મહિલા કોન્સ્ટેબલે ક્વોટરમાં જ લટકીને આપઘાત કરી લેતા સૌ કોઈને આવી ગયા ધોળા દિવસે અંધારા, કારણ જાણવા થઈ મોટી મથામણ…

સમાચારનું છાપુ મોબાઇલ ફોન કે ટીવી શરૂ કરતાની સાથે જ એવા ઘણા બધા સમાચાર સામે આવે છે કે, જેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય અને તેના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસની ટીમોની સાથે સાથે તેના પરિવારજનો પણ ખૂબ જ મથામણ કરે છે. તેમ છતાં પણ તેમના મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ મળી આવતું નથી..

અને આ તમામ બાબતો હંમેશા માટે ગુમનામ બનેલી જ રહે છે. અત્યારે મુઝફર નગરમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેના પણ આપઘાતનું કોઈ પણ કારણ બહાર આવ્યું નથી. આ ઘટના બજોઈ યાદવ કોલોનીમાં રહેતી આદર્શ યાદવ નામની મહિલા કોન્સ્ટેબલની છે..

આ મહિલા કોન્સ્ટેબલની ઉંમર 30 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આદર્શ યાદવના પિતા હરપાલ યાદવનું કહેવું છે કે, આદર્શ યાદવે 2016માં યુપી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી. જેમાં તેની પસંદગી થઈ ગઈ અને તે મુજબ પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવે છે. તે જ્યારથી આ પોસ્ટિંગ ઉપર લાગી હતી અને અત્યારે તેને નવી મંડી ઓફિસમાં તેનાત કરવામાં આવી હતી.

તે નવા કવોટરએથી રોજ ડ્યુટી માટે આવતી હતી. પરંતુ એક વખત તે જુના ક્વોટરમાં જ રોકાઈ ગઈ હતી. બપોરનો સમય થયો છતાં પણ આદર્શ યાદવ ક્વાર્ટરમાંથી બહાર આવી નહીં. એટલા માટે તેની સાથે રહેલા અન્ય સાથીદારોને શંકા ગઈ હતી. આ ઉપરાંત અંદરથી દરવાજો પણ લોક કરેલો હતો.

વારંવાર દરવાજો ખટખટ આવ્યા બાદ પણ આદર્શ યાદવે દરવાજો ખોલ્યો નહીં. એટલા માટે અંતે શંકાને આધારે દરવાજો તોડી પડાયો હતો અને અંદર જઈને જોયું તો સૌ કોઈ લોકો ગભરાઈ ગયા હતા. કારણ કે આદર્શ યાદવએ લટકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી અન્ય પોલીસ કર્મચારીઓને પણ આપવામાં આવી..

ત્યારબાદ તેના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો અને ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. આ મહિલા કોન્સ્ટેબલના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ ત્યાંના એસએસપી પણ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણની કાર્યવાહી શરૂ કરી આ ઉપરાંત અન્ય તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા..

હાલ આ મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તો બીજી બાજુ તેમના પિતા હરપાલ યાદવને તેમની દીકરી આદર્શ યાદવના મૃત્યુના સમાચાર આપી દેવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર જન્મ એકાએક મોતના માતમમાં ચાલ્યા ગયા છે..

તેમના માટે આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. આખરે આદર્શ યાદવે શા માટે આપઘાત કર્યો છે, તેનું કોઈ પણ કારણ હજુ જાણી શકાયું નથી. આ ઉપરાંત તપાસ દરમિયાન પણ તેના રૂમમાંથી કોઈ પણ અંતિમ નોટ પણ મળી આવી નથી. લોકોનું કહેવું છે કે, તે દરેક વ્યક્તિ સાથે ખૂબ જ સારો સ્વભાવથી વર્તન કરતી હતી..

તેમજ તેના હાવભાવ અને વાતચીતો પરથી એવું સહેજ પણ લાગતું હતું નહીં કે તે કોઈ મોટી મુસીબતમાંથી પસાર થાય છે. આ તમામ બાબતો પરથી જાણી શકાયું નથી કે તેનો આપઘાત કરવાનું કારણ શું હશે.? હાલ આ બાબતએ લઈને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment