભારે વહુ સાથે શું કરવું જોઈએ અને શું કરવું ન જોઈએ..?
આ ઘટના ગોપાલ પાર્ક સોસાયટીની છે, આ સોસાયટીમાં ધર્મેશભાઈ નામનો યુવક તેના પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવે છે. ધર્મેશ તેના રહેઠાણથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક કાપડની ફેક્ટરીમાં મેનેજર તરીકેનું કામકાજ સંભાળે છે. ધર્મેશના લગ્ન પાંચ વર્ષ પહેલાં સીતાપર ગામની શીતલ નામની યુવતી સાથે થયા હતા..
જ્યારથી શીતલ લગ્ન કરીને સાસરીયે રહેવા માટે આવી છે, ત્યારથી જ નાની નાની બાબતોને લઈને પણ શીતલ પરિવારના અન્ય સભ્યો સાથે લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. શરૂઆતના સમયમાં તો સૌ કોઈ લોકો એવું સમજતા કે શીતલને આ ઘરમાં અજાણ્યું લાગી રહ્યું છે. એટલા માટે તે ખેંચતાણ કરી રહી છે..
પરંતુ તેનો સ્વભાવ સુધર્યો નહીં અને તે ધર્મેશભાઈના માતા પિતા સાથે પણ રોજ ઊઠીને લડાઈ ઝઘડો કરવા લાગતી હતી, એક દિવસ આ માથાખોર વહુએ તેની સાસુને કહ્યું કે, જો તમે મારા અને ધર્મેશના ઝઘડાની વચ્ચે આવશો તો તમારું પણ હું કાસળ કાઢી નાખીશ, ધર્મેશની માતા ધર્મેશને ક્યારેય પણ શીતલની આવી બધી હેરાનગતિ વિશે જણાવતી હતી નહીં..
તેવો સમજતા કે, જો આ હેરાનગતિ વિશે તેઓ ધર્મેશને જણાવશે તો ધર્મેશ શીતલને ઘરમાંથી કાઢી મુકશે અને તેનું લગ્ન જીવન તૂટી જશે એટલા માટે તેઓએ ક્યારેય તેમના દીકરાને આવી બધી બાબતો જણાવી નહીં, પરંતુ જ્યારે શીતલે તેમનું કાસળ કાઢી નાખવાની વાતચીત કરી હતી ત્યારે ધર્મેશ ની માતાએ ધર્મેશને ફોન કરીને જણાવી દીધું કે..
તારી પત્ની મને મોતને ઘાટ ઉતારવાની ધમકીઓ આપી રહી છે, આ વાતો સાંભળતાની સાથે ધર્મેશ તાત્કાલિક ધોરણે પોતાને ઘરે પહોંચી ગયો હતો અને ત્યારે તેણે તેની પત્ની સાથે એવું કામકાજ કર્યું કે માત્ર બે જ સેકન્ડમાં તેની બધી હવા નીકળી ગઈ હતી. તેને ઘરે પહોંચીને તરત જ તેની પત્નીને જણાવી દીધું કે, તું તાત્કાલિક ધોરણે તારો સામાન પેક કરી લે અને હું તને તારે પિયરે મુકવા માટે આવું છું..
તારે આજ પછી ક્યારેય પણ અહીં સાસરે પગ મુકવાનો નથી. જો તારે રોજબરોજ હેરાનગતિ જ પહોંચાડવી હોય તો તું તારે પિયરે રહી શકે છે, અહીં અમારે તારી કોઈ જરૂરિયાત નથી. ધર્મેશના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે જ માત્ર બે સેકન્ડમાં શીતલ બધું જ સમજી ગઈ હતી અને આજ પછી ક્યારેય ધર્મેશભાઈની માતાને હેરાનગતિ નહીં પહોંચાડે અને નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો પણ નહીં કરે તેવું જણાવી દીધું હતું..
આ હચમચાવી દેતા બનાવ જયારે સમાજના અન્ય લોકો સુધી વાત પહોંચી ત્યારે તેઓ પણ બે ઘડી વિચારવા લાગ્યા હતા કે, પરિવારના ઝઘડાઓને સુલજાવા માટે બિચારા યુવકોને અવનવા પગલાઓ અપનાવવા પડે છે, આ બાબત બિલકુલ હચમચાવી દેતી સાબિત થઈ ચૂકી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]