લગ્ન પ્રસંગમાં જમણવારની અંદર અવનવી વાનગીઓ રાખવામાં આવે છે. આ વાનગીનો લગ્નમાં આવેલા મહેમાન મન મૂકીને આનંદ માણે છે અને ભરપેટ ખાઈને લગ્ન પ્રસંગની શોભા વધારે છે. પરંતુ અત્યારે એક લગ્નના જમણવારની અંદર એક નજીવી બાબતને લઈને પડ્યા હતા કે, લગ્ન પ્રસંગ અટકી પડ્યો અને તે મોતના માતમમાં પણ ફેરવાઈ ગયો હતો..
આ રુવાટા બેઠા કરી દેતી ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવી છે, અહીં પુરા વિસ્તારમાં ઉસ્માન નામના વ્યક્તિને બંને દીકરીઓના લગ્ન જૈનબ બને સાજીયા નામના યુવકો સાથે નક્કી કરવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગ વિનાયક ભવનની અંદર ચાલી રહ્યો હતો. આ પાર્ટી પ્લોટમાં લગ્ન વખતે ખૂબ જ મોટું હોબાળો મચી જવા પામ્યો છે…
આ મોહલાની અંદર રહેતા જાવેદ નામના એક મોટા વેપારીના બંને દીકરા જઈના બંને સાજિયા લગ્ન પ્રસંગમાં જમણવારના કાર્યક્રમની અંદર ગુલાબજાંબુ પણ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગની અંદર વરરાજાના કેટલાક મિત્રો જ્યારે જમણવાર માટે પહોંચ્યા ત્યારે તેઓએ ગુલાબજાંબુ ખાવાનો રસ રુચિ ધરાવતી હતી..
અને તેઓ એક પછી એક લગભગ ઘણા બધા ગુલાબજાંબુ ખાઈ લીધા હતા. અને વારેવારે તેઓએ ગુલાબજાંબુની માંગણી કરતા હતા, પરંતુ ગુલાબજાંબુ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તે અન્ય મહેમાનો માટે પૂરા પડે તેમ હતા નહીં, એટલા માટે ત્યાં પીરસનાર વ્યક્તિએ ગુલાબજાંબુ આપવાની મનાઈ કરી હતી અને બસ આ બાબતને લઈને જ વરરાજાના મિત્રો રસોયા સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા..
અને કહેવા લાગ્યા કે, તેમને ગુલાબજાંબુ ખાવા જોઈશે એટલા માટે કોઈપણ કાળે અને કોઈ પણ વ્યક્તિ તેમને રોકી શકશે નહીં. જ્યારે રસોયાએ બંને દુલ્હનના પિતાને જણાવ્યું કે વરરાજાના મિત્રો પોતાની મનમાની કરીને ગુલાબજાંબુ ખાઈ રહ્યા છે, ત્યારે દુલ્હનના પિતા ત્યાં આવી પહોંચ્યા અને આ યુવકોને સમજવાની કોશિશ કરી હતી..
પરંતુ આ યુવાનો તેમની સાથે ગેરવર્તણુક કરવા લાગતા વરરાજાના મિત્રોને દુલ્હનના પિતાએ તમાશા મારી દીધા હતા અને ત્યાર પછી બંને વેવાઈઓ સામસામે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા કે, તમે શા માટે અમારા યુવકોને માર મારી રહ્યા છો. એક બાજુ લગ્ન પ્રસંગ યોજાયો હતો અને બીજી બાજુ આ બંને વેવાઈઓ એકબીજાને ઢોર મારવા લાગ્યા હતા..
અને ધીમે ધીમે તેમની સાથે રહેલા કેટલાક યુવકો પણ એકબીજાને માર મારવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને એટલો મોટો હોબાળો મચી ગયો કે, આ બંને વેવાઈઓએ પોતાની પાસે રહેલા ધારદાર સાધન કાઢી અને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. જેમાં વરરાજાના એક મિત્રનું મૃત્યુ થઈ જતા લગ્ન પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો..
અને લગ્ન પ્રસંગને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યો હતો. ગુલાબ જાંબુ જેવી નાની અમથી વાતચીતને લઈને આ લગ્ન પ્રસંગમાં હાજર રહેલા મહેમાનોની સામે જ આપણને વેવાઈઓ લડાઈ ઝઘડો કરવા લાગ્યા છે. એમાં એક યુવકનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે, આ ઘટના બન્યા બાદ ત્યાં હાજર રહેલા કેટલાક લોકો કહેવા લાગ્યા કે, આ બંને વેવાઈ ઠેકાણા ન હોય તેવું લાગી રહ્યું છે..
કારણ કે તેમના દીકરાને દીકરીના લગ્ન પ્રસંગ છે. અને તેમને સાથે લગ્ન પ્રસંગમાં સાથ પુરાવી પ્રસંગની શોભા વધારવા ને બદલે આ બંને વ્યક્તિ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરીને માર મારવા ઉપર ઉતરી આવ્યા છે. જે બિલકુલ ખોટી બાબત છે. આ ઘટના સર્જાઈ ત્યારબાદ લગ્ન પ્રસંગ અટકાવી દેવામાં આવ્યો હતો..
અને સૌ મહેમાનો પોત પોતાના ઘરે પણ ચાલ્યા ગયા હતા, બીજા દિવસે ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ત્યાં તપાસ ચલાવામાં આવી હતી કેટલાક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા, આ નિવેદનના આધારે મૃતક વ્યક્તિને મારનાર વ્યક્તિ કોણ હતું તેનો અતોપતો મેળવાય રહ્યો છે.
તો બીજી બાજુ વરરાજાના મિત્રોનું મૃત્યુ થઈ જતા તેના પરિવારજનો મોતના માતમમાં ચાલ્યા ગયા છે. મૃતક વ્યક્તિના પરિવારજનોનું કેહવું છે કે, તેમના દીકરાનું શું વાંક કે તેમને આ મોતનો સામનો કરવો પડી રહ્યો છે. બિચારાને કેવી દર્દ અને પીડા થઈ હશે કે, જ્યારે આ બંને વેવાઈઓ એકબીજા ઉપર લડાઈ ઝઘડો કરીને માર માર વાપરવા પર ઉતરી આવ્યા હતા અને જેમાં દીકરો મૃત્યુ પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]