ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને મોટા મોટા દાવો ફેંકવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્યમાં ઊંડાણપૂર્વક જોવામાં આવે તો રોજ રોજ એવા ઘણા બધા બનાવો બને છે કે, જે જોતા ની સાથે જ કહી શકીએ કે મહિલાઓ સલામત નથી. કારણ કે નાની દીકરીઓથી માંડીને સગીર વહીની દીકરીઓ અને મોટી ઉંમરની મહિલાઓ સાથે પણ .દુ.ષ્ક.ર્મ. અત્યાચાર અને શારીરિક અડપલાના બનાવો બની રહ્યા છે…
આ બનાવોને ડામવા માટે સરકાર યોગ્ય પ્રયત્ન કરી રહી છે. પરંતુ આટલા પ્રયત્નથી આ બનાવો બનવાના ઓછા થશે તેવું લાગતું નથી. આવા બનાવો અને ડામવા માટે કોઈ યોગ્ય પગલાઓ ભરવા પડશે. ગઈકાલે વલસાડના વાપીમાંથી વધુ એક હેવાનિયત ભરી કરતુતો સામે આવતા જ લોકોમાં ફફડાટ મચી ગયો છે..
વાપીના ટાઉન પોલીસે સોનિલ યાદવ નામના એક નરાધમ યુવકની ધરપકડ કરી છે કે, જેણે તેની પાડોશમાં રહેતી માત્ર 12 વર્ષની એક સગીરા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યો છે. આ નરાધમ યુવકને કોઈપણ કાળે બક્ષવામાં ન આવે તેવી સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા છે. કહેવાય છે કે, પાડોશીને પહેલો સગો માનવામાં આવે છે. કારણ કે સુખ દુઃખની સ્થિતિએ સૌપ્રથમ પાડોશી સાથે ઉભા રહે છે..
પરંતુ સુનીલ યાદવ જેવા પાડોશી કોઈપણ વ્યક્તિને ન મળે. કારણકે આ પાડોશી એ એવી હરકતો કરી છે કે, જેની ન પૂછો વાત.. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ચાલમાં એક પરિવાર રાજીખુશીથી જીવે છે. પરિવારમાં માતા-પિતા એક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની 12 વર્ષની દીકરી ભણતાની સાથે સાથે આખો દિવસ ઘરે એકલી રહે છે..
પડોશમાં રહેતા સુનીલ યાદવ નામના આ નરાધમ યુવકે માત્ર 12 વરસની સગીરા કે જે તેના પડોશમાં રહે છે. તેના પર નજર બગાડી દીધી હતી અને પોતાના ઘરે કોઈ કામ માટે બોલાવ્યા બાદ એકલતાનો લાભ લઈને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજરવા લાગ્યો હતો. આ 12 વર્ષની દીકરી કંઈ બાબત સમજે પહેલા જ તેને વારંવાર પિંખવા લાગ્યો હતો..
અને ધમકી આપીને કહેતો કે, જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ. એટલા માટે આ દીકરી ખૂબ જ ડરી ગઈ અને તે છેલ્લા ઘણા સમયથી ચૂપચાપ રહેતી હતી. પરંતુ આ નરાધમ યુવકની હેવાનિયત દિન પ્રતિદિન વધવા લાગી અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે તે આ દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગ્યો હતો..
એક દિવસ આ દીકરીએ કંટાળીને પોતાના માતા પિતાને આ તમામ બાબતોની જાણ કરી અને જણાવ્યું કે, પડોશમાં રહેતો સુનિલ યાદવ ગામનો આ યુવક તેના પર કાળ બનીને ત્રાટકી પડ્યો છે. અને હવે શું કરવું તેની સમજ પડતી નથી. સગીરા ને તેના માતા-પિતા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને ત્યારબાદ પડોશમાં રહેતા નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી..
પોલીસે પણ ફરિયાદ નોંધાતા ની સાથે જ ગણતરીની મિનિટોમાં નરાધમ સુનિલની ધરપકડ કરી લીધી હતી. વલસાડનું વાપી ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે. જેમાં દેશભરમાંથી મોટાભાગના લોકો રોજગાર અને વ્યવસાય માટે આવી પહોંચે છે. આ સગીરાના માતા પિતા વાપી વિસ્તારની આજુબાજુની કંપનીઓમાં નોકરી માટે જતા હતા. પરંતુ તેમની બાળકી ઘરે એકલી રહેવાથી સુરક્ષાના સવાલો ઊભા થયા હોય..
અને હવે તો સુનીલ જેવા નરાધમ ઈસમો તેના પર ખતરા રૂપ સાબિત થયા છે. હકીકતમાં માતા-પિતાને તેના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નોકરી અને કમાવાની લાલચમાં પોતાના બાળકોની સલામતી ભૂલી જવી એ ખૂબ જ ખોટી બાબત છે. કારણ કે હાલ આ દીકરીને ખૂબ માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે અન્ય વાલીઓ કે જે પાડોશીના હવાલે પોતાના દીકરા દીકરીઓને મૂકીને નોકરી ધંધા માટે જતા રહે છે. તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]