આજકાલના ડિજિટલ જમાનાની અંદર ઘણા બધા લોકો હજુ પણ અન્ય લોકોની એવી રીતે ડરાવી ધમકાવી રહ્યા છે કે, જેની ન પૂછો વાત અને હવે સગા ભાઈઓમાં પણ જોઈએ તેટલો સૌ મને એકતા જોવા મળતી નથી. અત્યારે એક સગા ભાઈએ તેના નાના ભાઈને માતાજીની આજ્ઞા અને પરચાઓની બીક દેખાડીને તેની જમીન હડપવાની કોશિશ કરી નાખી હતી…
આ બનાવ ઈશ્વરગઢ ગામનો છે. આ ગામની અંદર રહેતા દિપેશભાઈ નામના યુવકને તેના મોટાભાઈ ગિરધરભાઈએ માતાજીની આજ્ઞા અને પરચાની બીક દેખાડીને જમીન પરત આપી દેવા માટે જણાવ્યું હતું અને ત્યાર પછી એવી ઘટના બની ચૂકી છે કે, જેમાં નાનકડી જમીનને લઈને આખું ગામ દોડતું થઈ ગયું છે..
ગિરધરભાઈએ તેના નાના ભાઈ દીપેશને એક દિવસ જણાવ્યું હતું કે, તારે તારા ભાગની જમીન મને આપી દેવી પડશે. કારણ કે થોડા દિવસ પહેલા તેઓએ માતાજીને પૂછ્યું હતું કે, આ જમીન કોના હાથમાં વધુ સુરક્ષિત છે.? ત્યારે માતાજીએ તેમને જણાવ્યું હતું કે, આ જમીન જો તારા હાથમાં રહેશે તો વધારે સુરક્ષિત અને વધારે રૂપિયા કમાઈ શકશો..
એટલા માટે આ જમીન તારે મને આપી દેવી જોઈએ, મોટાભાઈના મોઢેથી આ શબ્દો સાંભળીને નાના ભાઈ દીપેશને સમજાઈ ગયું હતું કે તેમના મોટાભાઈ તેમની પાસેથી જમીન હડપવાની કોશિશ કરી રહ્યા છે. અને આ જમીનને મેળવવા માટે તે માતાજીની લાગણી અને આસ્થા અને શ્રદ્ધાનો ઉપયોગ કરી રહ્યા છે..
જે બિલકુલ ખોટી બાબત છે. તેઓએ તરત જ તેમના મોટાભાઈને જણાવી દીધું કે, તેઓ તેમની કોઈપણ વાતમાં વિશ્વાસ કરતા નથી. તેમને માતાજીમાં ઘણી બધી આસથા શ્રદ્ધા અને લાગણી છે. તેઓ દરરોજ માતાજીના દર્શન કરવા માટે જાય છે. પરંતુ માતાજી હંમેશા એક વ્યક્તિના સુખમાં જ દરેકનું ભલું ઈચ્છે છે..
તેઓ ક્યારેય પણ કોઈના મોઢેથી અન્નનો કોળીયો છીનવતા નથી અને તમે માતાજીનું નામ આપીને મારા મોઢેથી અન્નનો કોળિયો છીનવવા માટે મને માતાજીની બીક દેખાડી રહ્યા છો, જે બિલકુલ ખોટી બાબત છે. હું મારી જમીન ક્યારેય પણ તમને નહીં આપું હું મારી જમીન ખુદ જ વાવેતર કરીશ અને મારા પરિવારનું ગુજરાન ચલાવીશ…
નાનાભાઈ દીપેશના મોઢેથી આ વાતો સાંભળીને મોટાભાઈ ગિરધરભાઈનો પિત્તો હલી ગયો હતો અને તે જમીન હડપવા માટે સાવ નિચલી કક્ષાના પ્રવૃત્તિઓઓ પર ઉતરી આવ્યા હતા અને પોતાના નાના ભાઈને ઢોરમાર મારવા લાગ્યા હતા અને કહ્યું કે, જો તું મને તારા ભાગની જમીન નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ..
એમ કહીને ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું હતું, આ ઘટના જ્યારે અન્ય લોકો સુધી પહોંચી ત્યારે આખું ગામ દોડતું દોડતું ત્યાં આવી પહોંચ્યું હતું. આ ઘટનાને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી કે, જમીનના મામલાને લઈને બે ભાઈઓમાં ખૂબ જ મોટી લડાઈ ઝઘડો થઈ ગયો છે..
અને વાત મારા મારી સુધી પણ પહોંચી આવી છે. દિપેશભાઈ અને ગિરધરભાઈ આ ઘટનાને લઇને આખો પરીવાર દુઃખી છે. કારણ કે તેઓએ ક્યારેય વિચાર્યું પણ હતું નહીં કે, આ બંને ભાઈઓ તેમની જમીનની બાબતોને લઈને એકબીજા ઉપર હાથ ઉપાડશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]