આજકાલ મહિલાઓ તેમજ નાની ઉંમરની છોકરી ઓને બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે કોઈ નજીકના વ્યક્તિ સાથે અણ બનાવવો બને છે. ત્યારે તમામ લોકોની આંખો ખુલી જતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો નાની અમથી બાળકીઓ ઉપર પણ બનાવ બનવાની ઘટના દિવસેને દિવસે વધતી જ જાય છે.
હાલમાં એવી જ ઘટના સામે આવી છે, જેને વાંચીને ભલભલા વાલી લોકો એક સમય માટે વિચારમાં મુકાઈ જશે. હાલ જે ઘટના બની છે તે મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં એક સગીર બાળકી જે પોતાની બહેનપણી સાથે મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય છે, તેઓ બંને મંદિરના કેમ્પસમાં જ દર્શન કર્યા બાદ ત્યાં જ બેસીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.
બરોબર એ જ સમયે એકાએક છ જેટલા યુવકો ત્યાં પહોંચી ગયા હતા અને મંદિરમાં બેઠેલી આ બે છોકરીઓને અચાનક જ ધમકાવા લાગ્યા અને ત્યારબાદ તો એસીપી અનીલ સોનગઢએ બતાવેલી માહિતી મુજબ આ બે સગીરાઓને નરાધમો ઘસડીને નજીકની એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને આ 6 એકસાથે સગીર બાળકી ઉપર તૂટી પડ્યા હતા અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.
ફરિયાદ અનુસાર આરોપીઓએ સગીરાની બહેનપણી સાથે પણ મારપીટ કરી હતી અને તેની સામે જ અન્યની છે.ડતી કરી હતી બંનેના ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે પીડીતાના પરિવારજનોને તથા તેને બેનપણીના સગા સંબંધીઓને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી દીધી હતી.
ત્યારબાદ આ સગીરાની હાલત વધુ ખરાબ થતી જોઈ પોલીસ તંત્ર તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ તંત્રને આ લોકો દ્વારા જણાવ્યા અનુસાર આરોપીઓ સામે કલમો નોંધીને ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓની હાલ ધરપકડક પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત હજુ બીજા ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે, અનિલ સોનકરે જણાવ્યું કે આરોપીઓમાં બે સગીર પણ સામેલ છે. આ દરમિયાન રહેવાના જિલ્લાના મેજિસ્ટ્રેટ મનોજે ટ્વિટ કરીને માહિતી પણ આપી હતી કે છ માંથી ત્રણ આરોપીઓને વહીવટી તંત્ર દ્વારા તેમના ઘરને જેસીબી મશીન વડે પણ પાડી દેવામાં આવ્યા છે. અને બાકી રહેલા બીજા ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસ સતત કામે લાગી ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]