Breaking News

વરસાદ ન થતા ખેડૂતોએ ભેગા મળી માતાજીના મંદિરે કરી લાપસી, હવે ક્યારે આવશે વરસાદ?

મોટા ભાગે જયારે વાવણી કરવાનો સમય આવે ત્યારે ખેડૂતો લાપસીના આંધણ મુક્ત હોઈ છે. દર વર્ષની જેમ ખેડૂતોએ આ વર્ષે પણ હોશે હોશે લાપસીના આંધણ મૂકી પ્રસાદીની લાપસી ખાઈ વાવણીની શરૂઆત કરી હતી. વાવણી થઈ ગયા બાદ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં વરસાદ પડી ગયો છે જયારે ઘણા જીલ્લાઓમાં વરસાદએ ડોકિયું પણ નથી કાઢ્યું. વરસાદન થતા ગામો ગામના ખેડૂતો ભેગા મળીને માતાજીના મઢએ લપસી કરી પ્રાર્થના કરી કે હે માં , આ તાતને વારે આવજે માં.. સૌ કોઈ તારી આશા એ બેઠા છે કે માં વરસાદ લાવશે.

ખેતરમાં ઉભા પાક પાણીની સુવિધા ન હોવાને કારણે સુકાઈ રહ્યા છે. કપાસ અને મગફળીના પાકોને ભરપુર નુકસાન થયું છે. આ વર્ષે વરસાદ એકંદરે નબળો રહ્યો છે. વરસાદી પાણીની આવક ઓછી હોવાથી રાજ્યના તમામ મોટા જળાશયો પણ ખાલી ખમ પડ્યા છે.

આવા સમયે ઉનાળામાં પીવાય એટલું પાણી જળાશયોમાં બચે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે પણ પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની મનાઈ કરી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે જો પીવાના પાણીના જથ્થો બચાવ્યા બાદ જો પાણી વધશે તો ખેડૂતોને સિંચાઈ માટે અપાશે.

રાજ્યના ખેડૂતોની સ્થિતિ હાલ ખુબ જ ગંભીર છે , જો હજુ એક અઠવાડિયું વરસાદ નહી પડે તો ખેતીમાં ભારે નુકસાન વેઠવું પડશે એ પ્રકારની બીક સતાવી રહી છે. જો કે હવામાન વિભાગે આવતા અઠવાડિયામાં વરસાદ પડશે એવી આગાહી કરી છે.

ગામના ખેડૂતો માતાજીના મઢએ લાપસી કરી હતી. વરસાદ પાછો ખેચાયો છે જેના લીધે ખેડૂતો માટે હાલત ખરાબ બની છે. છોકરાની જેમ પાકનો ઉછેર કર્યો હોય અને હવે વરસાદના કારણે ઉભો ઉભો સુકાઈ એ જોઈ શકાતુ નથી. સૌ કોઈએ માતાજીના દર્શન કાર્ય અને એક જ અરજ કરી કે વરસાદ લાવજે માં. સૌ કોઈને આશા છે કે માં જરૂર અમારી વાત સાંભળશે અને વરસાદ લાવી ખેડૂતોના દુખો દુર કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *