ગુરુ અને શિષ્ય વચ્ચે એક અદ્ભુત પ્રકારનું જ બંધન હોય છે. આજે અમે તમને ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલા લોહી.લુ.હા.ણ કીસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ. ઢસા નજીકના ચોસલા ગામ માં 5 દિવસ પહેલા એક મહંતની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આ હત્યાને અંધશ્રદ્ધા ઉપર ઢાંકી ને દબાવી દેવાનું કારનામું કરવામાં આવ્યું હતું…
પરંતુ ત્યારબાદ પોલીસે વધારે તપાસ કરતા કંઈક નવો વળાંક જ સામે આવ્યો છે. ગઢડા તાલુકાના ચોસલા ગામે હનુમાનજી મંદિરના મહંત રામદાસજી ગુરુ મોહનદાસજી છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હતા. જ્યારે ગામજનોએ તેની ખૂબ શોધખોળો કરવાની શરૂ કરી હતી કે આખરે આ મહંત ક્યાં છુપાઈ ને બેઠા હશે…?
પરંતુ ભારે શોધખોળના અંતે મહંત આશ્રમના કૂવામાંથી મળી આવ્યા હતા. જ્યારે મહંતને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમને લાશ કોહવાઇ ગઈ હતી. જ્યારે ગામના લોકોને જાણ થઈ કે મહંત મૃત્યુ પામ્યા છે ત્યારે શરૂઆતમાં તો સૌકોઈ અંધશ્રદ્ધાને ચર્ચાઓ કરવા લાગ્યા હતા….
પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક ઘટનાની તપાસ કરતા જણાવ્યું છે કે આ મૃત્યુ પાછળ મહંતના શિષ્ય નો હાથ છે. પોલીસને તપાસમાં જણાયું હતું કે ચોસલા ગામમાં જ રહેતો નિતીન વડોદિયા નામનો યુવક તી.ક્ષ્ણ. હથિયારો વડે ઘા મારીને મહંતની લાશ કુવામાં ફેંકી દીધા બાદ તે ભાગી ગયો હતો…
પરંતુ પોલીસે મહા મથામણ બાદ તેને ઝડપી લીધો હતો અને તેની રિમાન્ડ અંગે કોર્ટમાં માંગ કરી હતી જેમાં કોર્ટે શિષ્ય નિતીન વડોદિયા સામે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે. રિમાન્ડ દરમિયાન શિષ્ય નિતીન વડોદરા એ જણાવ્યું હતું કે હું મંત્ર ની ખરાઇ કરવા માટે આ બધું કરી રહ્યો હતો… મને જરાય પણ અંદાજ નહોતો કે ખરાઈ કરવામાં જ મહંતનો જીવ ચાલ્યો જશે.
હકીકતમાં મહંતે તેના શિષ્ય નિતિને જણાવ્યું હતું કે મેં વિધિ વિધાનો કર્યા છે, એટલા માટે હું અમર થઈ ગયો છું. મને આ પૃથ્વી ઉપર કોઈપણ મારી શકશે નહીં. મને કોઈ પણ પ્રકારનો ડર નથી. અને મને કશું જ થશે નહીં. જો તને વિશ્વાસ ના આવે તો તું મારી ખરાઇ કરી લે. જો આ વાત સાંભળતા ની સાથે જ શિષ્ય નીતિને મહંત પાસે ખરાઇ ની આજ્ઞા લીધી હતી…
અને ત્યારબાદ તેણે દાતરડા વડે મહંત ઉપર હુમલો કર્યો હતો. પરંતુ મહંત હકીકતમાં અમર ન હતા. એટલા માટે તેને દાતરડાને ઊંડો ઘા વાગી ગયો હતો અને તે લો.હીથી લથબથ હાલતમાં ઢળી પડ્યા હતા. અને તેમનું મોત થયું હતું. આ મોતને ઢાંકવા માટે સેવકે મૃતદેહને શેતરંજીમા વીંટાળીને હથિયાર સાથે કુવામાં ફેંકી દીધા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]