હાલ ખૂબ જ હચમચાવી દે તેવોએ બનાવવા અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ચર્ચામાં આવ્યો છે. આ વિસ્તારમાં અજય પરમાર નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. આ વ્યક્તિનું મૂળ ગામ પાલનપુર તાલુકાના વગડા ગામમાં આવેલું છે. તેના લગ્ન 13 વર્ષ પહેલા ભાગળ ગામની યુવતી કે જેનું નામ જ્યોતિ છે. તેની સાથે થયા હતા..
જ્યોતિના માતા-પિતા ન હોવાથી જોતી તેના મામાના ઘરે રહેતી હતી. પરંતુ લગ્ન બાદ તે સાસરે અમદાવાદ ખાતે રહેવા આવી ગઈ હતી. આ પરિવાર અમદાવાદના પૂર્વ વિસ્તારની રતિલાલની ચોલીમાં રહેતા હતા 2018ની સાલમાં તેઓને લગ્ન જીવન દરમિયાન યુવી નામનો એક દીકરાનો જન્મ પણ થયો હતો. લગ્નજીવન ખૂબ જ ખુશ ખુશાલ ચાલતું હતું.
પરંતુ અચાનક જ એક દિવસ તેની પત્ની જોતીની કાળી કરતુંતો તેના પતિ સામે આવી ગઈ હતી. કારણ કે જ્યોતિ તેના બાળકને લઈને પોતાના મામાના ઘરે રહેવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ સાંજે સુધી તે તેના મામાના ઘરે પહોંચી હતી નહીં. એટલા માટે તેને વારંવાર જ્યોતિનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..
અને બીજા દિવસે સવારે જોતી તેના મામાના ઘરે પહોંચી જ્યારે અજય પૂછ્યું કે તું શા માટે એટલી બધી મોડી પહોંચી જવાની અત્યાર સુધી તું ક્યાં હતી ત્યારે જ્યોતિ ખૂબ જ ભાંગી પડી હતી. અને તેને જાણ કરી હતી કે તે ભરત પરમાર નામના એક યુવકના સાથે પ્રેમ સંબંધ થયો છે એને મળવા માટે તે ગઈ હતી એટલા માટે તેને મામાના ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું છે..
એટલું સાંભળતાની સાથે જ અજય પરમાર ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને ઝઘડો થયો હતો. પરંતુ થોડા દિવસ બાદ આ ઝઘડાનો સમાધાન થઈ ગયું હતું. અને તેની પત્ની ક્યારેય ભરત પરમાર નામના યુવકને નહીં મળે. અને તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ પણ નહીં રાખે તેવું જણાવ્યું હતું. આ સમાચારની થવાની સાથે જ તેઓ પહેલાની જેમ સારી રીતે રહેવા લાગ્યા હતા..
પરંતુ એક દિવસ ફરિવાર અજય પરમારને જાણ થઈ કે તેની પત્ની હજુ પણ ભરત નામના યુવક સાથે પાર સંબંધમાં જોડાયેલી છે. જ્યારે તેને ફરી એક વખત ઠપકો આપ્યો હતો. અને આ તમામ બાળકો તો મૂકી દેવા જણાવ્યું હતું. પરંતુ જ્યોતિ વારંવાર કોઈને કોઈ કારણોસર પોતાના ઘરેથી નીકળી જતી હતી અને તેના પ્રેમી ભરત પરમારને કોઈ ગેસ્ટ હાઉસમાં મળવા જતી હતી.
અને તેઓ અંગત પળો વીતાવતા હતા. પરંતુ હવે તેના ત્રણ વર્ષનો દીકરો પણ તેને ખૂબ જ અડચણરૂપ બનવા લાગ્યો હતો. એટલા માટે જોતી અને તેના પ્રેમીએ આ દીકરાને પોતાના રસ્તા પરથી સાફ કરી નાખવાનો નિર્ણય બનાવ્યો હતો. અને તેને મારી નાખવાની ઘટના પણ ઘડી નાખી હતી. એક ઘટના મુજબ તેણે એક દિવસ બપોરના સમયે જ્યોતિને પોતાના બાળક સાથે સિવિલ હોસ્પિટલ પાસે બોલાવી હતી..
ત્યારબાદ તેઓ હોસ્પિટલની નજીક એક ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જ્યાં ભરત પરમાર દૂધની અંદર જેર નાખી ને જ્યોતિના દિકરા યુવીને પીવડાવી દીધું હતું. દૂધ પિતાની સાથે ધીમે ધીમે ત્રણ વર્ષનો દીકરો યુવી બેભાન થવા લાગ્યો હતો. ત્યારે તેની નિર્લજ્જ અને બેશરમ તેમજ હત્યારી માતા તેના પ્રેમી સાથે અંગત પળો વીતાવવાને લાગી હતી..
એ બાજ તેનો દીકરો મરવા પડ્યો હતો અને એક બાજુ પોતે તેના પ્રેમી સાથે રંગલીલા મનાવી રહી હતી. તેને એકપણ વાર પોતાના પતિ અને પોતાના દીકરાનો વિચાર કર્યો હતો નહીં. જ્યારે દીકરો સંપૂર્ણ રીતે મૃત્યુ પામ્યા ત્યારે તેણે પોતાના દીકરાને રિક્ષામાં બેસાડીને પાછી ઘરે લઈ આવી હતી. ત્યારબાદ તેને સુવડાવી દીધો અને લાંબા સમયથી આ બાબતે હજુ પણ જાગ્યો નથી.
તેઓ ડોળ કર્યો હતો. અને તેના પતિને પણ જાણ કરી હતી કે, તેમનો દીકરો યુવી જાગતો નથી. એટલા માટે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ પાલનપુરના ગામે તેની અંતિમ વિધિ પણ કરી નાખવામાં આવી હતી. જ્યારે નો રિપોર્ટ આવ્યો ત્યારે જણાયું કે દીકરાનું મૃત્યુ જેર પીવાને કારણે થયું છે..
રિપોર્ટ વાંચતાની સાથે જ જ્યોતિના પતિ તેમજ પરિવારના અન્ય સભ્યોને શંકા ગઈ કે નક્કી આ મૃત્યુ પાછળ તેની માતાનો હાથ છે. એટલા માટે તેઓએ જ્યોતિને એકલામાં બોલાવીને કડક પૂછતાછ શરૂ કરી હતી. અને જ્યોતિએ તમામ હકીકતો પણ જણાવી દીધી હતી. ત્યારબાદ અજય પરમાર કોટડા પોલીસ સ્ટેશનમાં તેની પત્ની સામે પોતાના દીકરાને મારી નાખવાના આરોપમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો.. તેને પોતાની પત્ની સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. અને પોલીસે જ્યોતિને પકડી પાડી હતી. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી ચલાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]