Breaking News

માતાજીના માંડવામાં ધૂણતા ભુવા પર પૈસા ઉડાડવા જતી મહિલાને 4 લોકોએ ઢોર માર માર્યો, પોલીસ પણ કારણ જાણવા છે હેરાન..!

જ્યારે પણ કોઈ સગા સંબંધીઓના ઘરે કોઈ શુભ પ્રસંગ આવી પહોંચે છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે તેના સંબંધીઓ ત્યાં પહોંચી જતા હોય છે. પરંતુ સંબંધીઓની સાર સંભાળ રાખવી અને તેમની દરેક સુવિધાઓ પૂરી પાડવી એ ઘરઘણીની પ્રથમ ફરજ છે. હાલ અમદાવાદમાં રહેતી મહિલા પોતાના કૌટુંબીક ભાઈ ના ઘરે માતાજીના માંડવાના પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી..

મહિલા પોતે અમદાવાદમાં રહે છે. જ્યારે તેના કૌટુંબિક ભાઇ અમરેલીમાં રહે છે. ઉષાબેન દિનેશભાઈ રાઠોડ નામની આ મહિલા કે જેમની ઉંમર ૨૭ વર્ષની છે. તેમની સાથે ખૂબ જ વિચિત્ર બનાવ બન્યો છે. જ્યારે તેઓને જાણ થઈ કે તેમના કુટુંબી ભાઈના ઘરે માતાજીનો માંડવો રાખવામાં આવ્યો છે. તેમજ તેમના કુટુંબીજનોએ પણ તમને ફોન કરીને માંડવાના પ્રસંગમાં હાજરી આપવા માટે જણાવ્યું હતું..

એટલા માટે મહિલા પોતાના ઘરેથી અમરેલી જવા માટે નીકળી હતી. ત્યારબાદ તે ગારીયાધાર થી અમરેલી પહોંચી હતી. પોતાના કુટુંબી ભાઈ ના ઘરે માતાજીનો માંડવો શરૂ થયો અને સૌ કોઈ લોકો આ પ્રસંગની આનંદ માણી રહ્યા હતા. તેમજ માતાજીની પૂજા-અર્ચના કરી રહ્યા હતા..

માતાજીના માંડવામાં ઘણા બધા ભુવાઓ ધૂણતા હોય છે. આ ભૂવા જ્યારે ધૂણે છે ત્યારે માંડવામાં હાજર લોકો તેમના પર પૈસા ઉડાડવા માટે જતા હોય છે. મોટાભાગે તમે જોયું હશે કે ડાયરા જેવા કાર્યક્રમમાં પણ લોકો મન મુકીને પૈસાનો વરસાદ કરી દેતા હોય છે. માતાજીના માંડવામાં પ્રસંગ યોજનારના પરિવારજનો મન મૂકીને પૈસાનો વરસાદ કરી રહ્યા હતા..

એવામાં ઉષાબેન દિનેશભાઈ રાઠોડ પણ પૈસા ઉડાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અને માતાજીના માંડવામાં જ્યારે ભુવા ધુણે રહ્યા હતા ત્યારે તેમના પૈસા ઉડાડવા માટે તેઓ માંડવામાં વચ્ચે ગયા હતા. તેઓ જ્યારે પૈસા ઉડાવી રહ્યા હતા. ત્યારે ચાર લોકો અચાનક જ માતાજીના માંડવામાં આવી પહોંચ્યા હતા અને આ મહિલાને ઘસડીને માંડવામાંથી બળજબરી પૂર્વક બહાર લઈ ગયા હતા..

અને ત્યારબાદ તેને ઢોર માર મારવા લાગ્યા હતા. મહિલાને મારતા આ યુવકોને અન્ય મહેમાનોએ જોયું ત્યારે તેઓ પણ વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે આ મહિલા એવું તો શું કર્યું છે કે આ લોકો તેને ઢોર માર મારવા લાગ્યા છે. જોતજોતામાં સૌ કોઈ લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને આ મહિલાને 4 લોકોના મારના મુખમાંથી બચાવી હતી..

સુરાભાઈ હરિભાઈ, હરિભાઈ માનાભાઈ, ભીમાભાઇ માનાભાઈ અને ભુરાભાઈ મેવાભાઈ નામના તાલુકો આ મહિલાને ઢોર માર મારવામાં સામેલ હતા. આટલું જ નહીં પરંતુ આ મહિલાના માતા-પિતા અને તેના સગા ભાઈને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. માર પાછળ કયા કારણોસર જોડાયેલા છે..?

તે બાબતની જાણ હજુ થઇ નથી પરંતુ મહિલાએ આ બાબતને લઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં આ ચાર યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. અને જણાવ્યું છે કે તેઓ જ્યારે પૈસા ઉડાડવા જતા હતા. ત્યારે તેઓને પકડીને બહાર લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો.

તેમજ તેમના માતા-પિતાને તેમના ભાઈને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. અમરેલી પોલીસે નોંધી લીધી છે. પરંતુ આમાં કઈ રીતે માર મારવામા આવ્યો છે અને આ માર પાછળ કયા કારણો જવાબદાર છે તેના કારણો જાણવા માટે પોલીસ પણ હેરાન થઈ ગઈ છે. હકીકતમાં આ ખુબ જ ચોંકાવનારી બાબત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *