Breaking News

માતાએ તેના અઢી વર્ષના સગા દીકરાને મચ્છર મારવાની દવા પાઈને મોતને ઘાટ ઉતારી દીધો, કારણ જાણીને પોલીસ પણ છે હેરાન..!

ઘણી બધી વાર એવું બને છે કે સગી માતા જ તેના દીકરા માટે કાળ સમાન સાબિત થતી હોઈ છે. પોતાના જ દીકરા સાથે ખોટું કરતા પહેલા તેમના જીવ કેમ ચાલતા હશે એ જ નથી સમજાતું.. આવા લોકોને સમજાવવા માટે અને તેમની અક્કલ ઠેકાણે લાવવા માટે પોલીસ ખુબ જ મહેનત કરી રહી છે અને નાના બાળકો ઉપર થતા અત્યાચારોને રોકવા મથામણ પણ કરી રહી છે..

આ પ્રકારનો જ એક મામલો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાંથી સામે આવ્યો છે. આ મામલો સનસનીખેજ સાબિત થયો છે. આકાશ નામનો એક વ્યક્તિ ગાઝિયાબાદના મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સૈયદપુર ગામમાં રહે છે. ત્યાં તે પરિવારજનોની સાથે રહે છે. પરિવારમાં તેની પત્ની અને તેના અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે..

એક દિવસ આકાશનો તેની પત્ની સાથે સાવ મામુલી બાબતે ખુબ જ મોટો ઝગડો થયો હતો. તેના દીકરાનું નામ અક્ષિત છે, તેની પત્નીએ અ ઝગડાનો ખાર તેના દીકરા પર વાળ્યો હતો. આકાશની પત્નીએ તેની સાથેના ઝઘડા બાદ તેના અઢી વર્ષના પુત્રની સાથે ખુબ જ ખોટું કર્યું છે.. અઢી વર્ષનો પુત્ર અક્ષિત તેની દાદી સાથે સૂતો હતો.

બાળકની દાદી કોઈ કામ હોવાથી ઉઠી હતી. ત્યારે બાળકની માતાએ મોકાનો લાભ લઈને તેના અઢી વર્ષના બાળકને મચ્છર મારવાની દવા પીવરાવી દીધી હતી. ધીમે ધીમે તેનો દીકરો ભાન ભૂલવા લાગ્યો હતો. જેમ જેમ આ દવાની અસર વધતી ગઈ તેમ તેમ તેના શરીરના અંગો પણ કામ કરતા બંધ થઇ ગયા હતા..

જ્યારે બાળકના દાદીને જાણ થઇ ત્યારે તેઓએ આ ઘટનાની જાણ આકાશને પણ કરી હતી. આકાશ તરત જ દોડતો દોડતો ઘરે પહોચ્યો અને તેના દીકરાને હોસ્પિટલ ભેગો કર્યો હતો. પરતું ત્યાં નાનકડા ચેકિંગ બાદ ડોકટરે અક્ષિતને મૃત જાહેર કરી દીધો હતો. આ મામલે મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપી હતી. આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ગાઝિયાબાદના એસપી દેહત ઈરાજે કહ્યું કે ઘટનાની જાણકારી મોદીનગર પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા અને તેના પતિ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના પછી ગુસ્સામાં મહિલાએ તેના અઢી વર્ષના પુત્રને મચ્છર ભગાડવાની દવા આપીને મારી નાખી હતી. નાનકડી અમથી વાતમાં આ માથાભારે માતાએ તેના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *