જ્યારે પણ માણસની સહનશક્તિ પૂરી થઈ જાય છે, ત્યારે તે કયું પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી. આ સાથે સાથે અપમાન સહન કરવાની પણ કોઈ માણસની હદ હોય છે. જ્યારે આ હદ વટી જાય ત્યારે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. અને કોઈ વખતે અવળા પગલા પણ ભરી લેતા હોય છે..
અત્યારે એવું જ એક પગલું હરિયાણાના પાણીપત જિલ્લામાં આવેલી અક્ષર કોલોનીમાં રહેતા અશોકકુમાર નામના વ્યક્તિએ ભરી લીધું છે. અશોક કુમારની ઉંમર 40 વર્ષની હતી. તેને સગા ત્રણ ભાઈઓમાં સૌથી મોટો ભાઈ હતો. જેમાં તેનાથી નાનો ભાઈ બિજેન્દ્ર પાણીપતમાં રહીને જ નોકરી કામ કરતો હતો..
જ્યારે અશોક તેની પત્ની અને તેના ત્રણ બાળકો સાથે રહેતો હતો. અશોકના લગ્ન પુષ્પા નામની મહિલા સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેણે ત્રણ બાળકોને જન્મ પણ આપ્યા હતા. પરંતુ જેમ જેમ લગ્નજીવન આગળ વધતું ગયું તેમ તેમ અશોકની પત્ની ઘરમાં નાની નાની બાબતોને લઈને ખૂબ જ લડાઈ ઝઘડો કરતી હતી..
તેનું અચાનક જ બદલાઈ જતું આ વર્તન જોઈને અશોકને પણ તેની પત્ની ઉપર શંકા જવા લાગી હતી. અને તેની આ શંકા એક દિવસ સત્યમાં પરિવર્તન પામી હતી કે, જે દિવસે અશોક સવારના સમયે પોતાની નોકરી ધંધે ગયો હતો. ત્યારે તેની પત્ની તેના ત્રણ બાળકોને રીટા મૂકીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી..
તે જ્યારે સાંજના સમયે ઘરે આવીએ ત્યારે ત્રણેય બાળકો ભૂખ્યા અને તરસ્યા રડતા હતા. તેને જાણકારી મળી કે, તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. ત્યારે તે ખૂબ જ હતાશ થયો હતો. અને વિચારવા લાગ્યો કે, હવે સમાજના લોકો તેના વિશે શું વિચારશે. આ સાથે સાથે તેનું ખૂબ જ અપમાન થશે..
અને હવે તેના ત્રણેય બાળકોને કોણ સાચવશે? વગેરે જેવી માહિતીઓ તે વિચારવા લાગ્યો હતો. તે ખૂબ જ દુઃખી થયો અને તેણે તેના ભાઈને ફોન કરીને જણાવ્યું કે, મારી બૈરી ત્રણ બાળકોને મૂકીને પ્રેમી સાથે ભાગી ગઈ છે. અને હવે મારે આ દુનિયામાં નથી જીવવું એમ કહીને તેને આપઘાત કરી લીધો હતો..
પોતાના ભાઈને આ શબ્દો સાંભળીને નાનો ભાઈ તાત્કાલિક ધોરણે અશોકકુમાર ના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં ઘરે જઈને જોયું તો અશોકકુમાર આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે આસપાસમાં સૌ કોઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે..
આસપાસના પડોશીવાનું કહેવું પણ છે કે, જ્યારે અશોકકુમાર પોતાની નોકરી ધંધે જતો ત્યારે તેની પત્ની તેના પ્રેમની સાથે મળીને ખૂબ જ ખરાબ હરકતો પણ કરતી હતી. પરંતુ એક પડોશી હોવાને નાતે ક્યારેય પણ આ પરિવારનું ઘર ન તૂટે એટલા માટે તે સૌ કોઈ લોકો ચૂપ રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]