લોકો સાથે અવારનવાર ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. જેમાં ઘણા બધા દર્દનાક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક જ પરિવારના લોકો પોતાના ઝઘડાને કારણે માસુમ બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવો એક દર્દનાક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ ઘટના ચિરાવળ ગુર્જર ગામમાં બની હતી.
જેમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા તેમનો દીકરો-દીકરાની વહુ અને દીકરી રહેતા હતા. પરિવારમાં રહેતા માતાનું નામ સુમતિ બહેન અને દીકરાની વહુનું નામ પૂનમ હતું અને દીકરીનું નામ મીના હતું. દીકરીના લગ્ન ધામધૂમથી કરાવી નાખ્યા હતા પરંતુ દીકરી બે વર્ષથી તેના પિયરમાં રહેતી હતી અને તે અભ્યાસ કરતી હતી.
જેના કારણે તે સાસરીમાં રહેવાને બદલે પિયરમાં રહેતી જો કે મીનાના લગ્ન અલવર જિલ્લાના બહુતકાલા ગામમાં થયા હતા. મીનાના પતિનું નામ શ્યામસુંદર હતું. મીના બહુતકાલા ગામમાં તેના સાસરીયા સાથે રહેવાને બદલે પીયરમાં રહેતી હતી, જેના કારણે મીના અને તેમની ભાભી પૂનમ વચ્ચે અવારનવાર ઝઘડો થતો,..
બંનેના ઝઘડાના કારણ ઘણીવાર પૂનમ મોડી જાગે ત્યારે તેમની નણંદ મીના તેમને ઠપકો આપીને કહેતી કહેતી કે, આટલું મોડુ કેમ થયું ઉઠવામાં અથવા બંને વચ્ચે કોઈ નાની નાની વાતને લઈને ઝઘડાઓ થતા અને અવનવાર મીના તેમની ભાભીને કોઈ કામ ન થાય તો મેણાટોણા મારતી જેના કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા.
પૂનમે પોતાની સાસુને મીનાની ફરિયાદ કરી ત્યારે સાસુએ પણ તેમની દીકરી મીનાની તરફેણ લઈને કહ્યું હતું કે તને મારી દીકરીઓ ગમતી નથી અને તું તેનું જોઈ શકતી નથી જેના કારણે તું હેરાન કરી રહી છે આમ કહ્યું હતું જેના કારણે પૂનમ ખૂબ જ કંટાળી ગઈ હતી. પૂનમ ગર્ભવતી હતી અને તેણે 14 દિવસ પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો.
મીનાને પણ 2 વર્ષનો એક દીકરો હતો. દીકરાનું નામ શિવમ હતું. શિવમ તેમની માતા સાથે મામાના ઘરે રહેતો હતો. મીના અભ્યાસ કરતી હતી અને તે પોતાના સાસરીયાથી દૂર રહીને પિયરમાં રહી પોતાની ભાભીને હેરાન કરતી હતી જેના કારણે કંટાળેલી પૂનમની એક દિવસ તે ઘરમાં એકલી હતી અને તેમની સાસુ નણંદ તેઓ પશુઓને ચારો આપવા માટે ગયા હતા.
અને શિવમને ઘોડિયામાં સુવડાવીને મીના ગઈ હતી. મીનાએ પૂનમને શિવમનું ધ્યાન રાખવાનું કહ્યું હતું જેના કારણે પૂનમ એ ઘરે કોઈ ન રહેતા પોતાની નણંદનો બદલો લેવા માટે તેમના દીકરા શિવમને અગાસી પર જઈને પાણીની ટાંકીમાં બેસાડી દીધો અને શિવમ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. શિવમે ડૂબીને પોતાનો જીવ ગુમાવ્યો.
ઘરમાં બનાવેલી આ પાંચ ફૂટની ટાંકીમાં દીકરો કોઈ પણ અવાજ વગર મૃત્યુ પામ્યો હતો ત્યારબાદ પૂનમ પોતાનું કામ કરવા લાગી હતી અને તેમની સાસુ ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તો શિવમ ઘોડિયામાં દેખાઈ રહ્યો ન હતો જેના કારણે તેમણે પૂનમને પૂછ્યું હતું પરંતુ પૂનમે કોઈ જવાબ ન આપતા માતા દીકરી તેમના દીકરાને શોધી રહ્યા હતા.
આસપાસ પાડોશીના લોકોને પણ પૂછ્યું હતું જેના કારણે પાડોશીઓ પણ ઘરોમાંથી બહાર આવ્યા હતા અને શિવમને શોધી રહ્યા હતા તે સમયે પાડોશી ના કહેવા પ્રમાણે પાણીની ટાંકીમાં ચેક કર્યું હતું અને ઢાંકણું ખોલ્યું તો જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. શિવમ નિવૃત હાલતમાં જોયું હતું તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જેના કારણે ભરતપુર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાજરી હતી. શિવમના પિતા તેમજ શિવમ ના ઘરના લોકોને શિવમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી જેના કારણે શિવમના દાદા હરિરમે શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂનમ સામે ફરિયાદ નોંધાવી હતી તેમના માસુમ દીકરા સાથે આવી ગંભીર ઘટના કરી નાખવાને કારણે પૂનમની ખૂબ જ કડક પૂછપરછ થઈ રહી હતી.
પૂનમે 14 દિવસ પહેલા જ એક બાળકનો જન્મ આપ્યો હતો જેના કારણે તેની પોલીસ પૂછપરછ કરી રહી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી. એક ભાભી એ પોતાની નણંદના મેણાટોણાનો બદલો તેમના દીકરાનો જીવ લઈને લીધો હતો. આવી ઘટના ખૂબ જ કરુણ બની રહી છે, પરિવારમાં આવા નાના ઝઘડામાંથી આવી જીવલેણ ઘટનાઓ બની રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]