આધુનિક સમયમાં લોકોના અકાળે મૃત્યુ થઈ રહ્યા છે. લોકો પોતાના પરિવારથી વિખુટા થતાં તેમના પરિવારજનો આઘાતમાં મુકાઈ જાય છે. આજકાલ યુવકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામધંધે જતા હોય છે, દરેક ધંધામાં જોખમ રહેલું છે. પોતાનું કામ કરતા વ્યક્તિઓ સાથે જોખમ ભરી ઘટના બની જતા તેઓ પોતાના જીવન ગુમાવી રહ્યા હોય છે.
જેને કારણે તેમના પરિવારજનો નિરાધાર થઈ જાય છે, અવારનવાર આવી ઘટનાઓ હાલમાં ખૂબ જ સામે આવી રહી છે. આવી જ એક યુવક સાથે કરુણ ઘટના બની ગઈ હતી. આ ઘટના શિરોહી વિસ્તારમાં બની હતી. કુંભારવાડામાં વિશ્વકર્મા મંદિર પાસે એક ધર્મશાળાનું કામકાજ ચાલી રહ્યું હતું. જેમાં ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા.
તેઓ રોજીરોટી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે સમયે આ કામ પર એક યુવક ગ્રાઇડરનું કામ કરવા માટે આવ્યો હતો. આવેલા યુવકનું નામ હેમરાજ હતું. હેમરાજ ચુરુમાં આવેલા રાજલદેસરમાં રહેતો હતો. તેમના પિતાનું નામ સાંવરમલ માળી હતું. તે ધર્મશાળાના કામ પર ઘણા સમયથી આવી રહ્યો હતો.
હેમરાજની ઉંમર 27 વર્ષની હતી. તે પોતાનું ગ્રાઈન્ડર મશીન લઈને કામ કરી રહ્યો હતો તે સમયે તેને પાવરની જરૂર હોવાને કારણે પોતાના ગ્રાઈન્ડર મશીનના વાયરને તેણે એક ઈલેક્ટ્રીક બોર્ડના જોડવા માટે ગયો હતો. તે સમયે અચાનક જ બોર્ડમાં કોઈ વાયરની ખામીને કારણે વીજ કરંટ થતો હતો. જેની જાણ હેમરાજને ન હતી.
અચાનક જ તેણે બ્રાઇડલના વાયરને અંદર નાખતાની સાથે તેને વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટ ખૂબ જ મોટા ઝટકામાં લાગ્યો હતો. જેના કારણે તે ઉછાળીને પડ્યો હતો. તેની આસપાસ કામ કરતાં કામદારોએ આ અકસ્માત બનતો જોયો હતો અને તરત જ દરેક કામદારો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા.
તે સમયે બીજા મજૂરોએ વીજ પાવરને બંધ કરી દીધો હતો પરંતુ અમુક કામદાર હેમરાજને બચાવવા માટે દોડયા હતા અને તેની બાજુમાં કામ કરી રહેલા કામદારને પણ વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બંનેને બચાવવા તરત જ કામદારો એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ પહોંછે તે પહેલા હેમરાજનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ધર્મશાળાના કામ ચાલી રહ્યું હતું તે સ્થળે પહોંચી હતી. હેમરાજના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હેમરાજ સાથે અચાનક જ આવી ઘટના બની જતા તેના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]