રોજ રોજ અકસ્માત અને અન્ય બનાવો બનવાની સાથે સાથે આપઘાત કરવાના બનાવો પણ ખૂબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ એવા ઘણા બધા ચોંકાવનાર આપઘાતના બનાવો સામે આવે છે. જે વાંચતા જ ભલભલા લોકો હચમચી જતા હોય છે. તો કેટલાક લોકો આપઘાતનું કારણ શોધવામાં પણ મથામણ કરવા લાગે છે..
હાલ ખૂબ જ અજીબ આપઘાતનું એક બનાવો રાજકોટના જેતપુર માંથી સામે આવ્યો છે. હકીકતમાં જ્યારે યુવક યુવતીના લગ્ન થાય ત્યારે કેટલીક યુવતીઓને ખૂબ જ સારું લગ્ન જીવન પસાર થાય તેવું સાસરુ મળતું હોય છે. જ્યારે કેટલીક યુવતીઓને થોડી ઘણી હેરાન ગતિ વાળું સાસરુ પણ મળે છે. હકીકતમાં જો પરિવારના સૌ કોઈ સભ્યો હળી મળીને રહે તો ક્યારેય હેરાનગતિના પ્રશ્નો ઊભા થતા નથી..
અને લડાઈ ઝઘડા પણ થતા નથી. પરંતુ જે પરણીતાને સાસરીયા વાળા તરફથી ખૂબ જ ત્રાસ પહોંચતો હોય તેવો અંતે કંટાળી જઈને આપઘાત નો પગલું પણ ભરી લે છે. અને હવે એવો જ એક બનાવો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો છે. જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં એક યુવક રહે છે..
તેના લગ્ન મુસ્લિમ રીતે રિવાજ મુજબ રાજકોટના ઘાંચીવાડા વિસ્તારમાં રહેતી સુજાન ફૂફાર નામની યુવતી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન શરૂઆતના એક બે મહિના ખૂબ જ સારું લગ્નજીવન ચાલતું હતું. પરંતુ ધીમે ધીમે સાસરીયાઓ તેને માનસિક ત્રાસ પહોચાડી રહ્યા હતા તેનો પતિ કાપડની દુકાન ચલાવતો હતો..
જેનું નામ રાહીલ વાડીવાલા હતું. પરિવારજનો હંમેશા તેને તરછોડતા હતા. અને ક્યારેય કોઈ તહેવારને લઈને બહાર લઈ જતા હતા નહીં. તેમજ જઈને બોલાવતા પણ નહીં. આ તમામ બાબતોનો જેને ખૂબ જ મોટું લાગી આવતું હતું. અને એક દિવસ તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને પાછો ખાઈ લીધો હતો..
જ્યારે પરિવારજનોને જાણ થઈ કે તેમની પુત્ર વધુએ ફાંસો ખાઈને જીવન ટૂંકું કરી દીધું છે. ત્યારે તેઓ તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી..
હાલ આ તમામ મામલાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે. અને આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ બહાર લાવવાની કોશિશ કરે છે. પરંતુ પ્રાથમિક તપાસ અને પૂછતાં જ દરમ્યાન જાણવા મળ્યું છે કે, આ પરણીતાએ સાસરીયા વાળાના ત્રાસને કારણે તેમાં પણ ખાસ કરીને તેના પતિની હેરાનગતિને કારણે માઠું લાગી આવ્યું હતું..
અને તેણે આપઘાત કરી લીધું છે. જ્યારે સુજાન ફુફારના માતા પિતાને જાણ થશે કે તેમની વહાલ સુધી દીકરીએ આપઘાત કરી લીધો છે. ત્યારે તેમના માથે આફતોના વાદળો ફાટી નીકળશે કારણકે તેઓએ જે દીકરીને લાડ પ્રેમથી ઉછેર કર્યું હોય અને એક તેની લાશ નજરે કરવાની થાય તે દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]