અવારનવાર લોકો સાથે બનતી ગંભીર ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. જેને કારણે તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોઈ નામચીન વ્યક્તિ સાથે આવી ઘટનાઓ બની જતા તેમને માન આપતા વ્યક્તિઓ આઘાતમાં આવી જાય છે. થોડા સમય પહેલા એક મંદિરમાં પૂજારીએ પોતાના જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી.
પરંતુ હાલમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. આ ઘટના હીંગોલી જિલ્લામાં આવેલા ખોટા દેવી ગામમાં બની હતી. ખોટાદવી ગામમાં દેવી માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં લોકો સવાર-સાંજ આરતી અને દર્શન માટે જતા હતા અને મંદિરના પૂજારી ઘણા સમયથી ભગવાનની સેવા કરી રહ્યા હતા.
પૂજારીનું નામ ગજાનંદ કિશનરાવ જગતાપ હતું. તેઓ ઘણા સમયથી પોતાના પરિવાર સાથે દેવીના મંદિરમાં રહીને ભગવાનની સેવા કરી રહ્યા હતા. પૂજારી ખૂબ જ સરળ સ્વભાવના હતા. તેમને દરેક વખતે ભક્તો ખૂબ જ સારું એવું માન આપતા હતા અને સવારના સમયે તેઓ દર્શન માટે જાય ત્યારે પણ પુજારી સાથે તેઓ મળતા હતા.
પરંતુ એક દિવસ સાંજના સમયે મંદિર બંધ કરીને દરેક ભક્તો પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ સવારના સમયે ફરીથી મંગળા આરતીના દર્શન માટે ભક્તો મંદિરે આવ્યા હતા. ત્યારે મંદિરે આવતા દરેક ભક્તો ચોકી ગયા હતા અને તેઓ આઘાતમાં આવી ગયા હતા. મંદિરમાં એવો બનાવ બન્યો કે જોઈને દરેક ભક્તો રડવા લાગ્યા હતા.
જોયું તો મંદિરમાં પૂજારી ગજાનન જાગતાપ લટકતી હાલતમાં જોવા મળી રહ્યા હતા. તેમણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેને કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમને તપાસ કરતાં એક અંતિમ નોટ પણ મળી આવી હતી.
ગજાનન એક અંતિમ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. અંતિમ નોટમાં લખ્યું હતું કે, ‘મંદિરના ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ રાજાભાઉ દેશમુખ તેમના પદનો દુરુપયોગ કરીને પૂજારીને હેરાન કરી રહ્યા હતા. પૂજારીને અવારનવાર માનસિક ત્રાસ મળતો હોવાને કારણે તેમણે આ પગલું ભરી લીધું હતું અને તેના મૃત્યુનું કારણ પણ પૂજા પ્રમુખનું હેરાન કરવાનું જ હતું.
પૂજારીએ જણાવ્યું હતું કે તુલજાદેવી મંદિરમાં અમે રાજવંશના પરંપરાગત સેવક છીએ અને કામ કરતી વખતે અમે ભગવાનની ભક્તિમાં લીન હોય છે પરંતુ કાર્ય કાર્યકારી મંદિરમાં કામ કરતી વખતે માત્ર જ્ઞાતિઓને કારણે જ અમને હેરાન કરી રહ્યા હતા અને તેના પદનો દર દુરુપયોગ કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે તેની સાથે સાથે દેશમુખના સભ્યો કિરણ નર્સીકર, આનંદ પાંડે અને અન્યના પણ નામ તેને આ અંતિમ નોટમાં જણાવ્યા હતા, જેને કારણે દરેક લોકોને પોલીસે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ કરી રહ્યા હતા. પૂજારીએ પોતાને મળતા માનસિક ત્રાસને કારણે જીવ ગુમાવ્યો હતો અને આપઘાત કરવાને કારણે ગામના લોકો તેનો આઘાત ભૂલી શકતા ન હતા.
ત્યારબાદ તેના પરિવારજનોને પૂજારીના આપઘાતની વાત જણાવવામાં આવી હતી, જેને કારણે પરિવાર તરત જ મંદિર પહોંચ્યું હતું. તેઓ રડી રહ્યા હતા. થોડીવારમાં મંદિરમાં મોન ધારણ કરવામાં આવ્યું હતું અને પૂજારીના મૃત્યુને કારણે મંદિરમાં પૂજાપાઠના જાપ કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ વર્ષોથી ભગવાનની સેવા કરી રહ્યા હતા તેની સાથે આવી ઘટના બની જતા લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]