Breaking News

મમ્મી, ‘હું ગરબા રમવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલી જુવાન દીકરીની બીજે દિવસે સવારે લાશ ઘરે આવતા માં-બાપ જોતા જ ઢળી પડ્યા..! જાણો..!

અત્યારે માતાજીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીના તહેવારમાં કે લઈ આવું મન મૂકીને ગરબે ઘૂમે છે. જે લોકોને ગરબા ખૂબ જ શોખ છે. તેઓ પાછળના એક વર્ષથી રાહ જોઈને બેઠા હોય કે, ક્યારે નવરાત્રી આવે અને તેઓ ગરબાના તાલે જૂની ઊઠે મોટાભાગે દીકરીઓને ગરબે રમી માતાજીની પૂજા આરાધના કરવાનો ખૂબ જ શોખ હોય છે..

ગરબાનું સાઉન્ડ વાગતાની સાથે જ તેઓના થનગટ કરવા લાગતા હોય છે. પરંતુ ગરબા રમતી વખતે પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ જરૂરી છે. અત્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના ભવરકુવા વિસ્તારમાં એક એવો બનાવ બન્યો છે કે, જુવાન દીકરીના મા-બાપ માટે આ દુઃખની ઘડીને સહન કરવી સહેલી બની નથી..

જીતનગર સોસાયટીની અંદર અંબારામભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનું દીકરો તેમની 21 વર્ષની દીકરી શાંતિ અને તેમની પત્ની નો સમાવેશ થતો હતો. તેમના ઘરની બાજુમાં આવેલા પીપળીયા રાવની વાડીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબારામ ભાઈની દીકરી શાંતિને ગરબા રમવાનું ખૂબ જ શોખ હતો. તે રાત્રિના સમયે સંપૂર્ણ તૈયારી કર્યા બાદ તેની મમ્મીને કહ્યું હતું કે મમ્મી હું ગરબા રમવા માટે બાજુના મેદાનમાં જાઉં છું, કહીને ઘરેથી નીકળી હતી. અને લાંબા સમય સુધી ઘરે ન આવતા પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા હતા કે આખરે તેમની દીકરી ને શું થયું હશે કે, તે હજુ સુધી પણ ઘરે આવી નથી..

તેઓએ આ મેદાનમાં ચક્કર લગાવ્યો તો દીકરીના પિતા અંબારામ ભાઈને જણાવ્યું કે, તેમની દીકરી ગરબે રમતા રમતા અચાનક જ ઢળી પડી હતી સૌ કોઈ લોકો ગરબાના તાલે ઘુમતા હતા. એવામાં અચાનક જ શાંતિ ત્યાં ઢળી પડી સૌ કોઈને લાગ્યું કે, તેને લાંબા સમયથી પાણી પીધું નથી..

અને ગરબા રમતી વખતે ખૂબ જ ગરમી થઈ છે, તો ગભરામણને કારણે તે ઢળી પડી હશે. અથવા તો ચક્કર આવ્યા હશે. તે આસપાસ રહેલા સૌ કોઈ લોકોએ તેના ચહેરા ઉપર પાણીના છાંટા લગાવ્યા હતા. પરંતુ શાંતિએ આંખો ખોલી નહીં, સૌ કોઈ લોકો તેને હલબલાવવા લાગ્યા પરંતુ તેને આંખો ન ખોલતા ત્યાં રહેલા વ્યક્તિઓએ તેને તાત્કાલિક સારવાર માટે શહેરની એમવાય હોસ્પિટલમાં લઈ ગયા હતા..

શાંતિના માતા-પિતાને ત્યાંના કોઈપણ વ્યક્તિ ઓળખતા ન હોવાથી તેમને જાણ કરવામાં આવી નહીં અને માનવતા ખાતર આસપાસ રહેલા લોકો તેની મદદ કરવા એને હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યારે શાંતિના પિતા પોતાની દીકરીને ગોતતા ગોતતા ત્યાં આવ્યા ત્યારે તેને આ સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી..

તેઓ તાત્કાલિક હોસ્પિટલ પણ દોડી ગયા, જ્યાં ડોક્ટર હોય શાંતિની તપાસ કર્યા બાદ તેને મૃત ઘોષિત કરી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે શાંતિના મૃતદેહને ખસેડ્યો છે. તેનું મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે પરંતુ અત્યારે ડોક્ટરો દ્વારા હાર્ટ એટેક અથવા તો અન્ય કોઈ ગમી બીમારીથી તેનું મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સાંજે 21 વર્ષની શાંતિ ગરબે રમવા માટે ગઈ હતી. અને બીજા દિવસે સવારે શાંતિની લાશ તેના ઘરે પહોંચતા તેના મા બાપ તેને જોઈને તેને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમના માટે આ દુઃખને સહન કરવું કોઈ કાળે શક્ય હતું નહીં. આ બનાવને લઈને આસપાસના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

સૌ કોઈ લોકોની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ હતી. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે, અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી પણ ચલાવવામાં આવશે. આ બનાવને લઈને સૌ કોઈ લોકો દુખની લાગણીમાં વહી રહ્યા છે. દીકરીની માતાની હાલત રડી રડીને ખુબ જ ગંભીર બની ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *